Naroda Gam Massacre Case : નરોડા ગામ હત્યાકાંડ કેસ પીડિતોએ કહ્યું, '2002માં 11 લોકોની હત્યા, આજે ન્યાયની હત્યા કરવામાં આવી'

2002 Naroda Gam massacre : નરોડા ગામ હત્યા કેસમાં તમામ 67 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જુબાની આપનાર સાક્ષીઓએ ગુરુવારને પીડિતો માટે "કાળો દિવસ" તરીકે વર્ણવ્યો હતો.

2002 Naroda Gam massacre : નરોડા ગામ હત્યા કેસમાં તમામ 67 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જુબાની આપનાર સાક્ષીઓએ ગુરુવારને પીડિતો માટે "કાળો દિવસ" તરીકે વર્ણવ્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Naroda Gam, Naroda Gam massacre, Naroda Gam case, Naroda Gam massacre case

ગુરૂવારે અમદાવાદમાં કોર્ટની બહાર એક આરોપી. (Express photo by Nirmal Harindran)

સોહિની ઘોષ : અમદાવાદની સેસન્સ કોર્ટે 2002માં ગોધરાકાંડ બાદ થયેલા નરોડા ગામ હત્યા કેસમાં તમામ 67 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જુબાની આપનાર સાક્ષીઓએ ગુરુવારને પીડિતો માટે "કાળો દિવસ" તરીકે વર્ણવ્યો હતો. પીડિતો કહી રહ્યા છે કે, 2002 માં 11 લોકોની હત્યા કરવામાં આવી હતી અને આજે જાણે ન્યાયની હત્યા કરવામાં આવી.

Advertisment

ફરિયાદ પક્ષના સાક્ષી 50 વર્ષીય ઇમ્તિયાઝ અહેમદ હુસૈન કુરેશીએ જણાવ્યું હતું કે “મેં જયદીપ પટેલ (ભૂતપૂર્વ VHP નેતા), પ્રદ્યુમન પટેલ, તત્કાલીન કોર્પોરેટર વલ્લભ પટેલ અને અશોક પટેલ સહિત 17 આરોપીઓની ઓળખ કરી હતી. મેં તેમને ટોળાને ઉશ્કેરતા અને મસ્જિદ સળગાવવા, ચોક્કસ સ્થળો પર હુમલો કરવા માટે સંકેત આપતા જોયા હતા. મેં તેમને પરિવારોને બાળી નાખતા જોયા - પાંચ જણ મારી આંખોની સામે જ બળીને મરી ગયા હતા અને મેં તેમને ઓળખ્યા. મને આરોપીઓએ પહેરેલા કપડાંનો રંગ પણ યાદ આવી ગયો. મેં તમામ પુરાવા આપ્યા છે.”

“તેમને આજીવન કેદની સજા થવી જોઈતી હતી. તેના બદલે આ નિર્દોષ મુક્ત થયા. આનાથી અમે ન્યાયતંત્રમાંનો વિશ્વાસ ગુમાવ્યો છે. અમારા પીડિતો માટે આ કાળો દિવસ છે. જેઓ મૃત્યુ પામ્યા, શું તેઓ આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા? શું તેઓએ પોતાની જાતને સળગાવીને મારી નાખી હતી?”

કુરેશીએ વધુમાં જણાવતા કહ્યું કે “પરંતુ અમે લડત ચાલુ રાખીશું, અમે તેને ગુજરાત હાઈકોર્ટમાં પડકારીશું. 21 વર્ષ થઈ ગયા પણ હું હત્યાકાંડની વિગતો ભૂલી શકતો નથી. કુંભાર વાસમાં એક નવી વહુ આવી હતી, તેના લગ્નને 15 દિવસ પણ થયા ન હતા. મેં તેને મારી પોતાની આંખોથી મારતા જોઇ હતી. તેણીનો આખો પરિવાર માર્યો ગયો અને તેણી તેના માતૃસ્થાન પર પાછી આવી. શું આપણે ખોટું જોયું છે?"

Advertisment

તેમણે ઉમેર્યુ કે “21 વર્ષનો વિલંબ હોવા છતાં, અમને હજુ પણ કોર્ટ પાસેથી આશા હતી. અમે માનતા હતા કે કોર્ટમાં વિવેક હશે. જો હું નાના ગુનાઓના આરોપીઓને નિર્દોષ જાહેર કરું તો પણ, અમે માનીએ છીએ કે જેઓ હત્યાના આરોપમાં છે. તેમાંથી ઓછામાં ઓછા કેટલાકને દોષી ઠેરવવામાં આવશે. 2002 માં 11ની હત્યા કરવામાં આવી હતી અને આજે ન્યાયની હત્યા કરવામાં આવી છે, ”

આ પણ વાંચોઃ-Naroda Gam Massacre Case : નરોડા ગામ હત્યાકાંડ કેસમાં માયા કોડનાની, બાબુ બજરંગી સહિત 69 આરોપીઓ નિર્દોષ

નાણાવટી કમિશનના અહેવાલમાં નોંધ્યું છે કે મદીનાબેને 2002માં પોલીસ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેમના પતિ, સાસુ અને બે વહુઓને કેરોસીન છાંટીને આગ ચાંપી દેવાયા બાદ મારી નાખવામાં આવ્યા હતા. મદીનાએ કમિશન સમક્ષ પણ જુબાની આપી હતી પરંતુ કોર્ટ સમક્ષ નહીં.

આ કેસમાં અન્ય એક સાક્ષી 42 વર્ષીય શરીફ મલેકે માયા કોડનાની અને જયદીપ પટેલ સહિત 13 આરોપીઓ સામે કોર્ટમાં ઓળખી અને જુબાની આપી હતી. તેમણે કહ્યું કે “આ ચુકાદો સૂચવે છે કે લઘુમતીઓ સામે રાજ્ય પ્રાયોજિત હિંસામાં ભાગ લેનારાઓ. સ્કોટ ફ્રી જશે. તે લોકો માટે એક પરોક્ષ સંદેશ છે. તે ન્યાયતંત્રમાં આપણો વિશ્વાસ ઓછો કરે છે અને હકીકતમાં ન્યાયતંત્રની અયોગ્યતા પર સવાલો ઉભા કરે છે.”

આ પણ વાંચોઃ-સુરતમાં રાહુલ ગાંધીની અરજી ફગાવી: ચર્ચામાં આવ્યા જજ રોબિન મોગેરા, અમિત શાહનો કેસ લડ્યા હતા

મલેકે ઉમેર્યું કે "નિરાશાજનક હોવા છતાં, અમે નિરાશ થઈશું નહીં. જો જરૂર પડશે તો અમે આગામી 21 વર્ષ અને 50 દિવસ અપીલમાં લડીશું,”

ટ્રેન્ડિંગ ન્યૂઝ અમદાવાદ ગુજરાત Express Exclusive