Russia - Ukraine war : યુક્રેનમાં યુદ્ધનું એક વર્ષ, પશ્ચિમી ગઠબંધન, રશિયાની સ્થિતિ, ભારતની ચિંતા

Russia Ukraine war year : યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનું આગામી 24 ફેબ્રઆરીએ એક વર્ષ પુર્ણ થવા જઈ રહ્યું છે. 24 ફેબ્રુઆરી 2022થી 12 ફેબ્રુઆરી 2023 સુધી યુક્રેનમાં 18,955 નાગરિકો પ્રભાવિત થયા છે, 7199 લોકો મોતને ભેટ્યા છે.

Russia Ukraine war year : યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનું આગામી 24 ફેબ્રઆરીએ એક વર્ષ પુર્ણ થવા જઈ રહ્યું છે. 24 ફેબ્રુઆરી 2022થી 12 ફેબ્રુઆરી 2023 સુધી યુક્રેનમાં 18,955 નાગરિકો પ્રભાવિત થયા છે, 7199 લોકો મોતને ભેટ્યા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Russia Ukraine Relations, Russia Ukraine Crisis, Russia Ukraine cease fire

રશિયા યુક્રેન યુદ્ધ ફાઇલ તસવીર (photo source New york times)

Nirupama Subramanian : આ મહિનાની શરુઆતમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે રશિયા અને યુક્રેન યુદ્ધની સમાપ્તિની સંભાવનાઓ અંગે એક ગંભીર ભવિષ્યવાણી કરી હતી. ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનું આગામી 24 ફેબ્રઆરીએ એક વર્ષ પુર્ણ થવા જઈ રહ્યું છે.

Advertisment

એન્ટોનિયો ગુટેરેસે 6 ફેબ્રુઆરીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક ભાષણમાં જણાવ્યું હતું કે "શાંતીની સંભાવનાઓ ઓછી લાગી રહી છે. જ્યારે યુદ્ધ આગળ વધવા અને રક્તપાતની સંભાવના વધી રહી છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે દુનિયા એક વ્યાપક યુદ્ધ તરફ વધી રહી છે. મને ડર છે કે આ પોતાની ખુલ્લી આંખોથી આવું કરી રહ્યું છે.

અમેરિકાની નેતૃત્વવાળી પશ્વિમી ગઠબંધનને આશા છે કે રશિયા આવનારા દિવસોમાં વધુ એક મોટો હુમલો કરશે. યુક્રેનને ડર છે કે રશિયાના આક્રમણની વર્ષગાંઠ પર વધુ એક નવો હુમલો થઈ શકે છે.

યુદ્ધમાં 7199 લોકો મોતને ભેટ્યા

માનવાધિકારો માટે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવનું કાર્યાલયે 13 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે 24 ફેબ્રુઆરી 2022થી 12 ફેબ્રુઆરી 2023 સુધી યુક્રેનમાં 18,955 નાગરિકો પ્રભાવિત થયા છે, 7199 લોકો મોતને ભેટ્યા છે. 11,756 લોકો ઘાયલ થયા છે. મરનારની સંખ્યામાં 2888 પુરુષ, 1941 મહિલાઓ, 226 યુવક, 180 યુવતી અને 32 બાળકો ઉપરાંત 1932 વયસ્કનો સમાવેશ થાય છે.

Advertisment

આ ઉપરાંત યુદ્ધ યુક્રેનની ભુમી પર લડવામાં આવી રહ્યું છે ત્યારે પ્રભાવીત નાગરિકો આજ દેશમાં રહે છે. સૈન્ય જાનહાતિની સંખ્યા હજી સ્પષ્ટ થઈ નથી. પરંતુ બંને પક્ષોનો હજારો સૈનિકો હોઈ શકે છે. યુદ્ધે ગત વર્ષમાં યૂક્રેનથી 7.5 મિલિયનથી વધારે લોકો સ્થળાંતર થઈ ગયા છે.

સંઘર્ષનું યુદ્ધ

આશા રાખીએ કે રશિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનમાં એક ત્વરિત ઓપરેશન કરી શકે છે જે કદાચ કીવમાં એક શાસન પરિવર્તનની સાથે સમાપ્ત થઈ જશે. યુક્રેનના રાષ્ટ્રપ વ્લોડિમિર જેલેક્સી લડી રહ્યા છે. બંને પક્ષો વર્તમાનમાં જાનહાનીની સંખ્યા વધી રહી છે. ક્ષેત્રીય લાભ અને હાનીઓને ઉલટવાનો પ્રયત્ન કરીને એકબીજાને નીચું દેખાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રશિયાએ ગુરુવારે યુક્રેનમાં 32 મિસાઇલો છોડી હતી. યુદ્ધ શરુ થયા બાદ આ પ્રકારનો 15મો હુમલો હતો. યુક્રેનને કહ્યું કે આમાંથી 16 મિસાઇલોને રોકી દીધી હતી.

આ પણ વાંચોઃ-Raisina Dialogue : ઇરાનના વિદેશ મંત્રી રાયસીના ડાયલોગમાં નહિ આપે હાજરી, વિડીયો પર થયા નારાજ

અમેરિકાની નેતૃત્વવાળી પશ્વિમી ગઠબંધન જેમાં જર્મની પણ સામેલ છે. જે પહેલા શાંતિવાદી વિચારને તોડવા અને રશિયા ઉપર પોતાની આર્થિક નિર્ભરતા પર પુનર્વિચાર કરવા માટે અનિચ્છુક હતું. અત્યારે ઝડપથી એક સાથે આવી ગયું છે. આ દેશોમાં છેલ્લા એક વર્ષમાં યુક્રેનમાં અરબો ડોલરની હથિયાર નાંખ્યા છે.

જર્મની અને યુએસએ યુક્રેનના યુદ્ધ પ્રયાસમાં મદદ કરવા માટે ટેન્ક મોકલવાનું વચન આપ્યું છે. યુએસએ તેની પેટ્રિઓટ મિસાઈલ સિસ્ટમ સપ્લાઈ કરી છે. યુકેએ પણ મિસાઈલો અને ટેન્ક મોકલી છે. તુર્કીએ Bayraktar હુમલો ડ્રોન સાથે મદદ કરી; ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુએસએ M777 મિસાઇલો આપી હતી. યુ.એસ.એ M142 હાઇ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ અથવા HIMARS પણ પ્રદાન કર્યું હતું, જેણે ગયા નવેમ્બરમાં ખેરસનને ફરીથી કબજે કરવામાં યુક્રેનને મદદ કરી હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ-BBC after I-T ‘survey’: “કોઈપણ ડર અને પક્ષપાત વગર રિપોર્ટ કરનાર પત્રકારો સાથે ઊભા રહો”

યુદ્ધે ટ્રાન્સ-એટલાન્ટિક પાર્ટનરશીપમાં પરિવર્તન કર્યું, યુરોપે અમેરિકાના જોડાણનું નેતૃત્વ સ્વીકાર્યું. તેણે નાટોને પણ મજબૂત બનાવ્યું છે. બિડેન વહીવટીતંત્ર સૈન્ય સલાહ અને ગુપ્તચર સહાય સાથે $50 બિલિયનથી વધુની સહાય સાથે સમર્થન પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યું છે. ટેન્કોના વચન અને F16 માટે યુક્રેનની વિનંતીને ધ્યાનમાં લેતા, રશિયા આને યુ.એસ. અને પશ્ચિમી દેશો વતી યુક્રેન દ્વારા લડવામાં આવી રહેલ પ્રોક્સી યુદ્ધ સિવાય બીજું કંઈ નથી માને છે. રશિયા માટે, આ એક અસ્તિત્વનું યુદ્ધ છે.

શાંતિ માટે કોઈ પ્રયાસ નથી

જોખમોની અનુભૂતિ હોવા છતાં યુદ્ધને સમાપ્ત કરવા માટે કોઈ ગંભીર પ્રયાસો કરવામાં આવ્યાં નથી. નાટોના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગે ગુરુવારે એએફપીને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે સુરક્ષા જોડાણે યુક્રેન પર તાત્કાલિક આક્રમણ કરતાં "ઘણા વર્ષો" સુધી ચાલનારા સંઘર્ષ માટે તૈયાર રહેવું જોઈએ.

છેલ્લા પાનખરમાં સામયિક ફોરેન અફેર્સના એક લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયન અને યુક્રેનિયન વાટાઘાટકારો એપ્રિલમાં વચગાળાના સોદાની નજીક હતા, યુક્રેન નાટોમાં જોડાશે નહીં અને રશિયા 23 ફેબ્રુઆરી, 2022 પહેલા યથાસ્થિતિમાં પાછા આવશે, જ્યારે તેણે ક્રિમિયા અને તેના પર નિયંત્રણ કર્યું હતું. આ કરાર શા માટે સાકાર ન થયો તે અંગે ઘણી અટકળો કરવામાં આવી રહી છે, કેટલાક અહેવાલો પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની તે સમયે કિવની મુલાકાતની નિષ્ફળતાને જોડતા હતા, જેમણે ઝેલેન્સકીને વાટાઘાટો અટકાવવાનું કહ્યું હોવાનું કહેવાય છે.

Express Exclusive એક્સપ્રેસ એક્સપ્લેન ટ્રેન્ડિંગ ન્યૂઝ યુક્રેન રશિયા વિશ્વ