/indian-express-gujarati/media/media_files/2026/02/03/t20-world-cup-2026-ind-vs-pak-match-2026-02-03-14-41-05.jpg)
T20 World Cup 2026 : ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ટી 20 વર્લ્ડ કપ 2026ની મેચ પર સંકટના વાદળો ઘેરાયેલા છે Photograph: (સોશિયલ મીડિયા)
T20 World Cup 2026 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રવિવારે થયેલી મીટિંગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સમક્ષ 15 ફેબ્રુઆરીએ ભારત સામેની ટી-20 વર્લ્ડ કપની મેચ માટે ઘણી માંગણીઓ રજૂ કરી હતી. પાકિસ્તાનનું કહેવું છે કે જ્યારે તેમની માંગણીઓ પૂરી થશે ત્યારે તેઓ આ શરત પર ભારતની મેચનો બહિષ્કાર કરશે નહીં, પરંતુ આઇસીસીએ પાકિસ્તાનની માંગણીઓને ફગાવી દીધી હતી, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ ફરી શરૂ કરવા અને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારત વચ્ચે ત્રિકોણીય શ્રેણી યોજવાનો પ્રસ્તાવ સામેલ હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાશે નહીં
આઈસીસીએ પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે સલાહ લેવા અને બોર્ડના વલણની પુષ્ટિ કરવા માટે એક દિવસનો સમય પણ આપ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે ગ્લોબલ ગર્વિનિંગ બોડી સોમવારે સાંજે અથવા મંગળવારે સવારે ભારત-પાકિસ્તાન મેચની સ્થિતિ અંગે સત્તાવાર જાહેરાત કરશે. રવિવારે પાંચ કલાકથી વધુ સમય ચાલેલી બેઠકમાં પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી અને આઈસીસીના ઉપાધ્યક્ષ ઇમરાન ખ્વાજા સામેલ થયા હતા.
ખાસ બાબત એ છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઈસ્લામ બુલબુલ પણ ચર્ચામાં ભાગ લેવા માટે લાહોર ગયા હતા. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન સરકારે 1 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં વધુ માહિતી આપ્યા વિના ટીમને ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવાની મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય બાંગ્લાદેશની તરફેણમાં લેવામાં આવ્યો હતો અને આઇસીસી પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો.
પાકિસ્તાને આ માંગણીઓ આઇસીસી સમક્ષ મૂકી હતી
પાકિસ્તાનની સૌપ્રથમ માગ એવી હતી કે ટી-20 વર્લ્ડ કપમાંથી ખસી જવા બદલ બાંગ્લાદેશને સજા ન થવી જોઈએ અને આઇસીસીની આવકનો પૂરેપૂરો હિસ્સો તેને મળવો જોઈએ. આ નિર્ણય આઇસીસીએ પોતે જ લીધો હતો.
પાકિસ્તાને એવી પણ માંગણી કરી હતી કે ગત વર્ષે આંદોલન અને તોડફોડના કારણે મહિલા ટી 20 વર્લ્ડ કપ દુબઈ ખસેડવામાં આવ્યા બાદ બાંગ્લાદેશને એક વળતર તરીકે ગ્લોબલ ટૂર્નામેન્ટ આપવામાં આવે. આગામી ચક્રમાં અંડર-19 વર્લ્ડ કપને સંભવિત વિકલ્પ તરીકે સૂચવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - પીસીબીએ બ્લેકમેલિંગનો આશરો લીધો, બાંગ્લાદેશની આડમાં ભારત-પાકિસ્તાન મેચના બદલામાં વળતરની માંગ
પાકિસ્તાને માંગ કરી હતી કે ભારતને પાકિસ્તાન સાથે દ્વિપક્ષિય ક્રિકેટ ફરી શરૂ કરવાનું કહેવામાં આવે. આઇસીસીએ આ વિનંતીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે દ્વિપક્ષીય શ્રેણી તેના અધિકારક્ષેત્રની બહાર છે અને દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી પણ તેમના હાથમાં નથી.
ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ ત્રિકોણીય શ્રેણીનો પ્રસ્તાવ પણ સમાન કારણોસર ફગાવી દીધો છે. તેમજ ચાલુ વર્ષના અંત ભાગમાં ભારતના બાંગ્લાદેશ પ્રવાસની માગને પણ ફગાવી દીધી છે, જે શ્રેણી 2025માં પોસ્ટપોન થઇ હતી. આઇસીસીએ કહ્યું કે આવી દ્વિપક્ષીય કે ત્રિકોણીય શ્રેણી યોજવી તેમના અધિકારોની બહાર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us