ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનને આપ્યા જામીન, અલ કાદિર ટ્રસ્ટ કેસમાં મળી રાહત

Imran Khan Al Qadir Trust case : પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ રાજકીય સંકટ (Pakistan Political Crisis) સર્જાયું હતુ. અલ કાદિર ટ્રસ્ટ કેસમાં પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે (pakistan supreme court) પૂર્વ પીએમ ખાનના જામીન (Bail) મંજૂર કરી રાહત આપી છે.

Imran Khan Al Qadir Trust case : પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ રાજકીય સંકટ (Pakistan Political Crisis) સર્જાયું હતુ. અલ કાદિર ટ્રસ્ટ કેસમાં પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે (pakistan supreme court) પૂર્વ પીએમ ખાનના જામીન (Bail) મંજૂર કરી રાહત આપી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Imran Khan relief in Al Qadir Trust case

અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનને રાહત

Pakistan Political Crisis: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. અલ કાદિર ટ્રસ્ટ કેસમાં કોર્ટે ઈમરાન ખાનને બે અઠવાડિયાના જામીન આપ્યા છે. આ પહેલા ઈમરાન ખાનને કડક સુરક્ષા વચ્ચે આગોતરા જામીન માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સાથે જ એવી આશંકા હતી કે, સુનાવણી બાદ ઈમરાન ખાનની ધરપકડ થઈ શકે છે. ઈમરાનની આ ધરપકડ 9 મેના રોજ થયેલી હિંસા સાથે જોડાયેલી હોઈ શકે છે. આ અંગે ખુદ ઈમરાન ખાને આશંકા વ્યક્ત કરી હતી.

Advertisment

આ પહેલા ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાનને મોટી રાહત આપી હતી. કોર્ટે તોશાખાના કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ સુનાવણી પર રોક લગાવી દીધી છે. ઈમરાન ખાન વિરુદ્ધ કોઈ ફોજદારી કેસ ચાલશે નહીં. પાકિસ્તાનના ચૂંટણી પંચે ક્રિમિનલ ટ્રાયલ માટે અરજી કરી હતી. ઈમરાનની કોર્ટની હાજરીને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે અત્યાર સુધીમાં એક હજારથી વધુ પીટીઆઈ કાર્યકરોની ધરપકડ કરી છે.

સુપ્રીમ કોર્ટે ઈમરાનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો

ગુરુવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની કોર્ટ પરિસરમાંથી ધરપકડને અયોગ્ય ઠેરવતા તેમને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ સરકાર અને સેના બંને બેકફૂટ પર આવી ગયા હતા.પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મોટો ઝટકો લાગ્યો છે. શરીફની પાર્ટીના ઘણા નેતાઓ ચીફ જસ્ટિસ પર નિશાન સાધી રહ્યા છે.

કોર્ટમાં હાજર થતા પહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને ભારે પોલીસ સુરક્ષા વચ્ચે પોલીસ લાઈનના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. અહીંથી તેમને સીધા હાઈકોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે ઈમરાન ખાને પોતાના સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, કસ્ટડી દરમિયાન તેમને લાકડીઓથી મારવામાં આવ્યા હતા. આવું વર્તન ગુનેગારને પણ સ્વીકાર્ય નથી.

Advertisment

મારી સામે 145 કેસ નોંધાયા છેઃ ઈમરાન ખાન

ઈમરાન ખાને કહ્યું કે, તેમની સામે 145 કેસ નોંધાયા છે. તેમની આતંકવાદીની જેમ ધરપકડ કરવામાં આવી હતી. તો, ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ, જસ્ટિસ મુહમ્મદ અલી મઝહર અને જસ્ટિસ અતર મિનાલ્લાહની ત્રણ સભ્યોની બેંચે મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી તેમની ધરપકડ વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, તેમની વિરુદ્ધ ગેરકાયદે કાર્યવાહી કરવામાં આવી છે.

સેનાએ ઈમરાન ખાનની કોર્ટ પરિસરમાંથી ધરપકડ કરી હતી

પાકિસ્તાનની તહરીફ-એ-ઈન્સાફ પાર્ટી (PTI)ના પ્રમુખ ઈમરાન ખાનની મંગળવારે અર્ધ સૈનિક દળે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાથી ધરપકડ કરી હતી. કોર્ટે એનએબીને ઈમરાનને સ્થાનિક સમય મુજબ સાંજે 4.30 વાગ્યા સુધીમાં હાજર કરવાનો નિર્દેશ આપ્યો હતો. ખાનને કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Imran Khan Arrest : પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને ગેરકાયદેસર ગણાવી, જેલમાંથી બહાર આવ્યા

અલકાદિર ટ્રસ્ટ કેસમાં તેમની ધરપકડ સામે પીટીઆઈના અધ્યક્ષની અરજીની સુનાવણી દરમિયાન પાક રેન્જર્સે જે રીતે તેમની ધરપકડ કરી, તેના પર પણ બેન્ચે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ખંડપીઠે અધિકારીઓને તેમની સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ બંદિયાલે ઈમરાનને કહ્યું, 'તમને જોઈને સારું લાગ્યું. અમે માનીએ છીએ કે તમારી ધરપકડ ગેરકાયદેસર છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે શુક્રવારે આ મામલે સુનાવણી કરવી જોઈએ અને તે જે પણ નિર્ણય આપે તે તમારે સ્વીકારવો પડશે.

ગુજરાતી ન્યૂઝ પાકિસ્તાન ટ્રેન્ડિંગ ન્યૂઝ