Bangladesh News: બાંગ્લાદેશમાં મહિલા પત્રકાર પર ભારતની એજન્ટ હોવાના આરોપ બાદ ટોળાએ બંધક બનાવી

Munni Saha Dhaka News: રાજકીય અસ્થિરતા અને અરાજકતાનો સામનો કરી રહેલા બાંગ્લાદેશથી વધુ એક ડરામણા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશમાં એક મહિલા પત્રકારને ટોળાએ ઘેરીને બંધક બનાવી હતી. આ ઘટના શનિવારે સાંજે રાજધાની ઢાકામાં બની હતી.

Munni Saha Dhaka News: રાજકીય અસ્થિરતા અને અરાજકતાનો સામનો કરી રહેલા બાંગ્લાદેશથી વધુ એક ડરામણા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશમાં એક મહિલા પત્રકારને ટોળાએ ઘેરીને બંધક બનાવી હતી. આ ઘટના શનિવારે સાંજે રાજધાની ઢાકામાં બની હતી.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Bangladeshi journalist Munni Saha attacked in Dhaka

મુન્ની સાહા પર ખોટી માહિતી ફેલાવવાનો અને બાંગ્લાદેશને ભારતનો ભાગ બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. (તસવીર: વીડિયો સ્ક્રિન ગ્રૈબ)

Munni Saha Dhaka News: રાજકીય અસ્થિરતા અને અરાજકતાનો સામનો કરી રહેલા બાંગ્લાદેશથી વધુ એક ડરામણા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશમાં એક મહિલા પત્રકારને ટોળાએ ઘેરીને બંધક બનાવી હતી. આ ઘટના શનિવારે સાંજે રાજધાની ઢાકામાં બની હતી. મહિલા પત્રકારનું નામ મુન્ની સાહા છે. તેમના પર ભારતની એજન્ટ અને દેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના સમર્થક હોવાનો આરોપ હતો.

Advertisment

તમને જણાવી દઈએ કે આ વર્ષના ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશમાં રાજકીય પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ ગઈ હતી અને તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો હતો. તાજેતરના દિવસોમાં બાંગ્લાદેશમાં પણ હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે.

જ્યારે આ ઘટના બની ત્યારે વરિષ્ઠ પત્રકાર મુન્ની સાહા એક મીડિયા ઓફિસમાંથી બહાર આવીને કારમાં જઈ રહ્યા હતા. પરંતુ ત્યારબાદ ટોળાએ તેમની કારને ઘેરી લીધી હતી અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેમના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા.

મુન્ની સાહા પર ખોટી માહિતી ફેલાવવાનો અને બાંગ્લાદેશને ભારતનો ભાગ બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો.

Advertisment

પોલીસે પત્રકારને ટોળાથી બચાવ્યા

સ્થિતિ વણસતી જોઈને ઢાકા મેટ્રોપોલિટન પોલીસે આ મામલે દરમિયાનગીરી કરવી પડી હતી. મહિલા પત્રકારની કારને પોલીસ રક્ષણ હેઠળ લાવવામાં આવી હતી. આ દરમિયાન ભીડ તેમના વિરુદ્ધ નારા લગાવતી રહી હતી. પોલીસ દ્વારા પત્રકારની ધરપકડ કરવામાં આવી હોવાના પણ અહેવાલ હતા.

આ પણ વાંચો: ફજેતી બાદ રેલવેનો મોટો નિર્ણય, હવે જાણો એક મહિનામાં કેટલી વાર ધાબળા ધોવાશે

પોલીસે આ કેસમાં સ્પષ્ટતા કરી છે કે પત્રકારની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે કહ્યું છે કે આ ઘટના દરમિયાન પત્રકાર ગભરાય ગયા હતા અને તેઓ બીમાર પડી ગયા હતા.

પોલીસે કહ્યું છે કે મુન્ની સાહા વિરુદ્ધ ચાર કેસ પેન્ડિંગ છે અને જો તે આ કેસોમાં જામીન ઈચ્છે તો તેણે કોર્ટમાં જવું પડશે. જો કે મહિલા પત્રકારને હેરાન કરનાર લોકો સામે પોલીસે શું કાર્યવાહી કરી તે અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલાની અવારનવાર ઘટનાઓ બની રહી છે અને આ અંગે ભારત દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

હિન્દુ મંદિરો પર હુમલા

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડી ત્યારથી હિન્દુ લઘુમતીઓ પર અત્યાચારની સતત ખબરો આવી રહી છે. આ સાથે જ દેશદ્રોહના આરોપમાં ઈસ્કોન બાંગ્લાદેશ સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને લઈને પણ ભારે તણાવ ચાલી રહ્યો છે. ચિન્મય કૃષ્ણ દાસ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનામાં ઘણા મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. ચિત્તાગોંગમાં શુક્રવારના વિરોધ પ્રદર્શન દરમિયાન કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ મંદિરોમાં ફરી તોડફોડ કરવામાં આવી છે.

bangladesh વિશ્વ દેશ