Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Narmada-river-omkareshwar.jpg)
નર્મદા નદી મધ્યપ્રદેશ અને ગુજરાત માટે જીવદોરી સમાન છે. નર્મદા નદી ભારતની સૌથી પવિત્ર નદીઓમાં સ્થાન ધરાવે છે. મધ્યપ્રદેશનું અમરકંટક નર્મદા નદીનું ઉદગમ સ્થાન છે. નર્મદા નદીને ભગવાન શંકરની પુત્રી કહેવાય છે અને તેના વિશે ઘણી કથાઓ પ્રચલિત છે. અમરકંટક એક તીર્થધામ છે, જ્યાં દર વર્ષે લાખો લોકો દર્શન કરવા આવે છે. અહીં અમરકંટક તીર્થયાત્રા પર કેવું રીતે જવું, કેટલો ખર્ચ થશે, ક્યા રોકાવું અને જોવાલાયક સ્થળોની તમામ વિગત આપી છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Amarkantak-Narmada-Udgam-Sthan.jpg)
મધ્યપ્રદેશમાં સ્થિત અમરકંટકની વિંધ્ય, સાતપુડા અને મૈકલ પર્વતમાળા માંથી નર્મદા નદી નીકળે છે. જે તેનું ઉદગમ સ્થાન છે. અમરકંટક મધ્યપ્રદેશના અનૂરપુર જિલ્લામાં આવેલું છે. અમરકંટકનું સૌથી નજીકનું એરપોર્ટ બિલાસપુર છે. તો કરન્જી સૌથી નજીકનું રેલવે સ્ટેશન. આ શહેર શહડોલ, ઉમરિયા, જબલપુર, રીવા, બિલાસપુર, લખનઉ અને નાગપુરથી રોડ માર્ગે જોડાયેલું છે. જબલપુરથી અમરકંટક આવવા માટે ઘણી ખાનગી અને સરકારી બસો ઉપલબ્ધ છે. તસવીરમાં નર્મદા નદીનું ઉદગમ કુંડ દેખાય છે. (Photo: Madhya Pradesh Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Amarkantak-Kapil-Dhara-Waterfalls.jpg)
અમરકંટકમાં રોકાવાનું અને જમવાનું ઘણું સસ્તું છે. અહીં ઘણી ધર્મશાળા અને હોટેલ છે. ધર્મશાળામાં રોકાવાનો ખર્ચ બહું ઓછો હોય છે. હોટેલના રૂમનું ભાડું 1000 રૂપિયા પ્રતિ દિવસથી શરૂ થાય છે. જમવા માટે પણ ઘણા ભોજનાલય અને રેસ્ટોરેન્ટ ઉપલબ્ધ છે. તસવીરમાં કપિલ ધોધ દેખાય છે. (Photo: Madhya Pradesh Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/amarkantak-Pateleshwar-Mahadev-Temple.jpg)
અમરકંટક નર્મદા નદીનું ઉદગમ સ્થળ છે. અહીં કલુચરીનું પ્રાચીન મંદિર, પાતાલેશ્વર મંદિર, કર્ણ મંદિર, સોનમુડા, નર્મદા દેવી મંદિર, દૂધધારા ધોધ, કપિલ ધારા સહિત ઘણા દર્શનિય સ્થળો છે. 3 ગર્ભ ગૃહ ધરાવતું કર્ણ મંદિર ભગવાન શંકરને સમર્પિત છે. જંગલ વચ્ચે આવેલી માઇ કી બગીયા પણ જોવાલાયક છે. અમરકંટકથી 3 કિમી દૂર ભૃગુમંડળ છે. કબીર ચબૂતરા પર સંત કબીરે સમય વિતાવતા હતા. સર્વોદય જૈન મંદિર પણ જોવાલાયક છે. તસવીરમાં પાતાલેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે. (Photo: Madhya Pradesh Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/amarkantak-kabir-chabutra.jpg)
સમગ્ર દુનિયામાં એક માત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે. નર્મદા નદીને રેવા અને ઉત્તર વાહિની નદી પણ કહેવાય છે. કારણ કે, બાકીની નદીઓ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે જ્યારે નર્મદા નદી દક્ષિણથી ઉત્તર તરફ વહેતી હોવાથી તેને ઉત્તર વાહિની નદી કહેવાય છે. અમરકંટકથી શરૂ થતી નર્મદા પરિક્રમ 3600 કિમી ચાલીને કરવામાં આવે છે. આ નર્મદા પરિક્રમા બહુ કઠિન અને મુશ્કેલ હોય છે. તસવીરમાં કબીત ચબુતરો દેખાય છે. (Photo: Madhya Pradesh Tourism)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us