બંગાળમાં SIR ફોર્મ ના મળતાં માતા-પુત્રીએ આત્મહત્યાનો પ્રયાસ; TMCએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

બિહાર પછી બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દરમિયાન બંગાળમાં TMC તેનો સખત વિરોધ કરી રહી છે. હવે આત્મહત્યાના પ્રયાસનો એક મામલો સામે આવ્યો છે.

Written by Rakesh Parmar
November 09, 2025 22:30 IST
બંગાળમાં SIR ફોર્મ ના મળતાં માતા-પુત્રીએ આત્મહત્યાનો પ્રયાસ; TMCએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ
બંગાળમાં SIR ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

બિહાર પછી બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દરમિયાન બંગાળમાં TMC તેનો સખત વિરોધ કરી રહી છે. હવે આત્મહત્યાના પ્રયાસનો એક મામલો સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં SIR ફોર્મ ના મળતાં ડરથી 27 વર્ષીય મહિલાએ તેની સગીર પુત્રી સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેના પરિવારે રવિવારે આ દાવો કર્યો હતો.

મહિલા અને તેની પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

કથિત ઘટના શનિવારે જિલ્લાના ધનિયાખલી સ્થિત મહિલાના ઘરે બની હતી. પોલીસે જણાવ્યું હતું કે મહિલા અને તેની પુત્રી હાલમાં SSKM હોસ્પિટલના ICU માં ગંભીર હાલતમાં છે. પોલીસે જણાવ્યું હતું કે કથિત ઘટનાની તપાસ ચાલી રહી છે. મહિલાના પિતાના જણાવ્યા મુજબ, તેણી ખૂબ જ નારાજ હતી કારણ કે તેણીને SIR ફોર્મ મળ્યું ના હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યોને મળ્યું હતું.

આ પણ વાંચો: T20 World Cup 2026: આ તારીખે વર્લ્ડ કપ શરૂ થશે? અમદાવાદમાં ફાઇનલ, વાનખેડેમાં સેમિફાઇનલ!

પિતાએ કોલકાતામાં તેની પુત્રીને મળ્યા બાદ કહ્યું, “તેણી ડરી ગઈ હતી કારણ કે તેની પાસે કોઈ દસ્તાવેજો નહોતા અને તેને દેશનિકાલ થવાનો ડર હતો, ગભરાટના કારણે, તેણીએ તેની પુત્રી સાથે ઝેર પી લીધું. તેમના પરિવારે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા છ વર્ષથી જિલ્લાના ધનિયાખલીમાં તેમના પૈતૃક ઘરે વૈવાહિક વિવાદ બાદ રહેતી હતી. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી માનસિક તણાવમાં હતા”.

ટીએમસીએ ભાજપ પર આરોપ લગાવ્યો

આ મુદ્દા પર રાજકારણ પણ ફાટી નીકળ્યું છે. ધનિયાખલીના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અસીમા પાત્રાએ ભાજપ પર રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) અને અટકાયત શિબિરો વિશે ભ્રામક નિવેદનો આપીને લોકોમાં ભય પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો. પાત્રાએ કહ્યું, “જ્યારે ભાજપના નેતાઓ લોકોને અટકાયત શિબિરોમાં મોકલવાની વાત કરે છે ત્યારે તે સમગ્ર બંગાળમાં ગભરાટ ફેલાવે છે. થોડા દિવસો પહેલા દાનકુનીમાં આવી જ ઘટના બની હતી. ભાજપ લોકોના જીવન સાથે રમી રહી છે.”

આવી ઘટનાઓ પહેલા પણ બની છે

બંગાળમાં આ પહેલી ઘટના નથી. આવી જ ઘટનાઓ પહેલા પણ બની છે. અગાઉ બંગાળના બરાકપોરમાં 57 વર્ષીય વ્યક્તિ તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોતાની સુસાઇડ નોટમાં તેમણે લખ્યું હતું કે એનઆરસી તેમના મૃત્યુ માટે જવાબદાર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ