/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Rahul-Gandhi-Srinagar.jpg)
રાહુલ ગાંધીએ પાકિસ્તાન સાથે સીઝફાયરના સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. (તસવીર: X)
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે શ્રીનગરની મુલાકાતે જશે. પહેલગામ આતંકી હુમલા બાદ તેમની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે. પહેલગામ હુમલા બાદ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા શ્રીનગર ગયા હતા.
ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પહેલગામ આતંકવાદી હુમલાને લઈને રાજધાની નવી દિલ્હીમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ પાર્ટી વતી ભાગ લીધો હતો. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તમામ પક્ષોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને સરકારને તેની કાર્યવાહી માટે સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
Lok Sabha LoP and Congress MP Rahul Gandhi to visit Srinagar, J&K tomorrow, April 25
(file pic)#PahalgamTerroristAttackpic.twitter.com/jltkMlJlk7— ANI (@ANI) April 24, 2025
મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?
સર્વપક્ષીય બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે આ બેઠકમાં ગૃહમંત્રી પણ હાજર હતા. તમામ પક્ષોએ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી હતી. અમે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવાના તમામ પ્રયાસો કરવા જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us