‘અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ એક કલાક સુધી મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો’, પીએમ મોદીએ જણાવ્યું કે 9 મેની રાત્રે શું થયું હતું?

પીએમએ કહ્યું કે વિશ્વના કોઈ પણ નેતાએ ભારતને ઓપરેશન બંધ કરવા કહ્યું નથી. યુએન 193 દેશોમાંથી ફક્ત ત્રણ દેશોએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના પક્ષમાં નિવેદન આપ્યું હતું. ભારતને વિશ્વભરના ઘણા દેશો તરફથી સમર્થન મળ્યું.

Written by Rakesh Parmar
Updated : July 29, 2025 23:23 IST
‘અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ એક કલાક સુધી મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો’, પીએમ મોદીએ જણાવ્યું કે 9 મેની રાત્રે શું થયું હતું?
PM Modi on Ceasefire (તસવીર: Sansad TV)

આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચા થઈ રહી છે. મંગળવારે ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ મોદીએ લોકસભામાં સરકારનો પક્ષ રજૂ કર્યો. બીજી તરફ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધીએ પહેલગામ હુમલા અંગે સરકાર સામે સવાલો ઉઠાવ્યા. આ દરમિયાન પ્રધાનમંત્રીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના અમેરિકન રાષ્ટ્રપતિના દાવા પર પણ પ્રતિક્રિયા આપી.

પીએમએ કહ્યું કે વિશ્વના કોઈ પણ નેતાએ ભારતને ઓપરેશન બંધ કરવા કહ્યું નથી. યુએન 193 દેશોમાંથી ફક્ત ત્રણ દેશોએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના પક્ષમાં નિવેદન આપ્યું હતું. ભારતને વિશ્વભરના ઘણા દેશો તરફથી સમર્થન મળ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું, “તે સમયે 9મીની રાત્રે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેઓ એક કલાક સુધી વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હું સેના સાથે વાત કરવામાં વ્યસ્ત હતો. ત્યારબાદ મેં તેમને ફોન કર્યો કે તમારો ફોન આવી રહ્યો છે.”

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ મને ફોન પર કહ્યું કે પાકિસ્તાન ખૂબ મોટો હુમલો કરવા જઈ રહ્યું છે – પીએમ મોદી

પીએમે કહ્યું, “તેમણે મને ફોન પર કહ્યું કે પાકિસ્તાન ખૂબ મોટો હુમલો કરવા જઈ રહ્યું છે. જે લોકો આનો મારો જવાબ સમજી શકતા નથી તેઓ સમજી શકશે નહીં. મારો જવાબ હતો કે જો પાકિસ્તાનનો આ જ ઈરાદો હશે, તો તેમને ભારે કિંમત ચૂકવવી પડશે. જો પાકિસ્તાન હુમલો કરશે તો અમે મોટા હુમલાથી જવાબ આપીશું. અમે ગોળીઓનો જવાબ બોમ્બથી આપીશું. આ 9મી રાતની વાત છે. 9મી રાત અને 10મી સવારે અમે પાકિસ્તાનમાં લશ્કરી શક્તિનો નાશ કરી દીધો હતો. આજે પાકિસ્તાનને ખબર પડી ગઈ છે કે ભારતનો દરેક જવાબ પહેલા કરતાં વધુ મજબૂત છે. તે એ પણ જાણે છે કે જો ભવિષ્યમાં જરૂર પડશે, તો ભારત કંઈ પણ કરી શકે છે.”

આ પણ વાંચો: ‘કોઈએ રાજીનામું આપ્યું?’ પ્રિયંકા ગાંધીએ રાજનાથ સિંહ અને અમિત શાહને ‘લપેટી’ લીધા

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું, “9 મેના રોજ પાકિસ્તાને લગભગ એક હજાર મિસાઇલો અને આર્મ્ડ ડ્રોન વડે ભારત પર મોટો હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જો આ મિસાઇલો ભારતના કોઈપણ ભાગ પર પડી હોત તો મોટું નુકસાન થયું હોત, પરંતુ ભારતે આ મિસાઇલોને આકાશમાં જ નષ્ટ કરી દીધી, દેશના દરેક નાગરિકને આ વાતનો ગર્વ છે. આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલીની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનની મિસાઇલો અને ડ્રોનને તણખાની જેમ વિખેરી નાખ્યા.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ