Health Tips : તાંબા, પિત્તળના વાસણોમાં ખોરાક રાંધવા અથવા સંગ્રહ કરવાથી શું સ્વાસ્થ્ય જોખમો વધી શકે છે?

Health Tips : ઐશ્વર્યા વિચારે, ડાયેટિશિયન, ભાટિયા હોસ્પિટલ, મુંબઈએ જણાવ્યું હતું કે, કોપર (Copper) અને પિત્તળ (brass ) વિવિધ ખાદ્ય પદાર્થો જેમ કે મીઠું અને એસિડિક ખોરાકને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તેની સાથે સરળતાથી પ્રતિક્રિયા કરી શકે છે, તેથી તેમાં રાંધવાનું ટાળવું જોઈએ.''

Health Tips : ઐશ્વર્યા વિચારે, ડાયેટિશિયન, ભાટિયા હોસ્પિટલ, મુંબઈએ જણાવ્યું હતું કે, કોપર (Copper) અને પિત્તળ (brass ) વિવિધ ખાદ્ય પદાર્થો જેમ કે મીઠું અને એસિડિક ખોરાકને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તેની સાથે સરળતાથી પ્રતિક્રિયા કરી શકે છે, તેથી તેમાં રાંધવાનું ટાળવું જોઈએ.''

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Foods like buttermilk, lassi, jam, sauce, pickles, milk, cheese and curd should not be stored in brass and copper utensils because it can lead to chemical reactions. (Credits : Amazon)

છાશ, લસ્સી, જામ, ચટણી, અથાણું, દૂધ, ચીઝ અને દહીં જેવા ખાદ્યપદાર્થોને પિત્તળ અને તાંબાના વાસણોમાં સંગ્રહિત ન કરવા જોઈએ કારણ કે તે રાસાયણિક પ્રતિક્રિયાઓ તરફ દોરી શકે છે. (ક્રેડિટ: એમેઝોન)

ઘણા ભારતીય રસોડામાં તાંબા અને પિત્તળના વાસણોનો વ્યાપકપણે ઉપયોગ થાય છે, ખોરાક રાંધવા અને ખોરાક સંગ્રહ બન્ને રીતે કરવામાં આવે છે. જ્યારે આપણે આવા વાસણોનો ઉપયોગ કરવાના સ્વાસ્થ્ય અને પોષક લાભોથી સારી રીતે વાકેફ છીએ, આ વાસણ હાડકા માટે અને હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં ફાયદાકારક છે, ત્યારે આવા કુકવેર સંભવિત જોખમો પણ પેદા કરી શકે છે. જેમ કે, ચાલો જાણીએ કે તાંબા અને પિત્તળના વાસણોમાં અમુક પ્રકારના ખોરાકને રાંધવા અને સંગ્રહિત કરવા વિશે નિષ્ણાતોનું શું કહેવું છે,

Advertisment

ભાટિયા હોસ્પિટલ, મુંબઈના ડાયેટિશિયન ઐશ્વર્યા વિચારેએ indianexpress.comને જણાવ્યું હતું કે, “તાંબુ અને પિત્તળ વિવિધ ખાદ્ય પદાર્થો જેમ કે મીઠું અને એસિડિક ખોરાક જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તેની સાથે સરળતાથી પ્રતિક્રિયા કરી શકે છે, તેથી આ ધાતુઓના બનેલા વાસણોમાં રસોઈ કરવાનું ટાળવું જોઈએ. જ્યારે તાંબા અને પિત્તળના રસોઈના વાસણોમાં એસિડિક ખોરાક તૈયાર કરવામાં આવે ત્યારે વધારે લેવલ લીચિંગ થઈ શકે છે , જે રાસાયણિક ઝેરી અને બીમારી તરફ દોરી શકે છે.''

આ પણ વાંચો: કોઈને બગાસું ખાતા જોઈ તમને પણ કેમ બગાસું આવે છે? શું તમને ખબર છે? જાણો રસપ્રદ કારણો

એક્સપર્ટે વધુમાં ઉમેર્યું હતું કે છાશ, લસ્સી, જામ, ચટણી, અથાણું, દૂધ, ચીઝ અને દહીં જેવા ખાદ્યપદાર્થો અને પીણાં પિત્તળ અને તાંબાના વાસણોમાં સંગ્રહિત ન કરવા જોઈએ કારણ કે તે રાસાયણિક પ્રતિક્રિયાઓ તરફ દોરી શકે છે. "આ પ્રતિક્રિયા ઝેરી સંયોજનોની રચના શરૂ કરશે, જે ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે છે,"

Advertisment

આ જ રીતે, આરુષી ગર્ગ, લાઇફસ્ટાઇલ એક્સપર્ટ, GOQii એ જણાવ્યું હતું કે, “તે જ રીતે, અમુક ખોરાકને આ વાસણોમાં લાંબા સમય સુધી સંગ્રહિત ન કરવો જોઈએ કારણ કે ધાતુની અસ્તર ખોરાક સાથે પ્રતિક્રિયા કરી શકે છે અને પેટમાં ખરાબી લાવી શકે છે . જ્યારે આ ધાતુઓના સંપર્કમાં આવે ત્યારે ઓક્સિડેશનની અસરોને કારણે કેટલાક ફળો અને સલાડ ભૂરા અથવા લીલાશ પડતા રંગના થઈ શકે છે. આ ખોરાકને અરુચિકર પણ બનાવી શકે છે, અને ખાટા અને ધાતુનો સ્વાદ સ્પષ્ટપણે અનુભવી શકાય છે."

ગર્ગે ઉલ્લેખ કર્યો છે કે મીઠું પણ રસોઈ કરતી વખતે અન્ય ખાદ્યપદાર્થોની ધાતુની પ્રતિક્રિયા સાથે પ્રતિક્રિયા કરી શકે છે અથવા તેને વેગ આપી શકે છે, વધુમાં પ્રતિક્રિયા અસરને ઘટાડવા માટે રસોઈના છેલ્લા તબક્કામાં મીઠું ઉમેરવાની સલાહ આપે છે. તેવી જ રીતે, તેણે ચેતવણી આપી હતી કે આ પ્રકારના વાસણમાં માત્ર દૂધ ઉકાળવું અથવા રાંધવું જોઈએ જો તેમાં ટીનનું મેટલ કોટિંગ હોય, જેને હિન્દીમાં ' કલાઈ ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: Health Tips : 151 ગ્રામ દ્રાક્ષમાં આટલા પોષકતત્વો હોય છે, ડાયાબિટીસના દર્દીઓએ કેટલું કરવું જોઈએ સેવન? જાણો અહીં

નિષ્કર્ષમાં, નિષ્ણાતે કહ્યું હતું કે, “સમય જતાં, પિત્તળ અથવા તાંબાની ધાતુને ખુલ્લી પાડીને ધાતુની અસ્તર ઝાંખી થઈ શકે છે, આવા કિસ્સાઓમાં, સામાન્ય રીતે દર 6-8 મહિના પછી કોટિંગને સતત ઉપયોગ ફરીથી કરવું પડે છે, ટીન-લાઇનવાળા પિત્તળ અથવા તાંબાના વાસણોમાં લાંબા સમય સુધી ડીપ ફ્રાય કરવાનું ટાળવું જોઈએ, કારણ કે ઊંચા તાપમાને અસ્તર સીધા તેલ અથવા ખોરાકમાં ઓગળી શકે છે."

ડિક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips