ક્રિકેટ લીગ દરમિયાન મોટી દુર્ઘટના, મધમાખીના હુમલાથી અમ્પાયરનું મોત, ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત

Manik Gupta Dies in Honey Bees Attack : અંડર-13 ડોમેસ્ટિક ક્રિકેટ લીગની મેચ દરમિયાન મેદાન પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. જેમાં મેચમાં અમ્પાયરિંગ કરી રહેલા 65 વર્ષીય માણિક ગુપ્તાનું મોત થયું

Manik Gupta Dies in Honey Bees Attack : અંડર-13 ડોમેસ્ટિક ક્રિકેટ લીગની મેચ દરમિયાન મેદાન પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. જેમાં મેચમાં અમ્પાયરિંગ કરી રહેલા 65 વર્ષીય માણિક ગુપ્તાનું મોત થયું

author-image
Ashish Goyal
New Update
honey bees attack cricket match

અંડર-13 ડોમેસ્ટિક ક્રિકેટ લીગની મેચ દરમિયાન મેદાન પર મધમાખીઓએ હુમલો કર્યો હતો Photograph: (પ્રતિકાત્મક તસવીર)

Umpire Manik Gupta Dies in Honey Bees Attack : ઘણી વખત ક્રિકેટ મેચ દરમિયાન તમે જોયું હશે કે ખેલાડીઓ અને અમ્પાયરો અચાનક મેદાન પર સૂઈ જાય છે. તેની તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે કારણ કે ક્યારેક કેટલીક મુશ્કેલીમાં તેની જરુર પડે છે. પરંતુ ગુરુવારે સવારે ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અંડર-13 ડોમેસ્ટિક ક્રિકેટ લીગની મેચ દરમિયાન મેદાન પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. જેમાં મેચમાં અમ્પાયરિંગ કરી રહેલા 65 વર્ષીય માણિક ગુપ્તાનું મોત થયું હતું.

Advertisment

કેડીએમએ લીગની એક મેચ રમાઈ રહી હતી

આ હુમલામાં તેમના સાથી અમ્પાયર જગદીશ શર્મા અને ઘણા ક્રિકેટરો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોની સારવાર કાનપુરની એક હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ઉન્નાવના શુક્લાગંજના સપ્રુ ગ્રાઉન્ડ પર કેડીએમએ લીગની એક મેચ રમાઈ રહી હતી. આ મેચમાં માણિક ગુપ્તા અને જગદીશ શર્મા અમ્પાયર હતા.

મેચમાં મધમાખીઓનો અચાનક હુમલો 

આ મેચ વાયએમસીસી અને પેરામાઉન્ટ વચ્ચે હતી. આ મેચમાં મધમાખીઓનો અચાનક હુમલો થયો હતો. બંને અમ્પાયરોએ સફેદ કપડાં પહેર્યા હતા. આ દરમિયાન 10 મિનિટ સુધી તેમની આસપાસ મધમાખીઓનું ટોળું હતું. મધમાખીના આ હુમલામાં ઘણા ખેલાડીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પછી ઘાયલ અમ્પાયરો અને ખેલાડીઓને શુક્લાગંજની લાલા લજપત રાય હોસ્પિટલ અને ત્યાર બાદ કાનપુરની લક્ષ્મીપત સિંઘાનિયા ઈન્સ્ટિટ્યૂટમાં લઈ જવામાં આવ્યા હતા. અહીંના ડોકટરોએ માણિક ગુપ્તાને મૃત જાહેર કર્યો હતો.

Advertisment

આ પણ વાંચો - અદિતિ હુંડિયા કોણ છે? ભારતીય ક્રિકેટર ઇશાન કિશન સાથે જોડાઇ રહ્યું છે નામ

કેસીએના ચેરમેને દુ:ખ વ્યક્ત કર્યું હતું

માણિક ગુપ્તા 30 વર્ષ સુધી કાનપુર ક્રિકેટ એસોસિએશન (કેસીએ)ની અમ્પાયરિંગ પેનલનો ભાગ હતા. કેસીએના અધ્યક્ષ સંજય કપૂરે  માણિક ગુપ્તાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે કેસીએના સિનિયર અમ્પાયર માણિક ગુપ્તા સંપૂર્ણ રીતે રમત માટે સમર્પિત હતા. કેસીએ પરિવાર આ દુ:ખની ઘડીમાં તેમના શોકગ્રસ્ત પરિવાર સાથે ઉભો છે. તેમના પરિવારને તમામ શક્ય મદદ કરવામાં આવશે. 

ઉત્તર પ્રદેશ ક્રિકેટ સ્પોર્ટ્સ