India EU FTA Deal: ભારત યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક વ્યાપાર કરાર સફળ, જાણો કેમ છે 'મધર ઓફ ઓલ ડીલ્સ'

India EU FTA Deal News: ભારત અને યુરોપ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર સફળ રહ્યો છે. PM મોદીએ આ કરારને મધર ઓફ ઓલ ડીલ્સ ગણાવી વિશ્વનો સૌથી મોટો કરાર તરીકે ઓળખાવ્યો. આ કરારથી ભારતીય નિકાસકારો અને અર્થતંત્ર પર શું અસર થશે? જાણો

India EU FTA Deal News: ભારત અને યુરોપ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર સફળ રહ્યો છે. PM મોદીએ આ કરારને મધર ઓફ ઓલ ડીલ્સ ગણાવી વિશ્વનો સૌથી મોટો કરાર તરીકે ઓળખાવ્યો. આ કરારથી ભારતીય નિકાસકારો અને અર્થતંત્ર પર શું અસર થશે? જાણો

author-image
Haresh Suthar
New Update
India EU Trade

India EU Trade: ભારત અને યુરોપ વચ્ચે મુક્ત વ્યાપાર કરારની વાટાઘાટો સફળ Photograph: (Indian Express)

India EU FTA Deal News: ભારત અને યુરોપિયન યુનિયન (EU) એ મુક્ત વ્યાપાર સમજૂતી પરની વાટાઘાટો (India EU Free Trade Agreement) સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. 18 વર્ષોની પ્રતિક્ષાના અંતે આ ઐતિહાસિક કરાર થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 27 જાન્યુઆરીએ આ કરારને 'મધર ઓફ ઓલ ડીલ્સ' ગણાવતાં કહ્યું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક દિવસ પહેલા હસ્તાક્ષર કરાયેલા મુક્ત વેપાર કરારના વ્યાપક આર્થિક ફાયદા થશે. 

Advertisment

આ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર લગભગ છ મહિના પછી થશે કારણ કે તેના ટેક્સ્ટને પહેલા કાનૂની સ્ક્રબિંગમાંથી પસાર થવું પડશે. આ પછી, આ સોદો આવતા વર્ષ એટલે કે 2027 થી અમલમાં આવશે.

ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર (India EU FTA Deal) - મધર ઓફ ઓલ ડીલ્સ

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગઈકાલે યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે એક મોટી સમજૂતી થઈ હતી. લોકો તેને 'મધર ઓફ ઓલ ડીલ્સ' કહી રહ્યા છે. આ કરાર ભારત અને યુરોપના સામાન્ય લોકો માટે મોટી શક્યતાઓ લાવશે. વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેની ભાગીદારીનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. આ કરાર વૈશ્વિક જીડીપીના 25% અને વૈશ્વિક વેપારના 1/3 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.

Advertisment

પીએમ મોદીએ ઈન્ડિયા એનર્જી વીકમાં કહ્યું હતું કે આ ટ્રેડ એગ્રીમેન્ટથી ઓઈલ અને ગેસ સેક્ટરમાં મોટું રોકાણ આવશે. અમે આ દાયકાના અંત સુધીમાં તેલ અને ગેસ ક્ષેત્રમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.

PM મોદીએ એમ પણ કહ્યું કે આ ભારત-EU વેપાર કરાર આપણી સહિયારી લોકશાહી અને કાયદાના શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે, આ મુક્ત વેપાર કરાર યુરોપિયન યુનિયન સાથેના યુકે અને ઇએફટીએના કરારોને પણ પૂર્ણ કરશે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, ભારત-યુરોપિયન યુનિયન ટેકનોલોજી અને સંરક્ષણ સોદો એક જટિલ વૈશ્વિક વાતાવરણમાં બંને પક્ષોને વધુ નજીક લાવશે. 

INDIA EU FTA: ભારત-ઇયુ એફટીએ શા માટે મહત્વપૂર્ણ છે?

આ ટ્રેડ એગ્રીમેન્ટ એટલા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે બંને અર્થવ્યવસ્થાના લગભગ 2 અબજ લોકો તેની સાથે જોડાયેલા છે. આ સોદાનો હેતુ એવા સમયે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપારને વેગ આપવાનો છે જ્યારે યુએસ ટેરિફને કારણે વૈશ્વિક વેપાર દબાણ હેઠળ છે.

હાલમાં અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે અને એફટીએ અમલમાં આવ્યા બાદ ભારતીય નિકાસકારો પાસે તેમના શિપમેન્ટને વિવિધ દેશોમાં મોકલવાનો વિકલ્પ મળશે અને ચીન પર દેશની નિર્ભરતા પણ ઓછી થશે. આવા સમયે ભારત માટે આ સોદો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તાજેતરમાં, યુરોપિયન યુનિયને ભારત માટે જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી) ના લાભો બંધ કરી દીધા હતા, જેણે ભારતીય ઉત્પાદનોને ઓછા કર પર યુરોપમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. નવી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) આ અંતરને ભરવામાં મદદ કરશે અને ભારતીય નિકાસકારોને યુરોપિયન માર્કેટમાં સ્પર્ધાત્મક રહેવામાં મદદ કરશે.

આ ડીલ હેઠળ બંને પક્ષો આયાત ડ્યુટી ઘટાડવાની યોજના બનાવી રહ્યા છે. આનાથી કંપનીઓ માટે માલ અને સેવાઓ વેચવાનું સરળ બનશે અને મુશ્કેલ વેપાર નિયમો ઘટશે.

ભારત યુરોપિયન યુનિયન એફટીએ ડીલ (India EU FTA Deal): કયા ક્ષેત્રો પર શું અસર થશે

ટેક્સટાઇલ, ટેક્સટાઇલ અને લેધર ગુડ્સ

આ ક્ષેત્રોમાં ભારતીય ઉત્પાદકોને આ સોદાથી સૌથી વધુ ફાયદો થવાની અપેક્ષા છે. યુરોપિયન યુનિયનમાં આયાત કર હાલમાં 10 ટકાની આસપાસ છે અને તેમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. 

આનાથી ભારતની નિકાસને અગાઉ ગુમાવેલા વેપારી લાભોની ભરપાઈ કરવામાં મદદ મળી શકે છે અને શ્રમ-સઘન ઉદ્યોગોમાં રોજગારીની નવી તકોનું સર્જન થવાની અપેક્ષા છે.

ઓટોમોબાઈલ સેક્ટર

ભારતમાં કાર પરના ઈમ્પોર્ટ ટેક્સમાં મોટો ઘટાડો થવાની ધારણા છે. આ ટેક્સ 110 ટકાથી ઘટીને 40 ટકા થઇ શકે છે. એટલે કે યુરોપમાં બનેલી કાર હવે ભારતમાં વધુ સસ્તી બનશે.

ફાર્માસ્યુટિકલ્સ, ઔદ્યોગિક ઉત્પાદનો અને ખાદ્ય પ્રસંસ્કરણ

યુરોપિયન યુનિયનના બજારમાં સરળતાથી પહોંચવાથી ભારતીય જેનરિક દવાઓ, એન્જિનિયરિંગ ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ખાદ્ય ચીજવસ્તુઓની નિકાસમાં વધારો થઈ શકે છે.

સેવાઓ – આઇટી, ફાઇનાન્સ અને પ્રોફેશનલ સેવાઓ

આ સમજૂતી યુરોપીયન કંપનીઓને ભારતમાં કામ કરવાની વધારે તકો પ્રદાન કરશે, જે નવા રોકાણ ઉપરાંત કૌશલ્ય અને કુશળતાનું આદાન-પ્રદાન વધારશે.

કૃષિ ઉત્પાદનો, વાઇન અને ઓલિવ તેલ

આ ક્ષેત્ર પર અસર મિશ્રિત થઈ શકે છે. યુરોપિયન યુનિયનના ઉત્પાદનોનો સરળ પ્રવેશ કેટલાક સ્થાનિક ખેડુતો માટે પડકાર ઉભો કરી શકે છે. પરંતુ ભારતીય પ્રોસેસ્ડ ફૂડ નિકાસને યુરોપમાં વધુ સારું બજાર મળવાની અપેક્ષા છે.

યુએસ ટેરિફની ધમકીઓએ ભારત-યુરોપિયન યુનિયન વેપાર વાટાઘાટોને વેગ આપ્યો છે, ભારત અને યુરોપિયન યુનિયન ભૌગોલિક આર્થિક ફેરફારો વચ્ચે વાટાઘાટોની સ્થિતિનું પુનર્મૂલ્યાંકન કરીને મતભેદો દૂર કરવામાં સફળ રહ્યા છે. 

એક અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, કેટલાક મહત્વના પ્રકરણોને સામેલ કર્યા પછી ભારત અને યુરોપિયન યુનિયને કુલ 21 પ્રકરણો પર વાટાઘાટો પૂરી કરી લીધી છે. આ સમજૂતીની કાયદાકીય તપાસમાં ચારથી પાંચ મહિનાનો સમય લાગશે, પરંતુ યુરોપિયન સંસદ દ્વારા બહાલી મળ્યા બાદ આ વ્યાપાર સમજૂતી આવતા વર્ષની શરૂઆત સુધીમાં લાગુ થઈ જશે.

ભારત-રશિયા 2030 સુધીમાં 100 અબજ ડોલરનો વેપાર લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માંગે છે, જાણો શું છે યોજના

નોંધનીય છે કે, ભારત EU FTA આવતા વર્ષ સુધીમાં લાગુ થવાની ધારણા છે, જે દરમિયાન અમેરિકી ટેરિફ ને કારણે ભારતીય નિકાસકારોને નુકસાન સહન કરવું પડી શકે છે.

સરકાર પાસેથી તાત્કાલિક મદદની માંગ કરતા કાપડ નિકાસકારોએ ગયા અઠવાડિયે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પત્ર લખીને અમેરિકી ટેરિફના કારણે નોકરીઓ ગુમાવવાની આશંકા વ્યક્ત કરી હતી.

India Trade Policy: અમેરિકા કે યુરોપિયન યુનિયન ભારત માટે કોની સાથે વેપાર સોદો કરવો વધુ ફાયદાકારક છે? સરળ ભાષામાં સમજો

આ સફળતા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે એક મોટો કરાર થયો છે. આ સમજૂતી ભારત અને યુરોપની જનતા માટે મોટી તકો લઈને આવશે. તે વિશ્વની બે પ્રમુખ અર્થવ્યવસ્થાઓ વચ્ચેની ભાગીદારીનું એક આદર્શ ઉદાહરણ છે. આ કરાર વૈશ્વિક જીડીપી (GDP) ના 25 ટકા અને વૈશ્વિક વ્યાપારનો ત્રીજો ભાગ દર્શાવે છે.

દેશ નરેન્દ્ર મોદી બિઝનેસ