Pahalgam Attack: પહેલગામ હુમલામાં 26 લોકોના મોત, આ કુખ્યાત આતંકી સંગઠને લીધી જવાબદારી

TRF એક આતંકવાદી સંગઠન છે જે 2019 માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી ઉભરી આવ્યું હતું. આ એક રીતે પાકિસ્તાન સમર્થિત જેહાદી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું બીજું નામ છે.

Written by Rakesh Parmar
Updated : April 23, 2025 14:06 IST
Pahalgam Attack: પહેલગામ હુમલામાં 26 લોકોના મોત, આ કુખ્યાત આતંકી સંગઠને લીધી જવાબદારી
આ ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 20 પ્રવાસીઓના મોત થયા હોવાની આશંકા છે. (તસવીર: Express Photo)

Pahalgam Terror Attack: મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ આ સુંદર પર્યટન સ્થળની શાંતિને ભંગ કરી દીધી છે. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી લીધી છે. અહેવાલો અનુસાર, આ ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 પ્રવાસીઓના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હુમલા દરમિયાન, આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનું નામ અને ધર્મ પૂછ્યું અને પછી ગોળીબાર કર્યો, જેના કારણે આ ઘટના અંગે ચિંતા વધુ વધી ગઈ છે.

પ્રત્યક્ષદર્શીનું ચોંકાવનારું નિવેદન

હુમલાને જોનાર એક મહિલા પ્રવાસીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પહેલા લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યું અને પછી ગોળીબાર શરૂ કરી દીધો હતો. પીસીઆર કોલ પર મહિલાએ રડતા રડતા કહ્યું, ‘હું ત્યાં ભેલપુરી ખાતી હતી, મારા પતિ નજીકમાં હતા.’ એક આતંકવાદી આવ્યો, તેણે મારા હાથમાં બંગડીઓ જોઈ અને મારા પતિને તેના ધર્મ વિશે પૂછ્યું. પછી તેને ગોળી મારી.

મહિલાએ જણાવ્યું કે આતંકવાદીઓએ 3 થી 5 મિનિટ સુધી ગોળીબાર કર્યો અને પછી ભાગી ગયા. મળતી માહિતી મુજબ, આ હુમલો પહેલગામના વિસ્તારમાં થયો હતો જ્યાં પ્રવાસીઓ ઘણીવાર ટ્રેકિંગ અને અન્ય પ્રવૃત્તિઓ માટે આવે છે. આતંકવાદીઓએ અચાનક પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો.

સુરક્ષા દળો દ્વારા ઝડપી કાર્યવાહી શરૂ

હુમલા બાદ ભારતીય સેનાની વિક્ટર ફોર્સ, સ્પેશિયલ ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને CRPF એ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

આતંકવાદીઓની શોધમાં આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સુરક્ષા દળો તેમને પકડવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. લશ્કર-એ-તૈયબાના સહયોગી TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. તમને જણાવી દઈએ કે આ સંગઠન તાજેતરના વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં ઘણી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યું છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો, ત્રણ ગુજરાતી ઈજાગ્રસ્ત

TRF શું છે? તે કેવી રીતે કામ કરે છે?

TRF એક આતંકવાદી સંગઠન છે જે 2019 માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી ઉભરી આવ્યું હતું. આ એક રીતે પાકિસ્તાન સમર્થિત જેહાદી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું બીજું નામ છે.

TRF એ વારંવાર નાગરિકો પર હુમલો કર્યો છે, ખાસ કરીને કાશ્મીરી પંડિતો જેવા લઘુમતી સમુદાયોના સભ્યો, સરકારી કર્મચારીઓ અને પ્રવાસીઓ પર. આ સંગઠન ભારતીય સુરક્ષા દળો પર પણ હુમલો કરે છે. TRF બિન-ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરીને પોતાને ધર્મનિરપેક્ષ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનો હેતુ કાશ્મીરમાં આતંક ફેલાવવાનો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ