આયર્ન આપણા શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે હિમોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે, આ એક પ્રોટીન જે આપણા ફેફસાંમાંથી આપણા શરીરના પેશીઓમાં ઓક્સિજનનું પરિવહન કરે છે, વધુ સારી રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે, સમજશક્તિ અને એથ્લેટિક કામગીરીમાં સુધારો કરે છે, અને થાક લાગતો ઘટાડે છે, જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) મુજબ, અંદાજિત 1.62 બિલિયન લોકો અથવા વિશ્વની વસ્તીના 24.8 ટકા, આયર્નની ઉણપ અથવા એનિમિયાથી પ્રભાવિત છે.
જેમ કે, આયર્નના મહત્વ વિશે વાત કરતા, હાર્વર્ડ-પ્રશિક્ષિત પોષક મનોચિકિત્સક ડૉ. ઉમા નાયડુએ Instagram પર લખ્યું હતું કે, “શું તમે જાણો છો કે આયર્ન એ હિમોગ્લોબિનનું મહત્વપૂર્ણ ઘટક છે (એક પ્રોટીન જે તમારા ફેફસાંમાંથી તમારા શરીરની પેશીઓમાં ઓક્સિજનનું પરિવહન કરે છે. ? પર્યાપ્ત હિમોગ્લોબિન વિના, તમારા પેશીઓ અને સ્નાયુઓ ઊર્જા પૂરતી મળતી નથી. જે તમારા હૃદયને તમારા શરીરમાં વધુ ઓક્સિજન સમૃદ્ધ બ્લડ ફલૉ કરવા માટે સખત મહેનત કરવી પડશે. આથી થાક લાગે છે જે ચીડિયાપણું અને એકાગ્રતામાં મુશ્કેલી ઉભી કરી શકે છે.”
આયર્નના સ્વાસ્થ્ય લાભો શેર કરતા ડૉ. નાયડુએ ઉમેર્યું હતું કે , “આયર્ન ન્યુરોન્સનું રક્ષણ કરે છે અને મૂડમાં સામેલ રસાયણોના સંશ્લેષણને કંટ્રોલ કરે છે”.
આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ :આ ઉનાળામાં તમારે ‘અત્યંત પૌષ્ટિક’ રાગી શા માટે ખાવી જોઈએ?
આયર્નની ઉણપના ચિહ્નો અને લક્ષણો :
નીચે આયર્નની ઉણપના સામાન્ય ચિહ્નો છે, જેમ કે ડૉ નાયડુએ શેર કર્યું છે કે,
- ચક્કર
- હાંફ ચઢવી
- થાક
- એનિમિયા
- ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
સમીના અન્સારીએ, વરિષ્ઠ આહાર નિષ્ણાત અને પોષણશાસ્ત્રી, કેર હોસ્પિટલ્સ, હાઇ-ટેક સિટી, હૈદરાબાદ indianexpress.com ને જણાવ્યું હતું કે આયર્નની ઉણપના કેટલાક સામાન્ય લક્ષણોમાં “થાક, નબળાઇ, નિસ્તેજ ત્વચા, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર, માથાનો દુખાવો, ઠંડા હાથ અને પગ, અને રોગપ્રતિ કારક શક્તિમાં ઘટાડો થવો વેગેરે.
આયર્નની ઉણપનું કારણ શું છે?
જ્યારે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં આયર્નની ઉણપ હોઈ શકે છે, ત્યારે સ્ત્રીઓમાં આયર્નની ઉણપ પુરુષો કરતાં વધુ હોય છે કારણ કે તેઓ માસિક સ્રાવ દરમિયાન લોહી ગુમાવે છે. ગર્ભાવસ્થા અને બાળજન્મ પણ આયર્નની ઉણપનું કારણ બની શકે છે.
ડૉ પ્રીતિ છાબરિયા, ઇન્ટરનલ મેડિસિન વિભાગના કન્સલ્ટન્ટ અને ડિરેક્ટર સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરે indianexpress.com ને જણાવ્યું હતું કે, “આયર્નની ઉણપનું સૌથી સામાન્ય કારણ લોહીની ઉણપ છે, જે સ્ત્રીઓમાં માસિક સ્રાવને કારણે થાય છે. તેથી માસિક સ્રાવ સ્ત્રીઓને આયર્નની ઉણપ ઉભી કરે છે. વધુમાં, જો કોઈ વ્યક્તિનો આહાર ખૂબ જ પ્રતિબંધિત હોય, ખાસ કરીને કડક શાકાહારી આહાર, તો તે આયર્નની ઉણપ પણ તરફ દોરી શકે છે. પોસ્ટ-ઓપરેટિવ જેવા લોહીની ઉણપના અન્ય કોઈપણ પ્રકાર, અથવા તે એવા સંજોગોમાં પણ હોઈ શકે છે જ્યારે જઠરાંત્રિય માર્ગમાં લોહીની ઉણપ થાય છે તે પણ આયર્નની ઉણપ તરફ દોરી શકે છે.”
આ પણ વાંચો: માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં,ઓટમીલ તમારી ત્વચા માટે પણ ફાયદાકારક
અંસારીએ ઉમેર્યું હતું કે, “આયર્નની ઉણપ આયર્નના અપૂરતા સેવન અથવા શરીર દ્વારા આયર્નના નબળા શોષણને કારણે થાય છે. આ વિવિધ કારણોસર થઈ શકે છે, જેમાં નબળો આહાર, અતિશય બ્લડ લોસ, ગર્ભાવસ્થા અને શરીરની આયર્નને શોષવાની ક્ષમતાને અસર કરતી કેટલીક મેડિકલ કન્ડિશનનો સમાવેશ થાય છે.