/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Rajnath-Singh.jpg)
Rajnath Singh : દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (તસવીર: ajnathsingh/X)
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો અને શોકનું વાતાવરણ છે. દરમિયાન આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ત્રણેય સેનાના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ પછી સંરક્ષણ મંત્રીએ વાયુસેનાના એક કાર્યક્રમમાં હાજરી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે પહેલગામમાં ધર્મને નિશાન બનાવતા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલામાં આપણા દેશે ઘણા નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે. આ અત્યંત અમાનવીય કૃત્યએ આપણને બધાને ઊંડા દુઃખ અને પીડામાં ડુબાડી દીધા છે.
રાજનાથ સિંહે કહ્યું કે ભારત એટલી જૂની સભ્યતા અને એટલો મોટો દેશ છે કે તેને આવી કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિઓથી ડરાવી શકાય નહીં. આવા કૃત્યો માટે જવાબદાર લોકોને નજીકના ભવિષ્યમાં કડક પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે આતંકવાદીઓને એવો જવાબ મળશે કે દુનિયા જોશે. તેમણે કહ્યું કે અમે કાવતરાખોરોના તળિયે પહોંચીશું અને નાપાક કાવતરું ઘડનારાઓને બક્ષીશું નહીં. અમે કડક જવાબ આપીશું અને કોઈ પણ ગુનેગારને છોડીશું નહીં.
आतंकवाद के ख़िलाफ़ हमारी zero tolerance की policy है। भारत का एक-एक नागरिक, इस कायरतापूर्ण हरकत के ख़िलाफ़ एकजुट है।
हम सिर्फ़ उन्हीं लोगों तक नहीं पहुँचेंगे, जिन्होंने इस घटना को अंजाम दिया हैI हम उन तक भी पहुँचेंगे, जिन्होंने परदे के पीछे बैठकर, हिंदुस्तान की सरजमीं पर ऐसी… pic.twitter.com/8HJbDxeRbU— Rajnath Singh (@rajnathsingh) April 23, 2025
આ પણ વાંચો: પહેલગામ હુમલા પર જૈન ધર્મગુરુએ કહ્યું- ભગવાન મહાવીરે કહ્યું છે કે ડર્યા વિના…
આ દરમિયાન સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હું એવા તમામ પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. આ દુઃખદ સમયમાં હું ભગવાનને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરું છું.
રાજનાથ સિંહે કહ્યું કે હું ભારતના દૃઢ નિશ્ચયને દોહરાવવા માંગુ છું કે આતંકવાદ સામે આપણી પાસે શૂન્ય સહિષ્ણુતાની નીતિ છે, ભારતનો દરેક નાગરિક આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે એકજૂથ છે. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર જરૂરી અને યોગ્ય દરેક પગલું ભરશે. અમે ફક્ત આ ઘટનાને અંજામ આપનારાઓ સુધી જ નહીં, પરંતુ પડદા પાછળ બેસીને ભારતીય ધરતી પર આવા નાપાક કૃત્યો કરવાનું કાવતરું ઘડનારાઓ સુધી પણ પહોંચીશું.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us