સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા, શપથ લઇને રચ્યો ઇતિહાસ

Sunetra Pawar Oath Ceremony Updates: મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવારને NCP ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા

Sunetra Pawar Oath Ceremony Updates: મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવારને NCP ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા

author-image
Ashish Goyal
New Update
Sunetra Pawar  Deputy CM of Maharashtra

સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા Photograph: (સોશિયલ મીડિયા)

Sunetra Pawar Oath Ceremony Updates: મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવારને NCP ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પછી તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તે રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે.

Advertisment

સુનેત્રા પવાર હાલમાં રાજ્યસભાના સભ્ય છે

અજિત પવાર અને અન્ય ચાર લોકોનું બુધવારે સવારે બારામતી જતી વખતે વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હતા અને NCPમાં તૂટ પડ્યા બાદ NCPના વડા બન્યા હતા. સુનેત્રા પવાર છેલ્લી લોકસભા ચૂંટણી બારામતીથી લડ્યા હતા પરંતુ સુપ્રિયા સુલે સામે હારી ગયા હતા. સુનેત્રા હાલમાં રાજ્યસભાના સભ્ય છે અને ભવિષ્યમાં અજિત પવારની ખાલી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી પણ લડી શકે છે.

મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે શનિવારે સુનેત્રા પવારના નાયબ મુખ્યમંત્રી બનવાની શક્યતાનું સ્વાગત કરતા કહ્યું હતું કે તે એક સારો નિર્ણય હતો અને NCP વડા અજિત પવારના અચાનક અવસાન પછી લોકો પણ આ જ ઇચ્છતા હતા. પત્રકારો સાથે વાત કરતા ભુજબળે કહ્યું કે આ સારું છે. લોકો આ જ ઇચ્છે છે અને અમારા ધારાસભ્યો પણ આ જ માંગણી કરી રહ્યા છે. તે બિલકુલ યોગ્ય છે. વર્તમાન પરિસ્થિતિઓમાં સુનેત્રા તાઈ જ ધારાસભ્ય દળના નેતા અને નાયબ મુખ્યમંત્રી હોવા જોઈએ.

Advertisment

શરદ પવારે કહ્યું - મને કોઇ માહિતી નથી

બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના પ્રમુખ અને અજિત પવારના કાકા શરદ પવારે કહ્યું કે તેમને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદ માટે NCP સાંસદ સુનેત્રા પવારના નામ પર વિચારણા કરવામાં આવી રહી છે તે અંગે કોઈ માહિતી નથી.

આ પણ વાંચો - અજિત પવારના નિધન પછી એનસીપીના આગામી પ્રમુખ કોણ, જાણો કોની દાવેદારી છે મજબૂત?

તેમણે કહ્યું કે મને આ વિશે કોઈ માહિતી નથી. તેમના પક્ષે નિર્ણય લીધો હશે. મેં આજે અખબારમાં જોયું કે પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે જેવા કેટલાક નામ છે જેમણે કેટલાક નિર્ણયો લેવાની પહેલ કરી છે.

દેશ મહારાષ્ટ્ર અજિત પવાર શરદ પવાર