scorecardresearch

સરહદ સંઘર્ષ બાદ પહેલી વખત બીજિંગમાં ભારત-ચીન બોર્ડર અંગે વાટાઘાટ

India China Clash: બેઇજિંગમાં ભારત-ચીન બોર્ડર (Indian China Border) અફેર્સ પર વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન (WMCC) ની સામ-સામે બેઠકમાં બંને પક્ષોએ આ પ્રસ્તાવો પર ચર્ચા કરી હતી.

ભારત-ચીન બોર્ડર સંઘર્ષ
બીજિંગમાં ભારત-ચીન બોર્ડર અંગે વાટાઘાટ

વર્ષ 2020માં ભારત-ચીન સીમા વિવાદ શરૂ થયા પછી પ્રથમ વખત ચીન સાથે કામ કરતા વિદેશ મંત્રાલયના ભારતના ટોચના અધિકારીએ ભારત-ચીન બોર્ડર અફેર્સ પર કન્સલ્ટેશન અને કોઓર્ડિનેશન માટેની કાર્યકારી મિકેનિઝમની 26મી બેઠક માટે બેઇજિંગનો પ્રવાસ કર્યો હોવાનો અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2019માં આયોજિત 14મી બેઠક પછી આ પ્રથમ વ્યક્તિગત WMCC મીટિંગ હતી.પૂર્વી લદ્દાખમાં મે 2020માં શરૂ થયેલા સરહદી અવરોધ દરમિયાન, WMCC એ 11 બેઠકો યોજી છે, પરંતુ એ તમામ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઇ હતી.

જો કે આ બેઠકમાં ભારત અને ચીને બીજીંગમાં રાજદ્વારી વાટાઘાટો કરી હતી તેમજ પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LOC) પર ટકરાવ વાળા સ્થાનોથી પોતાના સૈનિકોને પીછેહઠના પ્રસ્તાવો પર ખુલ્લીને અને રચનાત્મક બંને રીતે ચર્ચા કરી હતી, પણ તેમાં આ સમસ્યાનું સમાધાન નીકળવાનો સંકેત નથી.

આ પણ વાંચો: ‘માછલી વેચતા હતા પાકિસ્તાનના જનક ઝીણાના પૂર્વજ’ – ગુજરાતના જેનાભાઇ ઠક્કરના પુત્ર કેવી રીતે મહમ્મદ અલી ઝીણા બન્યા, જાણો

ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા અધિકારી શિલ્પક અંબુલે, વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા) જેઓ ચીન, જાપાન અને કોરિયા સાથેના સંબંધોનું ધ્યાન રાખે છે. તો ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ચીનના વિદેશ મંત્રાલયના સીમા અને મહાસાગર બાબતોના વિભાગના ડાયરેક્ટર જનરલે કર્યું હતું.

આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

અંબુલેએ ચીનના નેતાઓ હુ જિન્તાઓ, વેન જિયાબાઓ, લી કેકિઆંગ અને શી જિનપિંગ સાથેની તેમની બેઠકો દરમિયાન વડાપ્રધાન મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદી માટે સત્તાવાર દુભાષિયા તરીકે અને ભારતીય દૂતાવાસમાં રાજદ્વારી તરીકે સેવા આપી છે હોવાની વાત કરી હતી.

Web Title: Wmcc 26th meeting india china border stand off beijing border talks delhi envoy

Best of Express