scorecardresearch

આયુર્વેદિક હેક : અદિતિ રાવ હૈદરી ઓરલ હાઇજીન માટે રેગ્યુલર કરે છે ‘ઓઇલ પુલિંગ’

oli pulling benefits : ઓઇલ પુલિંગ (oli pulling) થી વ્યાપક મૌખિક અને દાંતની આરોગ્ય સંભાળ સાથે સાઇનસાઇટિસ, માઇગ્રેન, અસ્થમા અને ડાયાબિટીસથી માંડીને અસંખ્ય સ્વાસ્થ્ય પરિસ્થિતિઓમાં પણ ફાયદાકારક (health tips ) સાબિત થયા છે.

Aditi Rao Hydari incorporates this Ayurvedic practice in her daily routine (Source: Aditi Rao Hydari/Instagram)
અદિતિ રાવ હૈદરી તેની દિનચર્યામાં આ આયુર્વેદિક પ્રેક્ટિસનો સમાવેશ કરે છે (સ્રોત: અદિતિ રાવ હૈદરી/ઇન્સ્ટાગ્રામ)

માત્ર આપણે જ નહિ પરંતુ સેલિબ્રિટીઓ પણ અમુક આયુર્વેદિક હેક્સમાં માન્યતા ઘરાવે છે જે તેમને સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે. આવી જ રીતે, હંમેશા હસતી અદિતિ રાવ હૈદરીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેણે તેના ઓરલ હાઇજીન જાળવવા માટે દરરોજ ઓઇલ પુલિંગ કરે છે. જુઓ હે સિનામિકા અભિનેત્રીએ શું કહ્યું?

હૈદરીએ ટ્વીક ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તે ખૂબ જ હાસ્યાસ્પદ લાગે છે, પરંતુ તલ અથવા નાળિયેર તેલ જેવા સારી ગુણવત્તાવાળા કોલ્ડ-પ્રેસ્ડ તેલ એક ચમચી લો. પછી તમે તેને મોઢામાં ફેરવો. તેની આદત પડવા માટે થોડો સમય લાગે છે કારણ કે તે ખૂબ જ કંટાળાજનક છે. એકવાર એક ડેન્ટીસ્ટએ મને કહ્યું કે મારા દાંત ઘણા સારા છે. અને મેં કહ્યું કે હું રેગ્યુલર ઓઇલ પુલિંગ કરું છું. હું તલના તેલનો ઉપયોગ કરું છું. તેમણે કહ્યું કે તે ખરેખર સારું છે.”

ઓઇલ પુલિંગ આખરે શું છે?

આયુર્વેદિક પ્રેક્ટિશનર ડૉ. આશુતોષ નાનલે જણાવ્યું હતું કે તેલ એ એક માધ્યમ છે જે મૌખિક પોલાણમાં રહેલા ઘણા સૂક્ષ્મ કણો અને વેસ્ટને ઓગાળી દે છે. ડૉ નાનલે કહ્યું કે, “તેલ જેવું માધ્યમ આ કણોને છૂટા કરવામાં મદદ કરે છે. તેલ મૌખિક પોલાણમાં માઇક્રોસ્ટ્રક્ચર્સ અને પેશીઓને પણ સારા કરે છે.”

આ પણ વાંચો: દેબીના બોનરજીએ ઈન્ફ્લુએન્ઝા બી વાયરસના નિદાન વિશે કર્યો ખુલાસો

નિષ્ણાતના મતે, દરરોજ ઉપયોગ કરવાની સાથે, તેલ સ્વચ્છ અને સ્વસ્થ ઓરલ કેવિટી જાળવવામાં મદદ કરે છે.

ડૉ. ભાવસારે કહ્યું હતું કે, જેમ ત્વચા દ્વારા શરીરનો કચરો અને ઝેરી તત્વોનો નિકાલ થાય છે, તેમ જીભ પણ શરીરમાંથી ઝેર અને હાનિકારક સૂક્ષ્મજીવાણુઓને દૂર કરે છે, એમ આયુર્વેદિક પ્રેક્ટિશનર ડૉ. દિક્ષા ભાવસારે જણાવ્યું હતું. ડૉ. ભાવસારે કહ્યું હતું કે, “પરંતુ જ્યારે તમારા મોંમાં તેલ નાખવામાં આવે છે, ત્યારે તેલમાં રહેલા લિપિડ્સ કુદરતી રીતે તમારા દાંત, પેઢાં અને લાળ ગ્રંથીઓમાંથી આ સંભવિત નુકસાનકારક પદાર્થોને બહાર કાઢે છે.”

તેલ ખેંચવું, જેને આયુર્વેદમાં ગંડુશા પણ કહેવામાં આવે છે, તે માત્ર ચહેરા પર ચમક લાવવામાં મદદ કરે છે, તે રેખાઓ અને કરચલીઓ સુધારે છે, ત્વચાને ટોન કરે છે અને કાન, નાક અને ગળાના માર્ગોને સાફ કરતી વખતે કોઈપણ પ્રકારની મોં, અવાજ અથવા દાંતની પ્રોબ્લેમને દૂર કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: જીભ સફેદ થવીએ આ વિટામિનની ઉણપની નિશાની હોઈ શકે, જાણો અહીં

ડો. ભાવસારે indianexpress.com ને જણાવ્યું હતું કે, “આ સારવાર વ્યાપક મૌખિક અને દાંતની આરોગ્ય સંભાળ સાથે સાઇનસાઇટિસ, માઇગ્રેન, અસ્થમા અને ડાયાબિટીસથી માંડીને અસંખ્ય સ્વાસ્થ્ય પરિસ્થિતિઓને મેનેજ કરવા માટે રિપોર્ટ આપે છે.”

Web Title: Aditi rao hydari news oral hygiene oli pulling benefits health tips awareness ayurvedic life style

Best of Express