Northeast Floods: સિક્કિમમાં લશ્કરી છાવણી પર ભૂસ્ખલન, 3 સૈનિકોના મોત, 6 લાપતા

Northeast Floods: રવિવારે સાંજે 7 વાગ્યે ભારે વરસાદ બાદ સિક્કિમમાં એક લશ્કરી છાવણી ભૂસ્ખલનનો ભોગ બની હતી. ત્રણ સૈનિકોના મોત થયા હતા અને 6 સૈનિકો ગુમ થયા હતા. એક સંરક્ષણ અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી

Northeast Floods: રવિવારે સાંજે 7 વાગ્યે ભારે વરસાદ બાદ સિક્કિમમાં એક લશ્કરી છાવણી ભૂસ્ખલનનો ભોગ બની હતી. ત્રણ સૈનિકોના મોત થયા હતા અને 6 સૈનિકો ગુમ થયા હતા. એક સંરક્ષણ અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Sikkim floods, Sikkim landslide,

સિક્કિમમાં એક લશ્કરી છાવણી ભૂસ્ખલનનો ભોગ બની હતી. (તસવીર: X)

Northeast Floods: રવિવારે સાંજે 7 વાગ્યે ભારે વરસાદ બાદ સિક્કિમમાં એક લશ્કરી છાવણી ભૂસ્ખલનનો ભોગ બની હતી. ત્રણ સૈનિકોના મોત થયા હતા અને 6 સૈનિકો ગુમ થયા હતા. એક સંરક્ષણ અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી. અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. આમાં ત્રણ સૈનિકોના મોત થયા છે. તે બધાની ઓળખ હવાલદાર લખવિંદર સિંહ, લાન્સ નાયક મુનીશ ઠાકુર અને પોર્ટર અભિષેક લખડા તરીકે થઈ છે.

Advertisment

અધિકારીએ જણાવ્યું હતું કે સૈનિકોના મૃતદેહ મળી આવ્યા છે. ત્યાં જ ચાર સૈનિકોને નાની ઇજાઓ થઈ છે અને તેમને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું, 'છ ગુમ થયેલા સૈનિકોને શોધવા માટે બચાવ ટીમ સતત કામ કરી રહી છે.' ભારતીય સેનાએ આ ઘટનામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 34 લોકોનાં મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણી એજન્સીઓ રાહત અને ફસાયેલા લોકોને બચાવવામાં રોકાયેલી છે. આસામના મંત્રી જયંત મલ્લબરુઆના જણાવ્યા અનુસાર, આસામમાં ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

આ પણ વાંચો: એલોન મસ્કની નવી ચાલ! WhatsApp, Telegram ને ટક્કર આપવા લાવ્યા નવી મેસેજિંગ એપ XChat

Advertisment

સિક્કિમમાં પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા

સિક્કિમના લાચુંગમાં ખરાબ હવામાનને કારણે બે પુલ તૂટી પડતાં સેંકડો પ્રવાસીઓ ફસાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રવાસીઓના એક ગ્રુપને બચાવી લેવામાં આવ્યું છે અને 18 વાહનોમાં ફિડાંગ લાવવામાં આવ્યું છે. 1,678 પ્રવાસીઓનો બીજો જૂથ થેંગ ચેકપોસ્ટ પાર કરી ગયો છે અને ફિડાંગ તરફ આગળ વધી રહ્યો છે.

અમિત શાહે પૂર્વોત્તરના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પૂર્વોત્તરના પૂરગ્રસ્ત વિસ્તારોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે અને તેમણે સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામના મુખ્યમંત્રીઓ અને મણિપુરના રાજ્યપાલ સાથે પણ વાત કરી છે. તમને જણાવી દઈએ કે આગામી થોડા દિવસો માટે IMD એ આગાહી કરી છે કે ઉત્તરપૂર્વના મોટાભાગના ભાગોમાં 5 જૂન સુધી વરસાદ પડી શકે છે. IMD એ 4 જૂન સુધી આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ-અલગ સ્થળોએ વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. ઉપરાંત અરુણાચલ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે.

Indian army india દેશ