/indian-express-gujarati/media/media_files/2026/02/14/pm-narendra-modi-2026-02-14-17-26-03.jpg)
PM Narendra Modi Visit Assam : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના બે દિવસના પ્રવાસે છે Photograph: (@bjp4india)
PM Narendra Modi Visit Assam : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના બે દિવસના પ્રવાસે છે. પીએમ મોદીએ બ્રહ્મપુત્રા નદી પર ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટીને જોડતા કુમાર ભાસ્કર વર્મા બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી પીએમ મોદીએ એક વિશાળ જનસભાને સંબોધિત કરી છે. જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ ભાજપના કાર્યકરોના વખાણ કર્યા અને કહ્યું કે અમારો વિશ્વાસ સંગઠનમાં છે.
નોર્થ ઇસ્ટ અમારા માટે અષ્ટલક્ષ્મી છે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે દેશનું બજેટ થોડા દિવસો પહેલા જ આવ્યું છે અને બજેટ પછી આસામ અને નાર્થ ઇસ્ટની આ મારી પ્રથમ મુલાકાત છે. તેમણે કહ્યું કે જે નોર્થઇસ્ટની કોંગ્રેસ દ્વારા હંમેશા અવગણના કરવામાં આવી, અમે તે નોર્થઇસ્ટની ભક્તિભાવથી સેવા કરી રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે, નોર્થ ઈસ્ટ અમારા માટે અષ્ટલક્ષ્મી છે. આ વર્ષનું બજેટ અષ્ટલક્ષ્મી માટે ભાજપ-એનડીએના વિઝનને વધુ મજબૂત કરનારું છે. કોંગ્રેસના શાસન દરમિયાન આસામને ટેક્સના રુપમાં માત્ર 10,000 કરોડ રૂપિયા મળતા હતા. હવે ભાજપ સરકારમાં આસામને કોંગ્રેસ સરકાર કરતા 5 ગણા વધુ પૈસા મળી રહ્યા છે. જો આપણે છેલ્લા 11 વર્ષની વાત કરીએ તો તમામ વિકાસ યોજનાઓ માટે આસામને કેન્દ્ર સરકાર તરફથી 5.50 લાખ કરોડ રૂપિયાથી વધુ મળ્યા છે. બજેટમાં પૂર્વોત્તરને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ”
પીએમ મોદીએ કહ્યું કે આ વખતે આસામને ટેક્સના હિસ્સા તરીકે લગભગ 50 હજાર કરોડ રૂપિયા મળવા જઈ રહ્યા છે. કોંગ્રેસના સમયમાં આસામ એક એક પૈસો માટે તરસતું રહેતું હતું. તે તમને સારી રીતે યાદ હશે. આ વર્ષના બજેટમાં નોર્થ ઇસ્ટની કનેક્ટિવિટી વધુ મજબૂત કરવામાં આવી છે. જેમ જેમ કનેક્ટિવિટી વધે છે તેમ તેમ રોજગારીની તકો પણ વધે છે. એટલા માટે આસામ હાઈવે અને અન્ય રોડ પ્રોજેક્ટ્સ માટે હજારો કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
The people of Assam have blessed the BJP-NDA and are ready to fully support it again in the upcoming polls. The excitement at today’s rally in Guwahati is incredible. https://t.co/WlGZeXIoxG
— Narendra Modi (@narendramodi) February 14, 2026
આસામમાં પર્યટનનો વિસ્તાર થશે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે બજેટમાં કરવામાં આવેલી જાહેરાતથી આસામમાં પર્યટનનો પણ વિસ્તાર થશે. તેમણે કહ્યું કે તમે જોયું જ હશે કે પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ ગુવાહાટીમાં યોજાયો હતો. પીએમ મોદીએ કહ્યું કે અમે બ્રહ્મપુત્રા નદીમાં ક્રૂઝ પર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. આવનારા સમયમાં બ્રહ્મપુત્રા પર આવા જ રિવર ટૂરિઝમને વધારવામાં આવશે.
આ પણ વાંચો - સેવા તીર્થમાં શિફ્ટ થયા પછી પીએમ મોદીએ આ મહત્વપૂર્ણ ફાઇલો પર હસ્તાક્ષર કર્યા, જાણો
પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે પુલવામા હુમલાની વરસી છે. હું મા ભારતીના એ વીર સપૂતોને નમન કરું છું જેમણે આ હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આતંકી હુમલા પછી ભારતે જે રીતે આતંકવાદીઓને સજા આપી તે આખી દુનિયાએ જોયું છે. તમે હમણાં જ 'ઓપરેશન સિંદૂર'માં ભારતની આ શક્તિ જોઈ છે. પરંતુ હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે શું કોંગ્રેસ ક્યારેય દેશના હિતમાં આવા સાહસિક નિર્ણયો લેવાની તાકાત હતી? તેઓ વધુને વધુ નિવેદનો આપી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us