IPL 2025: આ મહાન ખેલાડી બેટિંગ કરવા આવ્યો, અમ્પાયરે બેટ બદલાનું કહ્યું, જાણો શું છે મામલો

જ્યારે KKRના ઓપનર સુનીલ નારાયણ અને ક્વિન્ટન ડી કોક બેટિંગ કરવા આવ્યા ત્યારે અમ્પાયરે મેચ બંધ કરી દીધી અને નારાયણનું બેટ ચેક કર્યું. નવાઈની વાત એ છે કે આ સમય દરમિયાન તેનું બેટ ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું.

જ્યારે KKRના ઓપનર સુનીલ નારાયણ અને ક્વિન્ટન ડી કોક બેટિંગ કરવા આવ્યા ત્યારે અમ્પાયરે મેચ બંધ કરી દીધી અને નારાયણનું બેટ ચેક કર્યું. નવાઈની વાત એ છે કે આ સમય દરમિયાન તેનું બેટ ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Sunil Narine bat umpire, IPL 2025, kkr vs pbks

સુનીલ નારાયણના બેટનો સૌથી જાડો ભાગ માપન માટે ઉપયોગમાં લેવાતા ગેજમાં ફિટ થયો ન હતો. (તસવીર: સોશિયલ મીડિયા)

Sunil Narine IPL 2025: આઈપીએલ 2025 માં મંગળવારે એક રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 16 રનથી હરાવ્યું. આ મેચમાં એક એવી ઘટના જોવા મળી જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. ખરેખરમાં ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાયેલી આ મેચમાં જ્યારે KKRના ઓપનર સુનીલ નારાયણ અને ક્વિન્ટન ડી કોક બેટિંગ કરવા આવ્યા ત્યારે અમ્પાયરે મેચ બંધ કરી દીધી અને નારાયણનું બેટ ચેક કર્યું. નવાઈની વાત એ છે કે આ સમય દરમિયાન તેનું બેટ ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું.

Advertisment

નારાયણનું બેટ ગેજમાં ફિટ નહોતું

નારાયણના બેટનો સૌથી જાડો ભાગ માપન માટે ઉપયોગમાં લેવાતા ગેજમાં ફિટ થયો ન હતો. નારાયણે અહીં સૈયદ ખાલિદ સાથે આ બાબતે ચર્ચા કરી. ત્યારબાદ અમ્પાયરે તેમના સાથી અંગક્રિશ રઘુવંશીનું બેટ ચેક કર્યું, જે કોઈપણ સમસ્યા વિના પાસ થયું.

,

રઘુવંશી KKRનો ટોપ સ્કોરર હતો

આ આંચકા છતાં નારાયણ મેચમાં 4 બોલમાં 5 રન બનાવ્યા, જ્યારે રઘુવંશી કોલકાતા માટે સૌથી વધુ સ્કોરર રહ્યો, તેણે 28 બોલમાં 37 રન બનાવ્યા. IPLના નિયમો અનુસાર, બેટની આગળની પહોળાઈ 10.79 સેમીથી વધુ ન હોવી જોઈએ. બ્લેડની જાડાઈ 6.7 સેમી સુધી હોવી જોઈએ અને ધારની પહોળાઈ 4 સેમીથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત બેટની લંબાઈ 96.4 સેમીથી વધુ ન હોવી જોઈએ.

Advertisment

એનરિચ નોર્ટજેનું બેટ પણ નિયમો અનુસાર નહોતું

મેચમાં પાછળથી જ્યારે KKRનો દાવ પડી રહ્યો હતો, ત્યારે ઝડપી બોલર એનરિચ નોર્ટજે આઉટ થનારા છેલ્લો બેટ્સમેન હતો. ફિલ્ડ અમ્પાયર મોહિત કૃષ્ણદાસ અને સૈદર્શન કુમારે શોધી કાઢ્યું કે નોર્ટજેનું બેટ પણ બેટના કદના નિયમો અનુસાર નહોતું. આના કારણે મેચ શરૂ થવામાં થોડો વિલંબ થયો કારણ કે બેન્ચ પ્લેયર રહેમાનુલ્લાહ ગુરબાઝ દ્વારા વધારાના બેટ મેદાન પર લાવવામાં આવ્યા હતા.

આઈપીએલ 2025 કોલકાતા નાઇટ રાઇડર્સ IPL