Maharashtra CM News: મોદી સરકારના મંત્રીએ કહી દીધુ એકનાથ શિંદે નારાજ છે કે નહીં, ફડણવીસને લઈ કહી મોટી વાત

Devendra Fadnavis Maharashtra CM 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જંગી બહુમતી મળ્યા બાદ પણ હજુ સુધી એ નક્કી નથી થયું કે મુખ્યમંત્રી કોણ બનશે? આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગીની ચર્ચાઓ પણ જોરમાં છે.

Devendra Fadnavis Maharashtra CM 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જંગી બહુમતી મળ્યા બાદ પણ હજુ સુધી એ નક્કી નથી થયું કે મુખ્યમંત્રી કોણ બનશે? આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગીની ચર્ચાઓ પણ જોરમાં છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Devendra Fadnavis Maharashtra CM 2024, Ramdas Athawale statement on Maharashtra CM,

મોદી સરકારના મંત્રી રામદાસ આઠવલે એ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. (તસવીર: Dev_Fadnavis/X)

Devendra Fadnavis Maharashtra CM 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જંગી બહુમતી મળ્યા બાદ પણ હજુ સુધી એ નક્કી નથી થયું કે મુખ્યમંત્રી કોણ બનશે? આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગીની ચર્ચાઓ પણ જોરમાં છે. હવે મોદી સરકારના મંત્રી રામદાસ આઠવલે એ આ અંગે મોટું નિવેદન આપ્યું છે.

Advertisment

રામદાસ આઠવલેએ ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં કહ્યું છે કે મુખ્યમંત્રીની પસંદગીમાં વિલંબ થઈ રહ્યો છે અને આ વાત સાચી છે અને એ વાત પણ સાચી છે કે પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે નારાજ છે પરંતુ મુખ્યમંત્રીના મામલે અંતિમ નિર્ણય પસંદગી ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એકનાથ શિંદેએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ મુખ્યમંત્રી પદની રેસમાં નથી અને અજિત પવારે પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. આવામાં આ રેસમાં માત્ર ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ જ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: EVM તપાસની માંગ, અજિત પવાર વિરૂદ્ધ ચૂંટણી લડનારા ઉમેદવારે EC ને આપ્યા 9 લાખ રૂપિયા

Advertisment

મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષો દ્વારા સતત એ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે આટલો મોટો જનાદેશ હોવા છતાં આખરે મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે.

શિંદે ગામમાં ગયા હતા

નોંધનીય છે કે નારાજગીની ચર્ચાઓ વચ્ચે એકનાથ શિંદેએ રવિવારે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સોમવારે મળનારી બેઠકમાં બધું નક્કી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેમની પાર્ટીએ ભાજપને સમર્થન આપ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન પદને લઈને જે પણ કહેશે તે અંતિમ માનવામાં આવશે. શિંદે ત્રણ દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને ત્યારબાદ તેઓ તેમના ગામ ગયા હતા. ત્યારથી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર ચર્ચા થઈ રહી હતી કે તેઓ નારાજ છે.

ભાજપને મોટી જીત મળી છે

મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો છે. મહાયુતિ ગઠબંધનને 230 બેઠકો મળી છે. ભાજપે શાનદાર બેટિંગ કરી અને એકલા હાથે 132 બેઠકો જીતી છે, જ્યારે તેમના સાથી પક્ષો - એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 57 બેઠકો જીતી અને અજિત પવારની આગેવાનીવાળી NCPએ 41 બેઠકો જીતી છે. જ્યારે મહા વિકાસ આઘાડી (MVA)ને મોટો ફટકો પડ્યો છે. શિવસેના (UBT)ને 20, કોંગ્રેસને 16 અને NCP (શરદ પવાર જૂથ)ને માત્ર 10 બેઠકો મળી હતી.

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર india દેશ