Non Veg Milk: નોન વેજ દૂધ એટલે શું? ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલમાં બની રહ્યું છે અડચણ

veg and non veg milk: અમેરિકાનું શાકાહારી અને માંસાહારી દૂધ ડેરી ક્ષેત્ર અંગે વિવાદનો વિષય રહ્યું છે. ભારતમાં માંસાહારી દૂધના વેચાણ અંગે બંને દેશો વચ્ચે કોઈ સર્વસંમતિ નથી. ઘણા લોકોએ પહેલીવાર માંસાહારી દૂધ શબ્દ સાંભળ્યો હશે.

veg and non veg milk: અમેરિકાનું શાકાહારી અને માંસાહારી દૂધ ડેરી ક્ષેત્ર અંગે વિવાદનો વિષય રહ્યું છે. ભારતમાં માંસાહારી દૂધના વેચાણ અંગે બંને દેશો વચ્ચે કોઈ સર્વસંમતિ નથી. ઘણા લોકોએ પહેલીવાર માંસાહારી દૂધ શબ્દ સાંભળ્યો હશે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
non veg milk, what is non veg milk

નોન વેજ દૂધને લઇ ભારત-અમેરિકા વચ્ચે પેચ ફસાયેલો છે. (તસવીર: Jansatta)

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગે ચર્ચા ચાલી રહી છે. 1 ઓગસ્ટ 2025 એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જો ત્યાં સુધીમાં વેપાર કરારને મંજૂરી નહીં મળે તો તે પછી અમેરિકા ભારત પર મનસ્વી ટેરિફ લાદશે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર, વેપાર કરારમાં ડેરી અને કૃષિ ક્ષેત્ર અંગે વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે.

Advertisment

અમેરિકા ડેરી વ્યવસાય માટે ભારતના બજારમાં પ્રવેશ ઇચ્છે છે

અમેરિકા તેના ડેરી વ્યવસાય માટે ભારતના બજારમાં પ્રવેશ ઇચ્છે છે. અમેરિકાનું શાકાહારી અને માંસાહારી દૂધ ડેરી ક્ષેત્ર અંગે વિવાદનો વિષય રહ્યું છે. ભારતમાં માંસાહારી દૂધના વેચાણ અંગે બંને દેશો વચ્ચે કોઈ સર્વસંમતિ નથી. ઘણા લોકોએ પહેલીવાર માંસાહારી દૂધ શબ્દ સાંભળ્યો હશે.

ભારતનું ડેરી ક્ષેત્ર ખૂબ મોટું છે અને આ ક્ષેત્ર હેઠળ 8 કરોડથી વધુ લોકોને રોજગાર મળે છે. આમ તો ભારતમાં દૂધને 100 ટકા શાકાહારી માનવામાં આવે છે, પછી ભલે તે ગાય, ભેંસ કે બકરીનું હોય.

નોન વેજ દૂધ શું છે?

યુએસમાં નોનવેજ દૂધ એ પ્રાણીમાંથી કાઢવામાં આવે છે જેને માંસ અથવા તેની સાથે સંબંધિત કંઈક ખવડાવવામાં આવ્યું હોય તેવું માનવામાં આવે છે. અમેરિકામાં ગાયને એવો ખોરાક આપવાની મંજૂરી છે જેમાં ડુક્કર, માછલી, ચિકન, ઘોડા, બિલાડી અથવા કૂતરાના અંગો શામેલ હોઈ શકે છે. ત્યાં જ પ્રોટીન માટે ડુક્કર અને ઘોડાનું લોહી પણ આપવામાં આવે છે. આવામાં આ પશુઓમાંથી મેળવેલા દૂધને નોન-વેજ દૂધ અથવા માંસાહારી દૂધ કહેવામાં આવે છે.

Advertisment

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી

જોકે આ દૂધ ભારતમાં વેચી શકાતું નથી કારણ કે અહીં ધાર્મિક વિધિઓ માટે પણ દૂધનો ઉપયોગ થાય છે. દૂધને સૌથી પવિત્ર માનવામાં આવે છે અને તેથી જ ભારતમાં પશુઓને શાકાહારી ખોરાક આપવામાં આવે છે. આ કારણોસર દેશ અમેરિકાને ભારતમાં માંસાહારી દૂધ વેચવાની મંજૂરી આપવાનું ટાળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે અમેરિકાને કહ્યું છે કે અમેરિકા ભારતમાં જે પણ દૂધ વેચે છે, તેના પર એવું લખવું જોઈએ કે તે શાકાહારી ચારો ખવડાવવામાં આવતા પશુઓમાંથી આવ્યું છે.

શું ખેડૂતોને નુકસાન થશે?

અમેરિકા એક મુખ્ય ડેરી નિકાસકાર છે અને ભારતીય બજારમાં પ્રવેશ ઇચ્છે છે, જે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક અને ગ્રાહક છે. આ સાથે સંમત થવાનો અર્થ સસ્તા યુએસ ડેરી ઉત્પાદનોનો પ્રવેશ થશે, જેનાથી સ્થાનિક ભાવ ઘટશે અને ખેડૂતોની આર્થિક સ્થિરતા જોખમમાં મુકાશે. મહારાષ્ટ્રના ખેડૂત મહેશ સકુંડેએ રોઇટર્સને જણાવ્યું, "સરકારે ખાતરી કરવી પડશે કે અન્ય દેશોમાંથી થતી સસ્તી આયાતથી આપણને અસર ન થાય. જો આવું થશે તો સમગ્ર ઉદ્યોગને નુકસાન થશે અને આપણા જેવા ખેડૂતોને પણ નુકસાન થશે."

એએનઆઈના અહેવાલ મુજબ, SBIનો અંદાજ છે કે જો ભારત અમેરિકા માટે પોતાનું બજાર ખોલશે, તો તેને વાર્ષિક રૂ. 1.03 લાખ કરોડનું નુકસાન થશે. ભારતના પશુપાલન અને ડેરી વિભાગ ખાદ્ય આયાત માટે પશુચિકિત્સા પ્રમાણપત્ર ફરજિયાત કરે છે, જે ખાતરી કરે છે કે ઉત્પાદનો એવા પ્રાણીઓમાંથી છે જેમને ગૌવંશનો ચારો ખવરાવવામાં આવ્યો નથી. અમેરિકાએ વિશ્વ વેપાર સંગઠનમાં આની ટીકા કરી છે.

અમેરિકા ટ્રેન્ડિંગ ન્યૂઝ india દેશ