ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવા ટાપુ પર 6.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, 15 દિવસમાં બીજી વખત ધરતી ધ્રૂજી

Earthquake In Indonesia: ઈન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા અફરા-તફરી મચી હતી. ગરૂત શહેરમાં એક વ્યક્તિ ઘાયલ થઈ છે તો ચાર મકાનોને નુકશાન પહોંચ્યું છે.

Earthquake In Indonesia: ઈન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા અફરા-તફરી મચી હતી. ગરૂત શહેરમાં એક વ્યક્તિ ઘાયલ થઈ છે તો ચાર મકાનોને નુકશાન પહોંચ્યું છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

ઈન્ડોનેેશિયામાં ભૂકંપ

Indonesia Earthquake : શનિવારે (3 ડિસેમ્બર, 2022) ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા ક્ષેત્રમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી અને ચાર મકાન ધરાશાયી થયા હતા. લોકો ઈમારતોમાંથી બહાર આવી ગયા. ભૂકંપની માહિતી દેશની જિયોફિઝિક્સ એજન્સી BMKG દ્વારા આપવામાં આવી હતી. એજન્સીએ કહ્યું કે, ભૂકંપમાં સુનામીની કોઈ શક્યતા નથી. ભૂકંપ બાદ ત્યાં અફરા-તફરી મચી ગઈ હતી. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તેઓ ઈમારતોની બહાર ભાગવા લાગ્યા હતા.

Advertisment

રોયટર્સ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર રાજધાની જકાર્તામાં અનુભવાયું છે, જે ભૂકંપના કેન્દ્રથી લગભગ 200 કિમી દૂર છે. ઈન્ડોનેશિયાની ડિઝાસ્ટર મિટિગેશન એજન્સી (BNPB)ના પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે, ગરુત શહેરમાં એક વ્યક્તિ ઘાયલ થઈ છે અને ચાર મકાનોને નુકસાન થયું છે.

પશ્ચિમ જાવાના અન્ય નગરો અને શહેરોના કેટલાક રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તેઓએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. પશ્ચિમ જાવા પ્રાંતની રાજધાની બાંડુંગમાં એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, હોટલના એક મહેમાન બિલ્ડિંગમાંથી ભાગી ગયા હતા પરંતુ થોડા સમય પછી પાછા ફર્યા હતા.

અગાઉ ગયા મહિને (નવેમ્બર 21, 2022), પશ્ચિમ જાવાના સિઆનજુરમાં 5.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 300 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ ભૂકંપમાં લગભગ 700 લોકો ઘાયલ પણ થયા છે. BNPBના વડા સુહર્યંતોએ સ્થાનિક ન્યૂઝ ચેનલ મેટ્રો ટીવીને જણાવ્યું હતું કે, સત્તાવાળાઓ શનિવારે ભૂકંપના કેન્દ્રની નજીકના અન્ય સ્થળોએ તપાસ કરી રહ્યા છે.

Advertisment

આ પણ વાંચો - દિલ્હી-NCR માટે 5 થી વધુની તીવ્રતાનો ભૂકંપ ખતરનાક બની શકે છે, પાંચ વર્ષમાં ક્યારે-ક્યારે ભૂકંપ આવ્યા?

ભૂકંપ શા માટે થાય છે

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહે છે. આવી સ્થિતિમાં, જ્યાં પ્લેટ્સ વધુ અથડાય છે, તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે, પ્લેટોના ખૂણા વળી જાય છે. ત્યારે તેમના પર વધુ દબાણ આવે છે, અને આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં, નીચેની ઊર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે. આ વિક્ષેપને કારણે ભૂકંપ આવે છે. આને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવામાં આવે છે. જેના કારણે ભૂકંપ ઉપરાંત જ્વાળામુખી ફાટવાની પણ શક્યતા છે.તમને જણાવી દઈએ કે, પ્રશાંત મહાસાગર ક્ષેત્ર સિવાય હિંદ મહાસાગરના કેટલાક વિસ્તારો ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.

વિશ્વ