રાજનાથ સિંહે હનુમાનજીના સિદ્ધાંતનો ઉલ્લેખ કરતા કહ્યું- ‘જિન મોહી મારા તિન મોહી મારે’

Rajnath Singh on Operation Sindoor: રાજનાથ સિંહે કહ્યું કે આપણી સેના, હનુમાનજીના સિદ્ધાંતોનું પાલન કરીને ફક્ત તે લોકોને જ નિશાન બનાવે છે જેમણે ભારતના નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા હતા.

Written by Rakesh Parmar
May 07, 2025 18:03 IST
રાજનાથ સિંહે હનુમાનજીના સિદ્ધાંતનો ઉલ્લેખ કરતા કહ્યું- ‘જિન મોહી મારા તિન મોહી મારે’
રાજનાથ સિંહનું ઓપરેશન સિંદૂર પર મોટું નિવેદન (તસવીર:X)

Rajnath Singh on Operation Sindoor: કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પર મોટું નિવેદન આપ્યું છે. બુધવારે સાંજે એક કાર્યક્રમમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું કે આપણી સેના, હનુમાનજીના સિદ્ધાંતોનું પાલન કરીને ફક્ત તે લોકોને જ નિશાન બનાવે છે જેમણે ભારતના નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા હતા.

રાજનાથ સિંહે કહ્યું, “આજે આપણા વડા પ્રધાનના માર્ગદર્શન હેઠળ, આપણી ભારતીય સેનાએ આપણા બધા દેશવાસીઓનું મનોબળ વધાર્યું છે. ગઈકાલે રાત્રે આપણી ભારતીય સેનાએ પોતાની અદ્ભુત હિંમત અને બહાદુરી દર્શાવીને એક નવો ઇતિહાસ રચ્યો છે. ભારતીય સેનાએ ચોકસાઈ, સતર્કતા અને સંવેદનશીલતા સાથે કાર્ય કર્યું. અમે જે લક્ષ્યો નક્કી કર્યા હતા તે યોજના અનુસાર, યોગ્ય સમયે ચોકસાઈથી નાશ પામ્યા. આપણી સેનાએ કોઈપણ નાગરિક સ્થાન અથવા નાગરિક વસ્તીને બિલકુલ અસર ન થવા દેવાની સંવેદનશીલતા પણ દર્શાવી છે.”

આ પણ વાંચો: ભારત અને પાકિસ્તા પાસે કઈ કઈ મિસાઈલો, કોનું પલડું ભારે

સંરક્ષણ પ્રધાને વધુમાં કહ્યું, “આપણી ભારતીય સેનાએ એક પ્રકારની માનવતા, સતર્કતા અને ચોકસાઈ દર્શાવી છે. આ માટે હું સમગ્ર દેશ વતી ભારતીય સેનાના સૈનિકો અને અધિકારીઓને અભિનંદન આપું છું અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સેનાને સંપૂર્ણ સમર્થન આપવા બદલ અભિનંદન આપું છું.”

અશોક વાટિકા અને ભગવાન હનુમાનનો ઉલ્લેખ

રાજનાથ સિંહે વધુમાં કહ્યું, “અમે હનુમાનજીના આદર્શનું પાલન કર્યું છે, જે તેમણે અશોક વાટિકાનો નાશ કરતી વખતે કહ્યું હતું – ‘જિન મોહી મારા તિન મોહી મારે’ – અમે ફક્ત તે લોકોને જ માર્યા જેમણે આપણા નિર્દોષ લોકોને માર્યા. અમારી સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કરીને અને પહેલાની જેમ આતંકવાદીઓને તાલીમ આપતા કેમ્પોનો નાશ કરીને યોગ્ય જવાબ આપ્યો છે. ભારતે તેની ધરતી પર હુમલાનો જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. અમારી કાર્યવાહી ખૂબ જ વિચારપૂર્વક અને માપદંડથી કરવામાં આવી છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ