પાકિસ્તાન : પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા, ઈમરાન માસ્ક પહેરી બહાર આવ્યા, યુદ્ધ જેવી સ્થિતિ જોઈ કોર્ટે ધરપકડ પર રોક લગાવી

Pakistan News : પાકિસ્તાન પૂર્વ પીએમ ઈમરાન ખાન (Imran Khan) ની ધરપકડ (Arrest) કરવાના પોલીસ (police) ના તમામ પ્રયાસ નિષ્ફળ સાબિત થયા છે, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, બખ્તરબંધ વાહનો સાથે ધરપકડ માટે પહોંચી, પરંતુ કાર્યકરો પોલીસ અને ઈમરાન ખાનના નિવાસસ્થાનથી હટ્યા નહી. કોર્ટે (Court) આખરે ધરપકડ નહીં કરવા આદેશ આપ્યો.

Pakistan News : પાકિસ્તાન પૂર્વ પીએમ ઈમરાન ખાન (Imran Khan) ની ધરપકડ (Arrest) કરવાના પોલીસ (police) ના તમામ પ્રયાસ નિષ્ફળ સાબિત થયા છે, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, બખ્તરબંધ વાહનો સાથે ધરપકડ માટે પહોંચી, પરંતુ કાર્યકરો પોલીસ અને ઈમરાન ખાનના નિવાસસ્થાનથી હટ્યા નહી. કોર્ટે (Court) આખરે ધરપકડ નહીં કરવા આદેશ આપ્યો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

પોલીસે ઈમરાન ખાનના ઘર પર ટીયર ગેસના શેલ છોડ્યા - કોર્ટે સ્થિતિ જોઈ ધરપકડ નહી કરવા આદેશ આપ્યો. (ફોટો - ઈમરાન ખાન - ટ્વીટર)

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ કરવાના તમામ પ્રયાસો નિરર્થક સાબિત થયા છે. ઈમરાનના સમર્થકોએ પોલીસને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ બાદ લાહોરના જમાન પાર્ક વિસ્તારમાં યુદ્ધ જેવો માહોલ જોવા મળ્યો હતો. ટીયર ગેસના શેલ, સળગેલા ટાયર અને વાહનોનો કાટમાળ રસ્તાઓ પર ફેલાયેલો જોવા મળે છે. આ અથડામણમાં ડઝનબંધ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર, જ્યારે પોલીસે ઈમરાનના ઘર પર ટીયર ગેસના શેલ ફેંક્યા ત્યારે પૂર્વ પીએમ માસ્ક પહેરીને બહાર આવ્યા હતા. તે લોકો સાથે વાત કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ લાહોરની એક અદાલતે પોલીસ અને ઈમરાન ખાનના સમર્થકો વચ્ચેની લડાઈ જોઈ તેમની ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો હતો.

Advertisment

તોશાખાના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી થયા બાદ પાકિસ્તાન પોલીસ તેની ધરપકડ કરવા તેના લાહોરના ઘરેથી બખ્તરબંધ વાહનો સાથે પહોંચી હતી. ઈમરાન ખાન પર આરોપ છે કે, તેમણે વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન તોશાખાનામાંથી મળેલી ભેટોને ઓછી કિંમતે ખરીદી હતી અને નફા માટે વેચી દીધી હતી. ઈમરાને બુધવારે ટ્વીટ કર્યું હતું કે, 'ધરપકડ'નો દાવો માત્ર નાટક છે, કારણ કે અસલી ઈરાદો અપહરણ અને હત્યા કરવાનો છે. તેઓએ ટીયર ગેસ અને વોટર કેનન બાદ ગોળીબાર કર્યો. મેં ગઈકાલે સાંજે બોન્ડ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીઆઈજી) એ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમના ઈરાદા દૂષિત છે, તેમાં કોઈ શંકા નથી.

તોશાખાના કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવા તેના નિવાસસ્થાને પહોંચેલી પોલીસે ત્યાં ભેગા થયેલા દેખાવકારોનો પીછો કર્યો હતો. પરિસ્થિતિ વધુ વણસી જવાની ધારણામાં, ખાન સહિત પીટીઆઈના વિવિધ નેતાઓએ પાર્ટીના કાર્યકરોને ઝમાન પાર્ક ખાતે ભેગા થવા અપીલ કરી, જ્યાં તેઓએ માનવ ઢાલ તરીકે કામ કર્યું. લોકો ઇમરાન ખાનના નિવાસસ્થાન અને પોલીસ વચ્ચે ઉભા હતા. પોલીસ કર્મચારીઓએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા, પરંતુ પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો અને પીટીઆઈના કાર્યકરો તેમની જમીન પરથી હટ્યા ન હતા.

આ પણ વાંચો - ઈમરાન ખાનની થશે ધરપકડ! પોલીસ બખ્તરબંધ વાહનોમાં પહોંચી, પક્ષના કાર્યકરો નિવાસસ્થાનની બહાર ભેગા થયા

Advertisment

ઈમરાન ખાને કહ્યું કે, ગઈકાલે સવારથી અમારા કાર્યકરો અને નેતૃત્વ ટીયર ગેસ, કેમિકલ વોટર કેનન, રબર બુલેટ અને પોલીસની ગોળીઓના હુમલાનો સામનો કરી રહ્યા છે. હવે અહીં 'રેન્જર્સ' છે અને જનતાનો તેમની સાથે સીધો મુકાબલો થશે. તેમણે કહ્યું કે, તટસ્થ હોવાનો દાવો કરનારા પ્રશાસનને મારો પ્રશ્ન છે કે, શું આ તમારી તટસ્થતા છે. રેન્જર્સ નિઃશસ્ત્ર વિરોધીઓ અને સૌથી મોટા રાજકીય પક્ષના નેતૃત્વ સાથે સીધો મુકાબલો કરી રહ્યા છે, કારણ કે તેમના નેતા વિરુદ્ધ ગેરકાયદેસર વોરંટ જારી કરવામાં આવ્યું છે.

પાકિસ્તાન ટ્રેન્ડિંગ ન્યૂઝ વિશ્વ