Ind Vs Aus: ઇન્દોર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો નવ વિકેટથી ઓસ્ટ્રિલયા સામે પરાજય, કેપ્ટન રોહિત શર્માનું નિવેદન

ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાને નવ વિકેટે હરાવ્યું છે. આ પછી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પ્રતિક્રિયા આપી છે.

ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાને નવ વિકેટે હરાવ્યું છે. આ પછી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પ્રતિક્રિયા આપી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
રોહિત શર્મા ફાઇલ તસવીર

રોહિત શર્મા ફાઇલ તસવીર

ઇંદોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે શરમજનક હાર બાદ ક્રિકેટર રોહિત શર્માનું નિવેદન સામે આવ્યું છે. ટેસ્ટ મેચ બાદ પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં ટીમ ઇન્ડિયાને ત્રીજી ટેસ્ટ મેચ સંબંધિત સવાલ કરવામાં આવ્યા હતાં.

Advertisment

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાના નિવેદનમાં કહ્યું કે,પાકિસ્તાન સિવાય દરેક જગ્યાએ ટેસ્ટ મેચનું પરિણામ 5 દિવસ પહેલા આવી ગયું છે. પાકિસ્તાનમાં 5 દિવસ રમ્યા બાદ પણ પરિણામ અણનમ આવ્યું હતું. અમે ટેસ્ટ મેચોને પાકિસ્તાનની જેમ બોરિંગ બનાવવા માંગતા નથી, અમે ટેસ્ટ મેચને રસપ્રદ બનાવવા માંગીએ છીએ.

વધુમાં રોહિત શર્માએ કહ્યું હતું કે, જ્યારે તમે ટેસ્ટ મેચ હારો છો તો ખામિઓ કાઢવામાં આવે છે. અમે પહેલી પારીમાં વધુ રન બનાવ્યા ન હતા.જ્યારે ઓસ્ટ્રેલિયા પાસે 90(88) ની લીડ હતી. આવા સ્થિતિમાં અમારે બલ્લેબાજીમાં વધુ સારું પ્રદર્શન કરવાનું હતું, પરંતુ અમે તે કરી શક્યા નહીં.

આ ઉપરાંત શર્માએ પોતાના નિવેદનમાં કહ્યું કે, કોઇ પણ સીરિઝ ખેલતા પહેલાં અમે રણનીતિ તૈયાર કરીએ છીએ કે ક્યા પ્રકારની પિચ રમવા માંગીએ છીએ. એ અમારો પરસ્પર નિર્ણય હતો કે, અમે એ પ્રકારની વિકેટો પર આ મેચ રમવા માંગતા હતા. તેથી મને લાગે છે કે, બેટ્સમેનો પર દબાણ બનાવી રહ્યા છીએ.

Advertisment

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયાને નવ વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં વાપસી કરી લીધી છે.

આ પણ વાંચો: ભારત વિ. ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ : ટીમ ઇન્ડિયા 163 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 76 રનનો પડકાર

ભારતે પ્રથમ દાવમાં 109 રન બનાવ્યા

ભારતે પ્રથમ દાવમાં 109 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 197 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 88 રનની લીડ મળી હતી. આ પછી ભારતીય ટીમ બીજા દાવમાં 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેને 75 રનની લીડ બનાવી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ જીતવા માટે 76 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમે 18.5 ઓવરમાં એક વિકેટે 78 રન બનાવીને મેચ જીતી લીધી હતી. હવે બંને દેશો વચ્ચે ચોથી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ Team India રોહિત શર્મા સ્પોર્ટ્સ