ઇરાન ઇઝરાયેલ સંઘર્ષની ટી 20 વર્લ્ડ કપ પર અસર, ખેલાડીઓને સુરક્ષિત ઘર મોકલવાની વ્યવસ્થા કરી રહ્યું છે આઈસીસી

T20 World Cup 2026 : આઈસીસીએ શનિવારે કહ્યું કે ઈરાન પર અમેરિકી હુમલાને પગલે ભારત અને શ્રીલંકામાં ચાલી રહેલા ટી 20 વર્લ્ડ કપમાંથી પરત ફરી રહેલા ખેલાડીઓ અને અધિકારીઓ માટે વૈકલ્પિક ફ્લાઇટ પ્લાન પર કામ કરવામાં આવી રહ્યું છે.

T20 World Cup 2026 : આઈસીસીએ શનિવારે કહ્યું કે ઈરાન પર અમેરિકી હુમલાને પગલે ભારત અને શ્રીલંકામાં ચાલી રહેલા ટી 20 વર્લ્ડ કપમાંથી પરત ફરી રહેલા ખેલાડીઓ અને અધિકારીઓ માટે વૈકલ્પિક ફ્લાઇટ પ્લાન પર કામ કરવામાં આવી રહ્યું છે.

author-image
Ashish Goyal
New Update
Canada cricket team, t20 world cup 2026

આઈસીસી ટી 20 વર્લ્ડ કપ ટ્રોફી (તસવીર: સોશિયલ મીડિયા)

T20 World Cup 2026 : આઈસીસીએ શનિવારે કહ્યું કે ઈરાન પર અમેરિકી હુમલાને પગલે ભારત અને શ્રીલંકામાં ચાલી રહેલા ટી 20 વર્લ્ડ કપમાંથી પરત ફરી રહેલા ખેલાડીઓ અને અધિકારીઓ માટે વૈકલ્પિક ફ્લાઇટ પ્લાન પર કામ કરવામાં આવી રહ્યું છે. 7 ફેબ્રુઆરીએ શરુ થયેલી 20 ટીમોની ટી 20 ટુર્નામેન્ટ 8 માર્ચે સંપન્ન થશે. સહ-યજમાન ભારત સહિતની છ ટીમો હજુ ટાઈટલની રેસમાં છે.

Advertisment

આઈસીસીના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે આ ટૂર્નામેન્ટમાં સામેલ દરેકની સલામતી અને સુરક્ષા આઈસીસીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે પહેલાથી જ અમારી મુસાફરી, લોજિસ્ટિક્સ અને સુરક્ષા ટીમોને સક્રિય કરી દીધી છે અને તમામ હિતધારકો ઓછી મુશ્કેલી સાથે સુરક્ષિત રીતે ઘરે પાછા ફરી શકે તે સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છીએ. અમે આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2026 માટે મુસાફરી કરી રહેલા ચાહકોને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ નજીકથી દેખરેખ રાખે અને સૂચનાઓનું પાલન કરે અને આગળની આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા પહેલા તમામ પાસાઓ પર વિચાર કરે. 

દુબઈ મહત્વનું સ્ટોપ

આઇસીસીએ સ્વીકાર્યું કે ખેલાડીઓ, ટીમ મેનેજમેન્ટ, મેચ ઓફિસિઅલ્સ, બ્રોડકાસ્ટ ટીમો અને ઓર્ગેનાઈઝિંગ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ ગલ્ફ દેશો, ખાસ કરીને દુબઈના મોટા એરપોર્ટ પર નિર્ભર છે. ઇવેન્ટમાં તેમની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કર્યા પછી તેમના વતન દેશોની સફર માટે દુબઇ એક મહત્વપૂર્ણ સ્ટોપ છે.

આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : ગૌતમ ગંભીરનો નવો મંત્ર, વિરોધી ટીમોમાં ખૌફ પેદા કરશે ટીમ ઈન્ડિયા

Advertisment

આઈસીસી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ સાથે કામ કરી રહ્યું છે

આ પરિબળોને ધ્યાનમાં રાખીને આઈસીસીએ કહ્યું કે તેની ટ્રાવેલ અને લોજિસ્ટિક્સ ટીમ યુરોપિયન, દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના એરપોર્ટ દ્વારા જોડાણ સહિત વૈકલ્પિક માર્ગોની ઓળખ અને સુરક્ષિત કરવા માટે મોટી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ સાથે સક્રિયપણે કામ કરી રહી છે.

આઈસીસી માહિતી શેર કરવાનું ચાલુ રાખશે

આઈસીસીએ કહ્યું કે તે પરિસ્થિતિ પર નવીનતમ માહિતી શેર કરવાનું ચાલુ રાખશે અને ટી 20 વર્લ્ડ કપ 2026 ના સરળ અને સલામત નિષ્કર્ષ માટે પ્રતિબદ્ધ છે. અમેરિકા અને ઇઝરાયેલે શનિવારે ઇરાન પર મોટો હુમલો કર્યો હતો.

આઇસીસી ક્રિકેટ સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપ