પીએમ મોદીએ બાગેશ્વર ધામમાં કેન્સર હોસ્પિટલનું શિલાન્યાસ કર્યું, કહ્યું – કેટલાક લોકો આપણી પરંપરાઓની મજાક ઉડાવે છે

PM Modi in Bageshwar Dham: પીએમ મોદીએ કહ્યું - નેતાઓનું એક ગ્રુપ એવું છે જે ધર્મની મજાક ઉડાવે છે. તેઓ આપણા પર્વ અને પરંપરાઓને ગાળો આપતા રહે છે. હિન્દુ આસ્થાની નફરત કરનાર આ લોકો સદીઓથી એક યા બીજા વેશમાં રહેતા આવ્યા છે

Written by Ashish Goyal
February 23, 2025 17:07 IST
પીએમ મોદીએ બાગેશ્વર ધામમાં કેન્સર હોસ્પિટલનું શિલાન્યાસ કર્યું, કહ્યું – કેટલાક લોકો આપણી પરંપરાઓની મજાક ઉડાવે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર -બીજેપી ટ્વિટર)

PM Modi in Bageshwar Dham: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશના પ્રવાસે છે. તેમણે રવિવારે છતરપુરમાં બાગેશ્વર ધામ સરકાર મંદિરમાં બાલાજીના દર્શન અને પૂજા કર્યા પછી બાલાજી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરનું ડિજિટલ શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના વખાણ પણ કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખૂબ જ ઓછા સમયમાં મને બીજી વખત વીરોની ભૂમિ બુંદેલખંડ આવવાનું સૌભાગ્ય મળ્યું છે અને આ વખતે બાલાજીનો ફોન આવ્યો છે. હનુમાનજીની કૃપા છે કે આસ્થાનું આ કેન્દ્ર હવે સ્વાસ્થ્યનું પણ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. મેં હમણાં જ અહીં શ્રી બાગેશ્વર ધામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચનું ભૂમિ પૂજન કર્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને અભિનંદન પાઠવ્યા

કેન્સર હોસ્પિટલને લઈને પીએમ મોદીએ કહ્યું કે આ સંસ્થા દસ એકર જમીન પર બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 100 બેડની સુવિધા તૈયાર થશે. હું આ ઉમદા કાર્ય માટે ધીરેન્દ્ર શાસ્ત્રીને અભિનંદન આપું છું અને બુંદેલખંડના લોકોને અભિનંદન આપું છું.”

પીએમ મોદીએ કહ્યું કે બીજાની સેવા, બીજાના દુઃખ દૂર કરવા એ ધર્મ છે. તેથી આપણી પરંપરા રહી છે કે મનુષ્યમાં નારાયણની ભાવના સાથે દરેક જીવને અને જીવમાં શિવની સેવા કરવી. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે બધે જ મહાકુંભની ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો – શેખ હસીના સરકાર કાવતરાનો ભોગ બની? અમેરિકાની ગંદી નીતિનો પર્દાફાશ!

પીએમ મોદીએ કહ્યું – કેટલાક લોકો આપણી પરંપરાઓની મજાક ઉડાવે છે

પીએમ મોદીએ કહ્યું કે નેતાઓનું એક ગ્રુપ એવું છે જે ધર્મની મજાક ઉડાવે છે. તેઓ આપણા પર્વ અને પરંપરાઓને ગાળો આપતા રહે છે. હિન્દુ આસ્થાની નફરત કરનાર આ લોકો સદીઓથી એક યા બીજા વેશમાં રહેતા આવ્યા છે. તેઓ આપણી માન્યતાઓ, સંસ્કૃતિ અને મંદિરો પર હુમલો કરતા રહે છે. વિદેશી તાકાતો પણ આ લોકોનો સાથ આપે છે.

આપણાં મંદિરો સામાજિક ચેતનાનું કેન્દ્ર રહ્યાં છે – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આપણા મંદિરો એક તરફ પૂજાના કેન્દ્ર અને બીજી તરફ સામાજિક ચેતનાના કેન્દ્રો રહ્યા છે. આપણા ઋષિમુનિઓએ આપણને આયુર્વેદ અને યોગનું વિજ્ઞાન આપ્યું, જેનો પરચમ આજે સમગ્ર વિશ્વમાં લહેરાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આપણા ઋષિમુનિઓએ જ આપણને વિજ્ઞાન આપ્યું, જેનો ધ્વજ દુનિયાભરમાં લહેરાઈ રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે મહાકુંભની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. મહાકુંભ હવે પૂર્ણતાના આરે છે. અત્યાર સુધી કરોડો લોકો ત્યાં પહોંચી ચૂક્યા છે. કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ