/indian-express-gujarati/media/media_files/2026/02/16/kedarnath-temple-opening-date-2026-02-16-20-05-11.jpg)
કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે Photograph: (સોશિયલ મીડિયા)
Kedarnath Temple Opening Date 2026 : કેદારનાથ ધામ દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. લાંબી રાહ જોયા પછી કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. કપાટ ખુલતાની સાથે જ ચારધામ યાત્રા ઔપચારિક રીતે શરૂ થશે, ત્યારબાદ દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન માટે પહોંચશે.
કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ શિયાળુ ગાદીસ્થાન ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં જાહેર કરવામાં આવી હતી. શિયાળામાં જ્યારે કેદારનાથ ધામ બરફથી ઢંકાઈ જાય છે ત્યારે અહીં બાબાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વખતે કેદારનાથ ધામના મુખ્ય પૂજારી તરીકે ટી.ગંગાધર લિંગની નિમણૂક કરવામાં આવી છે, જે કપાટ ખુલતાની સાથે જ પૂજાની જવાબદારી સંભાળશે.
કેદારનાથ જ્યોતિર્લિંગ શા માટે ખાસ છે?
કેદારનાથ જ્યોતિર્લિંગને ભગવાન શિવનો પૃષ્ઠ ભાગ માનવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન શિવના શરીરના અગ્ર ભાગની નેપાળના પ્રખ્યાત પશુપતિનાથ મંદિરમાં પૂજા કરવામાં આવે છે, જ્યારે પૃષ્ઠ ભાગ કેદારનાથમાં બિરાજમાન છે. આ જ કારણ છે કે આ ધામનું ધાર્મિક મહત્વ વધારે વધી જાય છે.
પૌરાણિક કથાઓ અનુસાર કેદારનાથ મંદિરની શોધ પાંડવો દ્વારા કરવામાં આવી હતી. મહાભારતના યુદ્ધ પછી પાંડવો તેમના પાપોથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની શોધમાં ગયા હતા. ભગવાન શિવ તેમનાથી નારાજ થઇને ભેંસના રૂપમાં અહીં આવ્યા હતા. બાદમાં આદિ ગુરુ આદિ શંકરાચાર્યજીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે?
બાર જ્યોતિર્લિંગોમાંથી એક પવિત્ર કેદારનાથ મંદિરના કપાટ આ વર્ષે ભક્તો 22 એપ્રિલ, 2026ના રોજ ખોલવામાં આવશે. સવારે 08:00 વાગ્યે વૃષ લગ્નમાં વિધિ વિધાન સાથે બાબા કેદારનાથના દર્શન શરૂ થશે. દર વર્ષની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ બાબાના દરબારમાં હાજરી આપવા આવશે.
આ પણ વાંચો - ભારત-બ્રિટન FTA પર મોટી અપડેટ, જલ્દી થઇ શકે છે લાગુ, અધિકારીઓએ આપ્યો સંકેત
કેદારનાથ મંદિરના કપાટ 6 મહિના બંધ રહેશે
ચારધામમાં સામેલ કેદારનાથ મંદિર વર્ષમાં માત્ર છ મહિના માટે ખુલ્લું રહે છે. ભારે હિમવર્ષા અને અતિશય ઠંડીને કારણે દિવાળી પછી કપાટ બંધ કરી દેવામાં આવે છે. શિયાળામાં આખો વિસ્તાર બરફની જાડી ચાદરથી ઢંકાયેલો હોય છે. આવી સ્થિતિમાં મુસાફરી શક્ય બનતી નથી. એક વિશેષ પરંપરા હેઠળ કપાટ બંધ કરતી વખતે મંદિરની અંદર અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દીવો પૂરા છ મહિના સુધી પ્રજ્વલિત રહે છે.
બદ્રીનાથ ધામના દરવાજા ક્યારે ખુલશે?
ચાર ધામ યાત્રામાં કેદારનાથની સાથે બદ્રીનાથ ધામનું પણ વિશેષ મહત્વ છે. બદ્રીનાથ ધામના દરવાજા 23 એપ્રિલ 2026ના રોજ સવારે 06:15 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવશે. આ પહેલા 7 એપ્રિલ 2026થી ગાડુ ઘડા યાત્રા શરૂ થશે. આ યાત્રાના માધ્યમથ ભગવાન બદ્રીનાથના અભિષેક માટે તલનું તેલ પરંપરાગત રીતથી લાવવામાં આવે છે.
અખાત્રીજ પર ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખુલશે
ચાર ધામ યાત્રા દર વર્ષે અક્ષય તૃતીયાના શુભ અવસર પર શરૂ થાય છે. આ વર્ષે 19 એપ્રિલ 2026ના રોજ અક્ષય તૃતીયાના દિવસે, ગંગોત્રી મંદિર અને યમુનોત્રી મંદિરના કપાટ ખોલવામાં આવશે. આ બંને ધામો ખોલવાની સાથે જ ચાર ધામ યાત્રા સત્તાવાર રીતે શરૂ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us