Today history 30 May : આજે 30 મે 2023 (30 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ગોવા રાજ્ય સ્થાપના દિવસ છે. ભારતની આઝાદી બાદ વર્ષ 1987માં આજની તારીખે ગોવાએ કેન્દ્ર શાસિત રાજ્યમાંથી સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવ્યો અને આમ તે ભારતનું 25મું રાજ્ય બન્યુ હતુ. આજે હિન્દી પત્રકારત્વ દિવસ છે. આજે શીખ ધર્મના પાંચમાં ગુરુ અર્જન દેવની પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (30 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
30 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1981 – બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ ઝિયા-ઉર-રહેમાનની તેમના 8 સાથીઓ સાથે હત્યા, દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી.
- 1987 – ગોવાને ભારતના રાજ્યનો દરજ્જો મળ્યો. ગોવા ભારતનું 26મું રાજ્ય બન્યું.
- 1996 – 6 વર્ષના બાળક ગેધુન ચોકી નાઇયાને નવા પંચેન લામા તરીકે ચૂંટાયો.
- 1998 – પાકિસ્તાન દ્વારા વધુ એક (છઠ્ઠું) પરમાણુ પરીક્ષણ, અફઘાનિસ્તાનમાં તીવ્ર ભૂકંપને કારણે 5000 લોકોના મૃત્યુની આશંકા.
- 2003 – નેપાળના કાર્યવાહક વડા પ્રધાન લોકેન્દ્ર બહાદુર ચંદે રાજીનામું આપ્યું.
- 2004 – સાઉદી અરેબિયામાં બંધક કટોકટીનો અંત આવ્યો, પરંતુ બે ભારતીયો સહિત 22 માર્યા ગયા.
- 2007 – આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષક દિવસ પર 107 શાંતિ રક્ષકોને પુરસ્કાર આપવામાં આવ્યો.
- 2008 – સુજાના મેટલ પ્રોડક્ટ્સ લિમિટેડે વિશાખાપટ્ટનમમાં 180 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ સ્ટીલ એકમો હસ્તગત કર્યા. તાલિબાને અફઘાનિસ્તાનના એક જિલ્લા પર કબજો કર્યો.
- 2012 – વિશ્વનાથન આનંદ પાંચમી વખત વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો.
આ પણ વાંચોઃ 29 મે : ઇન્ટરનેશનલ માઉન્ટ એવરેસ્ટ ડે, વર્લ્ડ ડાયજેસ્ટિવ હેલ્થ ડે
ગોવા રાજ્ય સ્થાપના દિવસ
દર વર્ષે 30 મેના રોજ ગોવા રાજ્ય સ્થાપના દિવસ (Goa Statehood Day)ઉજવાય છે. ભારતની આઝાદીના 14 વર્ષ બાદ પણ ગોવા પોર્ટુગીઝ શાસન હેઠળ રહ્યા બાદ તે 19 ડિસેમ્બર 1961ના રોજ સ્વતંત્ર થયુ અને કેન્દ્ર શાસિત રાજ્ય બન્યુ હતુ. વર્ષ 1987 પહેલાગોવા ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત કેન્દ્રશાસિત પ્રદેશ હતો. ગોવા માટે વધુ રાજકીય પ્રતિનિધિત્વ અને સ્વાયત્તતાની માગણી સાથે 1970ના દાયકાના અંતમાં રાજ્યનો દરજ્જો મેળવવાની ચળવળને વેગ મળ્યો. વર્ષોના વિરોધ અને વાટાઘાટો પછી, ભારત સરકારે આખરે 30 મે, 1987ના રોજ ગોવાને રાજ્યનો દરજ્જો આપ્યો. વર્ષ 1967માં, એક લોકમત થયો અને ગોવાના લોકોએ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે રહેવાનું પસંદ કર્યું. પાછળથી 30 મે, 1987ના રોજ, ગોવાને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો અને આમ ગોવા ભારતીય લોકતંત્રનું 25મું રાજ્ય બન્યું.
આ પણ વાંચોઃ 28 મેનો ઇતિહાસ : એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ડે, વીર સાવરકરનો જન્મદિવસ
હિન્દી પત્રકારત્વ દિવસ
હિન્દી પત્રકારત્વ દિવસ (Hindi Journalism Day) દર વર્ષે 30 મેના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 1826માં આજની તારીખે પંડિત યુગલ કિશોર શુક્લાએ પ્રથમ હિન્દી અખબાર ‘ઉદંત માર્તંડ’નું પ્રકાશન શરૂ કર્યું. ભારતમાં પત્રકારત્વની શરૂઆત પંડિત જુગલ કિશોર શુક્લાએ કરી હતી. હિન્દી પત્રકારત્વ બંગાળમાં શરૂ થયું, તેનો શ્રેય રાજા રામ મોહન રાયને જાય છે. આજના સમયમાં અખબારો એક મોટો બિઝનેસ બની ગયો છે. મીડિયાનું આજે પેપરથી આગળ વધીને ન્યુઝ ચેનલ, ડિજિટલાઇઝેશન થઇ ગયુ છે.
આ પણ વાંચોઃ 27 મેનો ઇતિહાસ : જવાહરલાલ નહેરુ, ભારતના પ્રથમ વડાપ્રધાનની પુણ્યતિથિ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- દેબુ ચૌધરી (1935) – ભારતના પ્રખ્યાત સિતારવાદક હતા.
- પંડિત મુખરામ શર્મા (1909) – ભારતીય હિન્દી ફિલ્મોના પ્રખ્યાત વાર્તા, પટકથા અને વાર્તા લેખક.
- વી. નારાયણસામી (1947) – પુડુચેરીના 10મા મુખ્યમંત્રી.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- ગુરુ અર્જન દેવ (1606) – શીખોના પાંચમા ગુરુ.
- એન. એમ. જોશી (1955) – ભારતમાં ‘ટ્રેડ યુનિયન ચળવળ’ના પ્રણેતા હતા.
- વીર બહાદુર સિંહ (1989) – એક ભારતીય રાજકારણી અને રાજનેતા હતા.
- ઉમાશંકર દીક્ષિત (1991) – ‘ભારતીય સ્વતંત્રતા ચળવળ’ના નેતા અને માનવતાના પૂજારી અને રાષ્ટ્રવાદના પ્રણેતા.
- રામ વિલાસ શર્મા (2000) – આધુનિક હિન્દી સાહિત્યમાં પ્રખ્યાત વિવેચક, નિબંધકાર, વિચારક અને કવિ
- ઋતુપર્ણો ઘોષ (2013) – બંગાળી ફિલ્મોના પ્રખ્યાત નિર્દેશક, લેખક અને અભિનેતા.
- દેવગોડા જાવેરેગોડા (2016) – કન્નડ લેખક, લોક ગીતકાર, સંશોધક અને વિદ્વાન હતા.