યૂજીસી વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

UGC Controversy: યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)ના નવા નિયમને લઈને દેશભરમાં વિવાદ થયો છે. દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને યુજીસી 2026 ના નવા નિયમોને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે

UGC Controversy: યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)ના નવા નિયમને લઈને દેશભરમાં વિવાદ થયો છે. દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને યુજીસી 2026 ના નવા નિયમોને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે

author-image
Ashish Goyal
New Update
Dharmendra Pradhan

કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન Photograph: (સોશિયલ મીડિયા)

UGC Controversy :  યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)ના નવા નિયમને લઈને દેશભરમાં વિવાદ થયો છે. દેશનો એક વર્ગ આ નવા નિયમનો વિરોધ કરી રહ્યો છે. આ અંગે દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓ સરકારને આ નવો નિયમ પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. ભાજપના કેટલાક નેતાઓ પણ કેન્દ્ર સરકારના આ નિર્ણયની વિરુદ્ધ ખુલ્લેઆમ સામે આવ્યા છે.

Advertisment

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શું કહ્યું

આ બધાની વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને યુજીસી 2026 ના નવા નિયમો વિશે ઉઠાવવામાં આવી રહેલી ચિંતાઓને દૂર કરતા કહ્યું છે હું દરેકને ખાતરી આપું છું કે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં અને કોઈ પણ આ કાયદાનો દુરુપયોગ કરી શકશે નહીં. યુજીસી, ભારત સરકાર અને રાજ્ય સરકારની જવાબદારી રહેશે, જે કંઈ પણ થશે તે બંધારણના દાયરામાં રહેશે. જે વિષય આવ્યો છે તે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં એક વ્યવસ્થા છે. તેમણે કહ્યું કે હું તમને ફરીથી ખાતરી આપું છું કે કોઈની સાથે અત્યાચાર કે ભેદભાવ નહીં થાય.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નિયમોનો હેતુ ઉચ્ચ શિક્ષણમાં નિષ્પક્ષતા અને સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે અને શૈક્ષણિક સંસ્થાઓને તેને જવાબદારીપૂર્વક લાગુ કરવા વિનંતી કરી હતી. નવા નિયમો અંગે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને ચર્ચાઓ વચ્ચે તેમની આ ટિપ્પણી આવી છે. જેમાં સમર્થક અને વિરોધી બંને પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે.

શું છે યુજીસીનો નવો નિયમ?

યુજીસીના નવા નિયમો અનુસાર હવે સરકારી કોલેજ હોય કે ખાનગી યુનિવર્સિટી દરેક જગ્યાએ 'ઇક્વિટી સેલ' બનાવવું જરૂરી બની જશે. આ સેલ એક પ્રકારની તપાસ સમિતિની જેમ કામ કરશે. જો કોઈ વિદ્યાર્થીને લાગે કે તેની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે, તો તે અહીં જઈને ફરિયાદ નોંધાવી શકે છે. સમિતિની ભલામણ પર સંસ્થાએ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે.

Advertisment

13 જાન્યુઆરીએ યુજીસીએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્સચેન્જ 2026 જાહેર કર્યું હતું, જેનો હેતુ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતા વધારવાનો છે જેથી કોઈપણ વર્ગના વિદ્યાર્થીઓ સામે ભેદભાવ અટકાવી શકાય.

તેનો ઉદ્દેશ્ય ધર્મ, નસ્લ, જાતિ, લિંગ, જન્મસ્થળ, દિવ્યાંગતાના આધારે વિદ્યાર્થીઓ સાથેના ભેદભાવને દૂર કરવાનો છે અને ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગો, દિવ્યાંગો અને આમાંના કોઈપણ વર્ગના સભ્યો પ્રત્યેના ભેદભાવને દૂર કરવાનો છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપી શકાય છે. તેના અનુસાર જાતિ આધારિત ભેદભાવનો અર્થ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના સભ્યો સાથે માત્ર જાતિ અથવા સમુદાયના આધારે ભેદભાવ છે.

વિવાદનું કારણ શું છે?

આ વિવાદનું મૂળ કારણ અન્ય પછાત વર્ગો (ઓબીસી)ને જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યામાં સામેલ કરવાનું છે. આ પહેલા ડ્રાફ્ટમાં જાતિના ભેદભાવથી સુરક્ષાના દાયરામાં માત્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને જ સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમાં ઓબીસીને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેનો ઘણા સ્થળોએ કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો - જ્યારે ભારત સફળ થાય છે ત્યારે વિશ્વ અધિક સ્થિર, સમદ્ધ થાય છે, EU અધ્યક્ષે ગણાવ્યા ફ્રી ટ્રેડ ડીલના ફાયદા

આ નોટિફિકેશનનો વિરોધ કરનારાઓની દલીલ છે કે તે સામાન્ય વર્ગની વિરુદ્ધ છે. કારણ કે આમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ સામે ખોટા આક્ષેપો કરી શકાય છે, જે તેમની કારકિર્દી માટે ઘાતક સાબિત થઈ શકે છે. નોટિફિકેશન અનુસાર, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવને દૂર કરવા માટે એક ઇક્વિટી કમિટી (સમતા સમિતિ) બનાવવામાં આવશે, જેમાં ઓબીસી, દિવ્યાંગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ.

ભાજપ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ શ્યામ સુંદર ત્રિપાઠીએ યુજીસી વિવાદને લઈને સલોનન વિસ્તારમાં તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્રિપાઠીએ યુજીસીને લગતા મુદ્દે અસંતોષ વ્યક્ત કરીને રાજીનામું આપ્યું છે. તેમના આ પગલાએ સ્થાનિક રાજકીય વર્તુળોમાં અટકળો અને ચર્ચાઓ શરૂ કરી છે, પાર્ટીએ હજી સુધી રાજીનામા અંગે સત્તાવાર પ્રતિસાદ જારી કર્યો નથી.

કેન્દ્ર સરકાર દેશ