/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/Union-Minister-for-Jal-Shakti-CR-Patil.jpg)
સીઆર પાટિલ ગુજરાતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે. (તસવીર: X)
આપણા દેશમાં મોટાભાગના ઘરોની બહાર એક સામાન્ય સૂચના લખેલી હોય છે - કૃપા કરીને તમારા જૂતા ઉતારો… આ સૂચના ઘણા મોટા નેતાઓના ઘરો પર પણ લખેલી હોય છે અને તેમના સ્ટાફ પણ ખાતરી કરે છે કે તેનું પાલન થાય. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટિલના ઘરે આવું કંઈ લખેલું નથી. તેના બદલે તેમના ઘરની બહાર લખેલું છે - તમારા જૂતા ઉતારશો નહીં.
સીઆર પાટિલ ગુજરાતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે. આવામાં તેમને દિલ્હીના સફદરજંગ લેનમાં એક મોટો બંગલો મળ્યો છે. આ બંગલામાં દરરોજ સેંકડો લોકો તેમને મળવા આવે છે. જ્યારે મહેમાનો પાટિલના ઘરે જૂતા ઉતારવાની ઓફર કરે છે, ત્યારે સ્ટાફ તેમને તેમ કરવાનો ઇનકાર કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીઆર પાટીલે તેમના સ્ટાફને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ મુલાકાતીને સહેજ પણ અસુવિધાનો સામનો ન કરવો પડે.
સીઆર પાટિલ કોણ છે?
સીઆર પાટિલનો પરિવાર મહારાષ્ટ્રના જલગાંવનો છે પરંતુ 1953 માં તેઓ ગુજરાતમાં આવીને સ્થાયી થયા. સીઆર પાટિલનો જન્મ 16 માર્ચ 1955 ના રોજ થયો હતો. હાલમાં પાટિલ ગુજરાત ભાજપના પ્રમુખ પણ છે. ગુજરાત ભાજપના પ્રમુખ બનનારા તેઓ પહેલા બિન-ગુજરાતી નેતા છે. સીઆર પાટીલ ગુજરાતની નવસારી લોકસભા બેઠક પરથી ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા છે.
આ પણ વાંચો: વિદ્રોહની આગમાં સળગ્યું કાઠમાંડુ, ભારત-નેપાળ સરહદ પર હાઇ એલર્ટ જારી, સુરક્ષા જડબેસલાખ
પાટીલે પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને 14 વર્ષ સુધી સેવા આપી હતી. પાટીલ 1989માં ભાજપમાં જોડાયા હતા. સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં પાટીલનો ઘણો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે.
સીઆર પાટીલ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી વધુ મતોના માર્જિનથી જીત મેળવનારા સાંસદ બન્યા છે. તેમના નેતૃત્વમાં ભાજપે સતત સાતમી વખત ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પણ જીતી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં 156 બેઠકો જીતી હતી. ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us