IND vs NZ: ક્લીન સ્વીપ પર રોહિત શર્માનું ચોંકાવનારું નિવેદન, “અમે ઘણી ભૂલો કરી”

India vs New Zealand: ભારતીય ટીમ માટે ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝ કોઈ દુઃખદ સપનાથી ઓછી નથી રહી, જેમાં ટીમ ઈન્ડિયાનું ત્રણેય મેચમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું અને તેને આ સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો.

Written by Rakesh Parmar
November 03, 2024 16:36 IST
IND vs NZ: ક્લીન સ્વીપ પર રોહિત શર્માનું ચોંકાવનારું નિવેદન, “અમે ઘણી ભૂલો કરી”
ત્રણ કે તેથી વધુ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમને ઘરઆંગણે આટલી હારનો સામનો કરવો પડ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. (તસવીર: @ImRo45/X)

IND vs NZ: ભારતીય ટીમ માટે ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝ કોઈ દુઃખદ સપનાથી ઓછી નથી રહી, જેમાં ટીમ ઈન્ડિયાનું ત્રણેય મેચમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું અને તેને આ સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ કે તેથી વધુ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમને ઘરઆંગણે આટલી હારનો સામનો કરવો પડ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. મુંબઈમાં આયોજિત આ ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાને ચોથી ઈનિંગમાં 147 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ આખી ટીમ 121 રન પર જ સમેટાઈને રહી ગઈ હતી. આ સિરીઝમાં હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી જેમાં તેણે કહ્યું હતું કે આ હાર સરળતાથી પચવાની નથી.

અમે એક ટીમ તરીકે બિલકુલ સારું પ્રદર્શન કર્યું નથી

ન્યૂઝીલેન્ડ સામેની મુંબઈ ટેસ્ટ મેચમાં મળેલી હાર બાદ આયોજિત પ્રેઝન્ટેશન સેરેમનીમાં રોહિત શર્માએ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે ટેસ્ટ કે સિરીઝ હારવી ક્યારેય આસાન હોતી નથી. આ હાર એવી છે જે સરળતાથી પચશે નહીં. અમે આ મેચમાં પણ અપેક્ષા મુજબ રમી શક્યા નથી અને અમારે અમારી ભૂલ સ્વીકારવી પડશે. ન્યૂઝીલેન્ડની ટીમે અમારા કરતા ઘણું સારું પ્રદર્શન કર્યું અને અમે ઘણી ભૂલો પણ કરી હતી. અમે પ્રથમ બે ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં સારી બેટિંગ કરી ન હતી જેના કારણે અમે પાછળ રહી ગયા હતા અને આ ટેસ્ટ મેચમાં અમે પ્રથમ દાવમાં થોડી લીડ લેવામાં સફળ રહ્યા હતા અને અમને લાગ્યું કે અમે આગળ છીએ. આ ટાર્ગેટ પણ હાંસલ કરવો જોઈતો હતો પરંતુ અમારે વધુ સારું પ્રદર્શન કરવાનું હતું, જે અમે કરી શક્યા નહીં.

હું પોતે બેટિંગમાં સારું પ્રદર્શન ન કરવાને કારણે મારી જાતથી નિરાશ છું

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે એક બેટ્સમેન તરીકે ખૂબ જ ખરાબ રહી હતી. જેના સંદર્ભમાં તેણે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે તમારે પણ બોર્ડ પર રન જોઈએ છે અને મારા મગજમાં આ જ ચાલી રહ્યું હતું અને જ્યારે તમે પ્લાનિંગ કરી રહ્યા હતા. જો તમે તે પ્રમાણે બેટિંગ કરી શકતા નથી તો તમને ખરાબ લાગે છે અને મારી સાથે આવું થયું જે ખૂબ જ નિરાશાજનક છે. પંત અને ગિલે પોતાની બેટિંગથી બતાવ્યું કે આવી પીચ પર કેવી રીતે બેટિંગ કરવી. અમે છેલ્લા 3 થી 4 વર્ષથી આવી પીચો પર રમી રહ્યા છીએ અને અમને ખબર છે કે કેવી રીતે રમવું, પરંતુ આ શ્રેણીમાં અમે તેમ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા. એક ટીમ તરીકે અમે આ શ્રેણીમાં બિલકુલ સારું રમી શક્યા નથી અને આ હારનું સૌથી મોટું કારણ પણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ