Budget 2023: બજેટ 2023માં જો મોદી સરકાર આ 4 કામ કરી દે તો વાત બની જાય

India Budget 2023 News Live Updates: નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું પાંચમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) કપિલ મિત્તલ જણાવી રહ્યા છે બજેટ પાસેથી શું અપેક્ષાઓ છે.

Written by mansi bhuva
Updated : February 01, 2023 10:56 IST
Budget 2023: બજેટ 2023માં જો મોદી સરકાર આ 4 કામ કરી દે તો વાત બની જાય
Budget 2023-24 Live Updates: બજેટ 2023માં શું હશે ખાસ

Union Budget 2023-24 Live Updates: આજે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરશે. જેને હવે ગણતરીની ક્ષણ બાકી છે. યુનિયન બજેટ 2023 પર દરેક વર્ગના લોકોની નજર છે. ખાસ કરીને મધ્યમ અને નોકરીયાત વર્ગના લોકોને ઘણી આશાઓ બંધાયેલી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ રિવાઇઝ્ડ ITR નિર્ધારણ વર્ષના અંતથી એક વર્ષ સુધી ફાઇલ કરી શકાતું હતું, પરંતુ વર્તમાન સરકારે તેમાં ફેરફાર લાવ્યો હતો. જેમાં ફરી ઘટાડો કરીને 31 ડિસેમ્બર કરવામાં આવી. જેને પગલે કરદાતાઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને કોરોના મહામારી સમયે.

આ પણ વાંચો: Budget 2023 Live Updates: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે બજેટ, કરી શકે છે મોટી જાહેરાતો

આ બાદ સરકારે બજેટ 2022માં નાણાકીય વર્ષ 2020-21 માટે અપડેટેડ ITR ફાઇલ કરવા માટે જોગવાઈ 139(8A) લાવી, પરંતુ તેની શરતો એટલી કડક છે કે લોકો તેનો કોઈ લાભ લઈ શકતા નથી.

1. જ્યારે મૂળ કારણ અપડેટ થયેલ ITR હતું. કોઇ કારણોસર જેઓ તેમની ITR ફાઇલ કરી શક્યા નથી અથવા કેટલીક ભૂલ કરી છે, તેમની આવક યોગ્ય રીતે નક્કી કરી શકાઈ નથી. દરેક વ્યક્તિ તેનો લાભ લઈ શકે છે. પરંતુ હવે લોકોને આવકવેરા કલમ 139(8A) દ્વારા એક રીતે સજાને પાત્ર બની રહ્યા છે. સરકારે જૂના આવકવેરા સુધારેલા રિટર્ન સંબંધિત કલમ 139(5) અથવા 139(4) જેવી અપડેટેડ ITIની જોગવાઈ લાવવી જોઈએ.

2. GSTમાં ફેરફારની સખત જરૂર છે. પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવું જોઈએ અથવા પેટ્રોલ, ડીઝલ, CNG વગેરે પર વધારાની કસ્ટમ ડ્યુટી, એક્સાઈઝ ડ્યુટી, વેટ વગેરે ઘટાડવાની સખત જરૂર છે. જેના કારણે મોંઘવારી ઘટશે અને ઓટોમોબાઈલ સેક્ટર તથા પ્રોડક્શન સેક્ટરને રાહત મળશે. જો સરકાર ઇચ્છે તો થોડો આવકવેરો વધારીને નાણાકીય ખાધને પૂરી કરી શકે છે. આનો વિકલ્પ સુપર રિચ પર ટેક્સ હોઈ શકે છે.

3. આ દિવસોમાં પાડોશી દેશ પાકિસ્તાનમાં દરેક જગ્યાએ મોંઘવારીની ચર્ચા છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં ખાદ્ય પદાર્થોમાં જબરદસ્ત વધારો થયો છે. ઘઉં, લોટ, સરસવના તેલ જેવી વસ્તુઓના ભાવમાં બમણો વધારો થયો છે અને કડક નિયંત્રણ જરૂરી છે. આવી સ્થિતિમાં લોટ, તેલ, દૂધ, દહીં, બ્રેડ, કઠોળ, ચોખા જેવી ખાદ્ય ચીજો પર જીએસટી નાબૂદ કરવાની સખત જરૂર છે.

4. બજેટ 2021માં પ્રસ્તાવિત નેશનલ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી (Vehicle Scrappage Policy) દ્વારા સરકારે 10-15 વર્ષ જૂના પેટ્રોલ -ડીઝલ વાહનો ચલાવવાની પરવાનગીની જોગવાઈ કરી હતી, જે ફિટનેસ ટેસ્ટમાં યોગ્ય જણાય છે. પરંતુ દિલ્હી-એનસીઆરમાં 10-15 વર્ષ જૂના ડીઝલ-પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાના સુપ્રીમ કોર્ટના આદેશને કારણે, આ નીતિ દિલ્હી-એનસીઆરમાં લાગુ કરવામાં આવી નથી.

સમગ્ર મામલે કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, સરકારનો હેતુ એ હતો કે આ નીતિને સમગ્ર દેશમાં લાદવામાં આવે. હાલમાં આ નીતિ દિલ્હીમાં લાગુ ન હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે બજેટ 2023માં આ વિવાદ પર જોગવાઈ લાવવી જોઈએ. કાર ચાલકો ઉપરાંત, નાના-મધ્યમ વર્ગના કારના પાર્ટ્સ બનાવતી કંપનીઓ, ફર્મ, કાર ચાલકો, ટેક્સી ડ્રાઈવરોને આનો લાભ મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ