મારી લડાઈ ભાજપ અને RSS સામે છે, કોંગ્રેસમાં જોડાતાં પ્રશાંત જગતાપનો હૂંકાર

પુણે NCP (SP) ના પૂર્વ અધ્યક્ષ પ્રશાંત જગતાપ કોંગ્રેસમાં જોડાયા. અજીત પવાર સાથેના સંભવિત ગઠબંધનનો વિરોધ કરી લીધો મોટો નિર્ણય. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) ચૂંટણી 2026 પહેલા શરદ પવાર જૂથ માટે આ મોટો ફટકો માનવામાં આવે છે. જાણો PMC ચૂંટણી પર તેની અસર.

પુણે NCP (SP) ના પૂર્વ અધ્યક્ષ પ્રશાંત જગતાપ કોંગ્રેસમાં જોડાયા. અજીત પવાર સાથેના સંભવિત ગઠબંધનનો વિરોધ કરી લીધો મોટો નિર્ણય. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) ચૂંટણી 2026 પહેલા શરદ પવાર જૂથ માટે આ મોટો ફટકો માનવામાં આવે છે. જાણો PMC ચૂંટણી પર તેની અસર.

author-image
Ashish Goyal
New Update
prashant jagtap

પુણે NCP (SP) ના પૂર્વ અધ્યક્ષ પ્રશાંત જગતાપ કોંગ્રેસમાં જોડાયા Photograph: ((Express photo by Akash Patil))

પુણે પ્રશાંત જગતાપ સમાચાર અપડેટ: પુણેના પૂર્વ મેયર અને શરદ પવાર જૂથની NCP (SP) ના કદાવર નેતા પ્રશાંત જગતાપે શુક્રવારે સત્તાવાર રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય અટકળોનો અંત આવ્યો છે. મુંબઈમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હર્ષવર્ધન સકપાલની હાજરીમાં તેમણે કોંગ્રેસનો પંજો પકડ્યો હતો.

Advertisment

શા માટે છોડ્યો શરદ પવારનો સાથ?

પ્રશાંત જગતાપે NCP (SP) છોડવા પાછળનું મુખ્ય કારણ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) ની ચૂંટણીમાં અજીત પવારની NCP સાથેના સંભવિત ગઠબંધનને ગણાવ્યું છે. જગતાપ શરૂઆતથી જ આ જોડાણના વિરોધમાં હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ભાજપ, RSS અને કોમી શક્તિઓ સામે લડવા માંગે છે અને તેમના માટે કોંગ્રેસની બિનસાંપ્રદાયિક વિચારધારા શ્રેષ્ઠ વિકલ્પ છે.

"આ લડાઈ વિચારધારાની છે"

કોંગ્રેસમાં જોડાયા બાદ જગતાપે જણાવ્યું હતું કે, "હું છત્રપતિ શિવાજી મહારાજ, શાહુ મહારાજ, જ્યોતિરાવ ફૂલે, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુની વિચારધારાને આગળ વધારવા માટે કોંગ્રેસમાં જોડાયો છું. મારો મારા પૂર્વ નેતાઓ (શરદ પવાર) સામે કોઈ વિરોધ નથી, પણ મારી લડાઈ ભાજપ અને RSS સામે છે."

PMC ચૂંટણી 2026 પર અસર

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ 15 જાન્યુઆરી ના રોજ યોજાવાની છે. 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું હતું અને તેને માત્ર 9 બેઠકો મળી હતી. આવા સમયે પ્રશાંત જગતાપ જેવા અનુભવી નેતાના આગમનથી કોંગ્રેસને નવી આશા જાગી છે. જગતાપ બે વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે અને પુણેના મેયર તરીકે પણ સેવા આપી છે.

Advertisment

આ પણ વાંચો -  ઓડિશાના કંધમાલમાં એક કરોડનો ઇનામી રકમ વાળો નક્સલી ગણેશ ઉઇકે ઠાર

પક્ષમાં આંતરિક ગણગણાટ

જોકે, પ્રશાંત જગતાપના આગમનથી પુણે કોંગ્રેસનો એક વર્ગ નારાજ પણ દેખાઈ રહ્યો છે. સ્થાનિક નેતાઓનું માનવું છે કે જગતાપે હવે પક્ષના નેતૃત્વના નિર્ણયોનું પાલન કરવું પડશે અને પોતાના વ્યક્તિગત હિતોને બાજુ પર રાખવા પડશે. બીજી તરફ, શિવસેના (UBT) એ પણ જગતાપને આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમણે કોંગ્રેસ પર પસંદગી ઉતારી છે.

શરદ પવાર મહારાષ્ટ્ર દેશ