આજનો ઇતિહાસ 19 મે : રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ - લુપ્તપ્રાય વન્યજીવોને સંરક્ષણની જરૂર

Today history 19 May : આજે 19 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ છે. ઉપરાંત 1857ની ક્રાંતિના યોદ્ધા નાના સાહેબની જન્મજયંતિ અને ટાટા ગ્રૂપના સ્થાપક જમશેદજી નુસેરવાનજી ટાટાની પૃણ્યતીથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Today history 19 May : આજે 19 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ છે. ઉપરાંત 1857ની ક્રાંતિના યોદ્ધા નાના સાહેબની જન્મજયંતિ અને ટાટા ગ્રૂપના સ્થાપક જમશેદજી નુસેરવાનજી ટાટાની પૃણ્યતીથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
National Endangered Species

રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ

Today history 19 May : આજે 19 મે 2023 (19 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ છે. લુપ્તપ્રાય પ્રાણી-પક્ષીઓના સંરક્ષણ માટે આ દિવસ ઉજવાય છે. તો ભારતની 1857ની ક્રાંતિના યોદ્ધા નાના સાહેબનો વર્ષ 1824માં જન્મ થયો હતો. 1904માં ભારતના પ્રથમ ઉદ્યોગપતિ જમશેદજી નુસેરવાનજી ટાટાનું અવસાન થયું હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં (19 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Advertisment

19 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1571 - મિગુએલ લોપેઝ ડી જગાઝપીએ ફિલિપાઈન્સની રાજધાની મનીલાની સ્થાપના કરી.
  • 1848 - વિશ્વનો પ્રથમ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલવામાં આવ્યો.
  • 1881 - આધુનિક તુર્કીના સર્જક કમલ અતાતુર્કનો જન્મ થયો.
  • 1885 - જર્મન ચાન્સેલર બિસ્ફાર્કે કેમેરૂન અને ટોંગોલેન્ડના આફ્રિકન દેશો પર કબજો કર્યો.
  • 1892- પ્રખ્યાત નાટ્યકાર અને કવિ ઓસ્કર વાઈલ્ડને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
  • 1900 - તત્કાલીન વિશ્વની સૌથી મોટી રેલ ટનલ સિમ્પલોન મુસાફરો માટે ખોલવામાં આવી, આ ટનલ ઇટાલી-સ્વિત્ઝર્લેન્ડ માર્ગ સાથે જોડાયેલ છે.
  • 1904 - ભારતના પ્રથમ ઉદ્યોગપતિ જમશેદજી નુસેરવાનજી ટાટાનું અવસાન થયું.
  • 1910- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસેનો જન્મ થયો હતો.
  • 1913- દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ થયો હતો.
  • 1922- સોવિયેત યુનિયનમાં પાયોનિયર યુથ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના થઈ.
  • 1926- બેનિટો મુસોલિનીએ ઇટાલીને ફાસીવાદી રાષ્ટ્ર જાહેર કર્યું.
  • 2001 - પેલેસ્ટિનિયાના હેડક્વાર્ટર પર ઇઝરાયેલનો હવાઈ હુમલો, 15 લોકો ઘાયલ.
  • 2002 - પૂર્વ તિમોર ચાર સદીઓની ગુલામી પછી નવી સહસ્ત્રાબ્દીના પ્રથમ નવા રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર ઉભરી આવ્યું.
  • 2003 - જીબુતીના રાષ્ટ્રપતિ ઈસ્માઈલ ઉમર ગુલેહ ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા.
  • 2006 - ભારતીય મૂળના મલેશિયન ઉદ્યોગપતિ ટી. રવિચંદ્રને માઉન્ટ એવરેસ્ટ જીત્યો.
  • 2007 - અમેરિકાની સેનેટમાં વ્યાપક ઇમિગ્રેશન રિફોર્મ બિલ પર સર્વસંમતિ.
  • 2008 - પરંપરાગત મરાઠી રંગભૂમિના પ્રણેતા વિજય તેંડુલકરનું અવસાન થયું. નાથુલા ઘાટથી ભારત અને ચીન વચ્ચેનો વેપાર ફરી શરૂ થયો. વર્લ્ડ લેબર ઓર્ગેનાઈઝેશનના કાર્યકારી અધ્યક્ષ અસનેએ નવી દિલ્હીમાં સામાજિક સુરક્ષા પરની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમ્મદે સત્તાધારી પક્ષથી અલગ થવાની જાહેરાત કરી હતી. ચીને ભારતીય તીર્થયાત્રીઓની કૈલાશ માનસરોવરની મુલાકાત સ્થગિત કરી દીધી છે.
  • 2010-
  • બિહારના મુઝફ્ફરપુર-રક્સૌલ રેલ્વે સેક્શન પર, મોતિહારી જિલ્લાના જીવધારા અને પિપરા રેલ્વે સ્ટેશનની વચ્ચે, નક્સલવાદીઓએ બંગારી હોલ્ટ નજીક રેલ ટ્રેકને ઉડાવી દીધો, જેના કારણે એક ટેન્કર માલ ટ્રેન ક્રેશ થઈ ગઈ અને તેની 13 બોગીઓમાં આગ લાગી.

આ પણ વાંચોઃ 18 મેનો ઇતિહાસ : પોખરણ પરમાણુ વિસ્ફોટ દિવસ, આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ

રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ

દર વર્ષે મે મહિનામાં ત્રીજા શુક્રવારે રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસની (National Endangered Species Day) ઉજવણી કરવામાં આવે છે. વન્યજીવ સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને તમામ જોખમી પ્રજાતિઓ માટે પુનઃસ્થાપન પ્રયાસો કરવાના હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લુપ્તપ્રાય પ્રજાતિ અધિનિયમ 1973, વન્યજીવન અને જોખમી પ્રજાતિઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Advertisment

આ પણ વાંચોઃ 17 મેનો ઇતિહાસ : વર્લ્ડ ટેલીકોમ ડે; વિશ્વ હાઇપરટેન્શન દિવસ – હાઈ બ્લડ પ્રેશરની બીમારી યુવાઓને પણ ભરડામાં લઇ રહી છે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • દીપક પુનિયા (1999) - ભારતીય ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ.
  • ટી.સી. યોહાન્નન (1947) - લાંબી કૂદનો ભારતીય ખેલાડી.
  • નીલમ સંજીવ રેડ્ડી (1913)- ભારતના રાષ્ટ્રપતિ હતા.
  • રસ્કિન બોન્ડ (1934) - અંગ્રેજી ભાષાના ભારતીય લેખક.
  • ગિરીશ કર્નાડ (1938) - કવિ, થિયેટર કાર્યકર, વાર્તા લેખક, નાટ્યકાર, ફિલ્મ નિર્દેશક અને ફિલ્મ અભિનેતા.
  • કમાલ અતાતુર્ક (1881) - આધુનિક તુર્કીના સર્જક હતા.
  • નાના સાહેબ (1824) - ભારતના 1857ની ક્રાંતિના યોદ્ધા હતા.

આ પણ વાંચોઃ 16 મેનો ઇતિહાસ : સિક્કિમ સ્થાપના દિવસ – રાજાશાહીના અંત સાથે લોકશાહીનો ઉદય થયો

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સોંભુ મિત્રા (1997) - એક ફિલ્મ અને સ્ટેજ અભિનેતા, દિગ્દર્શક અને નાટ્યકાર હતા.
  • જાનકી રામચંદ્રન (1996) - પ્રખ્યાત તમિલ અભિનેત્રી અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
  • જમશેદજી ટાટા (1904) - ટાટા ગ્રુપના સ્થાપક.
  • હજારી પ્રસાદ દ્વિવેદી (1979) - હિન્દીના ટોચના લેખક
  • ઇ.કે. નાયનાર (2004) - ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) રાજકારણી, કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
  • વિજય તેંડુલકર (2008) - ભારતીય નાટ્યકાર અને થિયેટર કાર્યકર.

આ પણ વાંચોઃ 15 મેનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ – વિશ્વ શાંતિ માટે ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના જરૂરી

આજના દિવસનો ઇતિહાસ ટ્રેન્ડિંગ ન્યૂઝ knowledge કરિયર