શું જાણી જોઈને સુનિતા વિલિયમ્સને સ્પેસમાંથી પરત નથી લવાઈ? ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ઘટસ્ફોટ

ટ્રમ્પ અને મસ્કે દાવો કર્યો છે કે નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોરને બિડેન વહીવટીતંત્ર દ્વારા જાણી જોઈને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર છોડી દેવામાં આવ્યા હતા.

Written by Rakesh Parmar
February 19, 2025 17:05 IST
શું જાણી જોઈને સુનિતા વિલિયમ્સને સ્પેસમાંથી પરત નથી લવાઈ? ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ઘટસ્ફોટ
એલોન મસ્કે કહ્યું છે કે તેમના પાછા ફરવામાં વિલંબ પાછળ રાજકીય કારણો હતા. (તસવીર: x)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે બુધવારે ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. ટ્રમ્પ અને મસ્કે દાવો કર્યો છે કે નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોરને બિડેન વહીવટીતંત્ર દ્વારા જાણી જોઈને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર છોડી દેવામાં આવ્યા હતા. મસ્કે કહ્યું છે કે તેમના પાછા ફરવામાં વિલંબ પાછળ રાજકીય કારણો હતા. આ સમય દરમિયાન ટ્રમ્પ અને મસ્કે સુનિતા વિલિયમ્સના પરત ફરવા અંગે અપડેટ પણ આપ્યું છે અને કહ્યું છે કે તેઓ ફસાયેલા મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું, “જો બાઈડેન સુનિતા વિલિયમ્સ સહિત નાસાના અવકાશયાત્રીઓને સ્પેસમાંથી પાછા લાવી રહ્યા ન હતા. આ અંગે એલોન મસ્કે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પાછળ રાજકીય કારણો છે. મસ્કે કહ્યું, “હા, તેમને રાજકીય કારણોસર ત્યાં છોડી દેવામાં આવ્યા હતા, જે યોગ્ય નથી.” અવકાશયાત્રીઓના પાછા ફરવા વિશે પૂછવામાં આવતા એલોન મસ્કે કહ્યું, “રાષ્ટ્રપતિના નિર્દેશ પર અમે તેમના પાછા ફરવાની પ્રક્રિયા ઝડપી બનાવી રહ્યા છીએ.” તે હાસ્યાસ્પદ છે કે તેને અત્યાર સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં આ બજેટ સત્રમાં થઈ શકે છે 10 નવી જાહેરાતો

ટ્રમ્પે દાવો કર્યો હતો કે મસ્કની કંપનીને સુનિતાના વાપસી માટે બાઈડેન વહીવટીતંત્ર તરફથી લીલી ઝંડી મળી ન હતી. તેમણે કહ્યું, “તે (બાઇડન) તેમને અવકાશમાં છોડી જવાના હતા. મને લાગે છે કે તેઓ તેમને સ્પેસમાં છોડી ગયા હોત. શું તમે આ વાત પર વિશ્વાસ પણ કરી શકો છો?” સ્પેસએક્સના સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને પાછા લાવવાના મિશન વિશે પૂછવામાં આવતા મસ્કે કહ્યું, “અમે પહેલા પણ ઘણી વખત સ્પેસ સ્ટેશનથી મુસાફરોને પાછા લાવ્યા છીએ અને હંમેશા સફળ રહ્યા છીએ.” સુનિતા વિલિયમ્સ ક્યારે પરત ફરશે તે અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “મને લાગે છે કે તેમને પાછા લાવવામાં લગભગ ચાર અઠવાડિયા લાગશે.”

આ દરમિયાન નાસાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે બંને અવકાશમાં ફસાયેલા નહોતા અને ન તો તેમને ISS માં છોડી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા 8 મહિનાથી તેમના સાથીદાર બુચ વિલ્મોર સાથે અવકાશમાં અટવાયેલી છે. બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં એક અઠવાડિયાના મિશન પછી તે બંને પૃથ્વી પર પાછા ફરવાના હતા. જોકે વિમાનમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમનું પરત ફરવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું. તેમના પાછા ફરવાની જવાબદારી હવે મસ્કના સ્પેસએક્સને સોંપવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ