પહેલગામ હુમલાના આરોપીઓના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટની માંગ કરતી NIA ની અરજી જમ્મુની ખાસ કોર્ટે ફગાવી

જમ્મુની એક ખાસ કોર્ટે પહેલગામ આતંકવાદી હુમલાના સંબંધમાં ધરપકડ કરાયેલા બે વ્યક્તિઓના પોલીગ્રાફ અને નાર્કો વિશ્લેષણ પરીક્ષણની માંગ કરતી NIA ની અરજી ફગાવી દીધી છે

Written by Rakesh Parmar
September 11, 2025 20:39 IST
પહેલગામ હુમલાના આરોપીઓના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટની માંગ કરતી NIA ની અરજી જમ્મુની ખાસ કોર્ટે ફગાવી
હુમલા પછી પહેલગામ બજારનો ફોટો (File Photo - Express/Shuaib Masoodi)

જમ્મુની એક ખાસ કોર્ટે પહેલગામ આતંકવાદી હુમલાના સંબંધમાં ધરપકડ કરાયેલા બે વ્યક્તિઓના પોલીગ્રાફ અને નાર્કો વિશ્લેષણ પરીક્ષણની માંગ કરતી NIA ની અરજી ફગાવી દીધી છે, અને કહ્યું છે કે “વૈજ્ઞાનિક તકનીકો” પોતાની વિરુદ્ધ પુરાવા આપવાથી દૂર રહેવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.

NIA એ કોર્ટને જાણ કરી હતી કે આરોપીઓએ પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે બંને પરીક્ષણો માટે પોતાની સંમતિ આપી હતી. 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાના પાંચ દિવસ પછી કેન્દ્રીય એજન્સીએ આ કેસમાં તપાસ સંભાળી હતી, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. જોકે આરોપી બશીર અહમદ જોતાદ અને પરવેઝ અહમદે NIA ના દાવાને નકારી કાઢ્યો હતો. આતંકવાદીઓને આશ્રય આપવાના આરોપસર 26 જૂને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે તેના છ પાનાના આદેશમાં કહ્યું, “આજે બંને આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા… બંને આરોપીઓએ ખુલ્લી કોર્ટમાં જણાવ્યું છે કે તેઓ પોલીગ્રાફ અથવા નાર્કો વિશ્લેષણ પરીક્ષણ કરાવવા તૈયાર નથી.”

29 ઓગસ્ટે કોર્ટે શું આદેશ આપ્યો?

કોર્ટે 29 ઓગસ્ટના રોજ એક આદેશ આપ્યો હતો, જેની વિગતો હવે સામે આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે NIAના મુખ્ય તપાસ અધિકારીએ બંનેના ‘પોલીગ્રાફ ટેસ્ટ’ અને ‘નાર્કો એનાલિસિસ’ કરવા માટે કોર્ટ પાસેથી પરવાનગી માંગી છે. બચાવ પક્ષના વકીલે NIAના એ દાવાને પણ નકારી કાઢ્યો કે જોતાદ અને અહેમદે સ્વેચ્છાએ પરીક્ષણો માટે સંમતિ આપી હતી.

આ પણ વાંચો: છત્તીસગઢના ગારિયાબંદમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 10 નક્સલીઓના મોતના અહેવાલ

તેમણે NIAની અરજીને ફગાવી દેવાની માંગ કરી કારણ કે NIAએ કસ્ટડીમાં રહેલા આરોપીઓ પાસેથી સ્વૈચ્છિક સંમતિનું નિવેદન લીધું નથી. કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ પર તેની ઇચ્છા વિરુદ્ધ નાર્કો-એનાલિસિસ, પોલીગ્રાફ ટેસ્ટ જેવી વૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરવાથી બંધારણમાં આપેલા પોતાના વિરુદ્ધ પુરાવા આપવાનું ટાળવાના અધિકારનું ઉલ્લંઘન થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ