/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Udaygiri-Himgiri-Ships.jpg)
આજે ઉદયગિરી અને હિમગિરી જહાજોને વિશાખાપટ્ટનમના બેઝ પર નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા છે. (તસવીર: X)
Udaygiri-Himgiri New Ships: ભારત પોતાના દેશની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સમયાંતરે ઘણા ફેરફારો કરી રહ્યું છે. ભારતીય સેનાને દુશ્મન સામે લડવા માટે સક્ષમ બનાવવા માટે નવી ટેકનોલોજીથી સજ્જ શસ્ત્રો તેમને રક્ષણાત્મક કવચ તરીકે આપવામાં આવે છે. હવે ભારતીય નૌકાદળની તાકાત પણ વધવાની છે. આજે બપોરે 2.45 વાગ્યે 2 નૌકાદળના જહાજો ઉદયગિરી અને હિમગિરી ભારતીય નૌકાદળના કાફલામાં જોડાય ગયા છે. જાણો ભારતના આ જહાજો ચીન અને પાકિસ્તાન સામે કેવી રીતે રક્ષણ કરશે? તેમના નામ પાછળની વાર્તા શું છે?
ઉદયગિરી અને હિમગિરી જહાજો
હિંદ મહાસાગરમાં ભારતની શક્તિ વધુ વધવાની છે. આજે ઉદયગિરી અને હિમગિરી જહાજોને વિશાખાપટ્ટનમના બેઝ પર નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે રાજનાથ સિંહ હાજર રહ્યા હતા. ઉદયગિરી અને હિમગિરી પ્રોજેક્ટ 17 (શિવાલિક) વર્ગના ફ્રિગેટ્સના ફોલો-અપ જહાજો છે. તેમના શસ્ત્રો, સ્ટીલ્થ અને સેન્સર સિસ્ટમમાં ફેરફારો કરવામાં આવ્યા છે. ઉદયગિરીનું નિર્માણ માઝગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યાં જ હિમગિરી ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
#WATCH | Andhra Pradesh: Indian Navy releases a video on the warship Himgiri, which would be commissioned into the force today in Visakhapatnam.
(Source: Indian Navy) pic.twitter.com/fTtcR1dQIm— ANI (@ANI) August 26, 2025
આ જહાજોમાં શું ખાસ છે?
આ જહાજો દુશ્મનનો સામનો કરવા માટે ઘણી ખાસ ટેકનોલોજી સાથે બનાવવામાં આવ્યા છે. આ જહાજોમાં ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલી રડાર સિસ્ટમ છે. તેમાં 76 મીમી ઇટાલિયન તોપ છે, જે ભારતમાં જ બનાવવામાં આવી છે. આ ઉપરાંત તેમાં જમીન પરથી જ દુશ્મનને મારવા માટે મિસાઇલો છે. આ 70 કિલોમીટરથી વધુ દૂરના લક્ષ્યને જોઈ શકે છે અને હુમલો કરવામાં સક્ષમ છે. અહેવાલો અનુસાર તેમાં કુલ 16 લોન્ચર સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: હવે દારૂની દુકાનો પર રોકડાને બદલે ફક્ત ઓનલાઈન પેમેન્ટ જ થશે, ભાજપ શાસિત રાજ્યમાં નિર્ણય લાગુ
આ ઉપરાંત 8 બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે સબમરીનને નિશાન બનાવવા માટે RBU-6000 રોકેટ લોન્ચર પણ છે. તમને જણાવી દઈએ કે ઉદયગીરીને તેના વર્ગનું સૌથી ઝડપી જહાજ હોવાનું ગૌરવ મળ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us