ભારત A-પાકિસ્તાન A મેચ દરમિયાન હોબાળો! શું આઉટ હતો માજ સદાકત? જીતેશ શર્મા અમ્પાયર સાથે ઝઘડ્યો

માજ સદાકતને કેચ આઉટ આપવામાં આવ્યો ના હતો, પરંતુ પાકિસ્તાનને કોઈ રન મળ્યો ના હતો. આવું એટલા માટે થયું કારણ કે માજ અને યાસિરે કેચ કરવાનો પ્રયાસ કરતી વખતે રન પૂર્ણ કર્યો ના હતો.

માજ સદાકતને કેચ આઉટ આપવામાં આવ્યો ના હતો, પરંતુ પાકિસ્તાનને કોઈ રન મળ્યો ના હતો. આવું એટલા માટે થયું કારણ કે માજ અને યાસિરે કેચ કરવાનો પ્રયાસ કરતી વખતે રન પૂર્ણ કર્યો ના હતો.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
IND A vs PAK A

માજ સદાકતને કેચ આઉટ આપવામાં આવ્યો ના હતો. (તસવીર: X)

એમર્જિંગ એશિયા કપ 2025 માં ભારત A અને પાકિસ્તાન A મેચ દરમિયાન માજ સદાકતને કેચ આપવામાં ના આવતા વિવાદ શરૂ થયો. ડાબા હાથના બેટ્સમેન સદાકત સુયશ શર્માની બોલિંગ પર શોટ રમ્યો. લોંગ-ઓન બાઉન્ડ્રી પર તૈનાત નેહલ વાઢેરાએ બોલ પકડીને નમન ધીર તરફ ફેંક્યો. નમન કેચ પકડી રાખ્યો, અને ભારત A ટીમ ઉજવણી કરવા લાગ્યા.

Advertisment

ફિલ્ડ અમ્પાયર કેચ તપાસવા માટે ત્રીજા અમ્પાયર પાસે ગયા. ત્યાં સુધીમાં માજ સદાકત પેવેલિયન તરફ ચાલી નીકળ્યો હતો. નવો બેટ્સમેન ક્રીઝ પર આવી ગયો હતો. ચોથા અમ્પાયરે સદાકતને બાઉન્ડ્રી પાસે રોક્યો. ત્રીજા અમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કર્યો, અને તે બેટિંગ કરવા પાછો ફર્યો. આશ્ચર્યજનક રીતે છગ્ગો પણ આઉટ આપવામાં આવ્યો ના હતો. આનો અર્થ એ થયો કે નેહલ વાઢેરાના પગે બાઉન્ડ્રીને સ્પર્શ કર્યો ના હતો.

અમ્પાયર સાથે જીતેશ શર્માની દલીલ

આ પછી ભારત A ટીમે અમ્પાયરને ઘેરી લીધા. જીતેશ શર્મા અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો. દરમિયાન ભારત A સપોર્ટ સ્ટાફ પણ બાઉન્ડ્રીની બહાર મેચ અધિકારીઓ સાથે ચર્ચા કરતો જોવા મળ્યો. જ્યારે માઝ સદાકતને નોટ આઉટ આપવામાં આવ્યો, ત્યારે પાકિસ્તાન Aનો સ્કોર 9.1 ઓવરમાં 1 વિકેટે 93 રન હતો. તે 36 બોલમાં 56 રન સાથે ક્રીઝ પર હતો. યાસિર ખાન 11 રન સાથે ક્રીઝ પર હતો.

માજ સદાકતને આઉટ કેમ આપવામાં આવ્યો નહીં?

રસપ્રદ વાત એ છે કે માજ સદાકતને કેચ આઉટ આપવામાં આવ્યો ના હતો, પરંતુ પાકિસ્તાનને કોઈ રન મળ્યો ના હતો. આવું એટલા માટે થયું કારણ કે માજ અને યાસિરે કેચ કરવાનો પ્રયાસ કરતી વખતે રન પૂર્ણ કર્યો ના હતો. બાઉન્ડ્રી પર કેચ અંગેના નવા નિયમોને કારણે માજ સદાકતને આઉટ આપવામાં આવ્યો ના હતો.

Advertisment

આ પણ વાંચો: પાકિસ્તાને ભારતીય ટીમને 8 વિકેટે હરાવી, માજ સદાકતે મેચ છીનવી લીધી

નવો નિયમ શું છે?

મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC), જે ક્રિકેટના નિયમો બનાવે છે, તેણે તાજેતરમાં બાઉન્ડ્રી પર કેચ અંગેના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ મુજબ ફિલ્ડરે બોલને સીમા પાર કર્યા પછી બીજી વખત તેનો સંપર્ક કરતા પહેલા રમતના મેદાનમાં પાછા ફરવું આવશ્યક છે. આ નિયમ રિલે કેચ પર પણ લાગુ પડે છે. જો કોઈ ફિલ્ડર બીજા ફિલ્ડરને બોલ ફેંકે અને કેચ પહેલાં તે બોલ રમતના ક્ષેત્રમાં પાછો ના આવે તો પણ બેટ્સમેન નોટઆઉટ રહેશે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ પાકિસ્તાન