‘આ ભાજપની તાકાત છે, અહીં દરેક કાર્યકર્તા છે..’, રવિ કિશને બતાવ્યું – NDA વર્કશોપમાં છેલ્લી લાઈનમાં બેઠા PM મોદી

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા NDA સાંસદો માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસદો માટે આયોજિત વર્કશોપમાં પાછળની સીટ પર બેઠા હતા.

Written by Rakesh Parmar
September 07, 2025 18:26 IST
‘આ ભાજપની તાકાત છે, અહીં દરેક કાર્યકર્તા છે..’, રવિ કિશને બતાવ્યું – NDA વર્કશોપમાં છેલ્લી લાઈનમાં બેઠા PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસદો માટે આયોજિત વર્કશોપમાં પાછળની સીટ પર બેઠા હતા. (તસવીર: X)

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા NDA સાંસદો માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસદો માટે આયોજિત વર્કશોપમાં પાછળની સીટ પર બેઠા હતા. સાંસદ અને અભિનેતા રવિ કિશને રવિવારે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા NDA સાંસદો માટે આયોજિત બે દિવસીય વર્કશોપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લી હરોળમાં બેઠા છે તે પાર્ટીની તાકાતનું પ્રતીક છે.

સંગઠનમાં દરેક કાર્યકર્તા છે – રવિ કિશન

રવિ કિશને એક્સ પર આ કાર્યક્રમની તસવીર શેર કરી છે. તસવીરમાં પ્રધાનમંત્રી મોદી પણ જોવા મળી રહ્યા છે. રવિ કિશને લખ્યું, “NDA સાંસદોની વર્કશોપમાં છેલ્લી હરોળમાં બેઠા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ભાજપની તાકાત છે. અહીં સંગઠનમાં દરેક કાર્યકર્તા છે.” તસવીરમાં પ્રધાનમંત્રી મોદી અન્ય ભાજપના સભ્યો સાથે વર્કશોપમાં એક હરોળમાં બેઠા જોવા મળી રહ્યા છે.

NDTV એ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ભાજપના સાંસદોએ ગુડ્સ એન્ડ સર્વિસીસ (GST) માં સુધારા માટે વડા પ્રધાન મોદીનું પણ સન્માન કર્યું હતું. PTI એ શનિવારે અહેવાલ આપ્યો હતો કે રવિવારથી શરૂ થયેલી પાર્ટીની બે દિવસીય વર્કશોપમાં તેના ઇતિહાસ અને વિકાસ પર અનેક સત્રોનો સમાવેશ થાય છે. આ સાથે સાંસદો માટે કાર્યક્ષમતા વધારવાના પાઠ પણ શામેલ છે.

આ પણ વાંચો: ગુજરાતના આ ખાસ શિક્ષકોને મળશે ઈનામ, જીવનભર કરી શકશે બસમાં મફત મુસાફરી

વર્કશોપનો પહેલો દિવસ બે મુખ્ય ક્ષેત્રો પર કેન્દ્રિત હતો. પહેલો ‘2027 સુધીમાં વિકસિત ભારત તરફ’ અને બીજો ‘સાંસદો દ્વારા સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ’ છે. વર્કશોપનો બીજો દિવસ મંગળવાર 9 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ચૂંટણી કેમ યોજાઈ રહી છે?

21 જુલાઈના રોજ જગદીપ ધનખરે અચાનક સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું. તે પછી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની જરૂર પડી. ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત કર્યા છે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા એલાયન્સે ભૂતપૂર્વ ન્યાયાધીશ સુદર્શન રેડ્ડીને નામાંકિત કર્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ