LAC માં થતી અથડામણો પર ભારત વળતો જવાબ નહિ આપે એ ચીનનો ભ્રમ : વિજય ગોખલે

India China news : ગોખલેએ લખ્યું કે, " ભારત હવે LAC પર અથડામણો સામે માટે પૂર્વ તૈયારી કરી રહ્યું છે ભારત સૈનિકોની કેપેસીટી પણ વધારવા માટે પ્રતિબદ્ધ થયું છે.

India China news : ગોખલેએ લખ્યું કે, " ભારત હવે LAC પર અથડામણો સામે માટે પૂર્વ તૈયારી કરી રહ્યું છે ભારત સૈનિકોની કેપેસીટી પણ વધારવા માટે પ્રતિબદ્ધ થયું છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update

Former Foreign Secretary Vijay Gokhale

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચાઇનીઝ સૈનિકો વચ્ચે અથડામણો શરૂ થઇ તે વિગતો બહાર આવવા લાગી છે,ત્યારે ભૂતપૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલે કહ્યું હતું કે ચીનની ધારણા છે કે ભારત આ LAC પર થતી અથડામણો પર તાત્કાલિક પ્રતિક્રિયા નહિ આપે "કારણે કે ભારત જોખમથી પ્રતિકુળ છે તે હવે માન્ય રહેશે નહિ".

Advertisment

કાર્નેગી ઇન્ડિયા દ્વારા પ્રકાશિત, " એ હિસ્ટોરિકલ ઓફ ચાઈના'સ ઇન્ડિયા પોલિસી: લેસન ફોર ઇન્ડિયા-ચાઇના રિલેશન"(A Historical Evaluation of China’s India Policy: Lessons for India-China Relations) ના પેપરમાં, ચીનમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત ગોખલે કહ્યું કે 2020 ની ગાલવાન ઘટનાએ " ચીન વિષે રાષ્ટ્રીય જનતાના અભિપ્રાયને નવો આકાર આપ્યો છે".

આ પણ વાંચો: UN Security Council: સ્થાયી સભ્ય માટે ભારતને મળ્યો યુકે અને ફ્રાન્સનો સાથે, UNમાં ચીન અને પાકિસ્તાન ઉપર વરસ્યા જયશંકર

"વ્યૂહાત્મક કંટ્રોલનો વિચાર કરી વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, આથી રાજકીય વર્ગમાં જોખમ લેવાની ભાવનામાં પરિવર્તન પણ આવી શકે છે, જેના પરિણામો ઓગસ્ટ 2020માં રેઝાન્ગ લા/રેચીન લા ખાતે સ્નો લેપર્ડ કાઉન્ટર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ભારત દ્વારા ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું જેની અપેક્ષા ચાઈનાને ન હતી. આમ, ચીનની ધારણા કે LAC પર અથડામણોનો તાત્કાલિક જવાબ આપશે નહિ કારણે કે ભારત જોખમી વિરુદ્દ વૃત્તિ ધરાવે છે તે હવે માન્ય રહેશે નહીં, તેમને કાર્નેગી ઈંડિયાની વેબસાઈટ પર મંગળવારે પ્રકાશિત થયેલા પેપરમાં લખ્યું હતું કે તે બિન- નિવાસી વરિષ્ઠ સાથી છે.

Advertisment

" જો ચાઇનાના નેતાઓ એ ધારણા કરવામાં સાચા છે કે ભારત- અમેરિકાના સંબંધનું ગઠબંધન નહિ બને તો પણ, લડાખ સેન્ય ગતિરોધ પછી ચીન દ્વારા વ્યૂહાત્મક ખોટી ગણતરી કરવાની સંભાવના છે કે કેમ તે તપાસવું યોગ્ય છે. બે ચીન ધારણાઓ કે ભારત ઇરાદાપૂર્વક અથડામણોના જવાબમાં સેન્યમાં વધારો કરશે નહિ અને ભારત બળજબરી વિરુદ્ધ ગઠબંધન કરશે નહિ, 2020 થી ભારતીય વ્યૂહાત્મક વિચારસરણીમાં આવેલા ફેરફારોને માપવા જોઈએ.

આ પણ વાંચો: નેપાળમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ પલટી જવાથી 13 લોકોના મોત, 15 હોસ્પિટલમાં દાખલ

તેમણે કહ્યું કે ચીન પાર્ટનર છે કે હરીફ છે તે અંગે ભારતના નિર્ણયો અને વ્યૂહાત્મક વર્તુળોમાં જે અસ્પષ્ટતા પ્રવર્તતી હતી તેને વ્યૂહાત્મક સ્પષ્ટતા દ્વારા બદલવામાં આવી છે. " ચીનનું વર્તન હવે વિરોધી હોય તેવું લાગે છે અને થોડા લોકો તેને શંકાનો લાભ આપવા માટે તૈયાર છે.

ભવિષ્યમાં સૈન્ય અથડામણો માટે ભારતીયનો અનિશ્ચિત રૂપે ઓછો રહેશે તે વિચારને ચીનના વિદ્વાનોએ પણ ફરીથી જોવાની જરૂર પડી શકે છે તેમ જણાવતા ગોખલેએ લખ્યું કે, " ભારત હવે LAC પર અથડામણો સામે માટે પૂર્વ તૈયારી કરી રહ્યું છે ભારત સૈનિકોની કેપેસીટી પણ વધારવા માટે પ્રતિબદ્ધ થયું છે. વર્તમાન ક્ષમતાના આધારે ભારતના ભવિષ્યના પ્રતિભાવો અને વર્તનનું મૂલ્યાંકન કરવું કદાચ માન્ય ન પણ હોય.

ગોખલે ચેતવણી આપે હતી કે ભૂ- રાજકીય અથડામણો ચાઈના માટે વધવાની શક્યતા છે.

ભારત ચીન સંઘર્ષ વિશ્વ