નવરાત્રી એ સૌથી મહત્વપૂર્ણ હિંદુ તહેવારોમાંનો એક છે જે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, ઘણા ભક્તો નવ દિવસ માટે ઉપવાસ રાખે છે, જ્યારે અન્ય ઘણા લોકો જોડા માં ઉપવાસ રાખે છે, એટલે કે તહેવારના પ્રથમ બે અથવા છેલ્લા બે દિવસ. આ શુભ અવસર દરમિયાન, લોકો સામાન્ય રીતે તેમના ભોજનમાં ડુંગળી અને લસણ ખાવાનું ટાળે છે. ઉપવાસ દરમિયાન લોકો, ઘઉં, ચોખા, સોજી, મેંદો , મકાઈનો લોટ, કઠોળ વગેરે ખાદ્યપદાર્થો ખાતા નથી.
જેમ કે, ઘણા બધા ફૂડનું સેવન કરી શકાતું નથી, ત્યારે જે ફૂડનો ઉપયોગ કરી શકાય તે કાળજીપૂર્વક પસંદ કરવું મહત્વપૂર્ણ છે જેથી શરીર કોઈપણ આવશ્યક પોષક તત્ત્વોથી વંચિત ન રહે અને દિવસભર એનર્જેટિક ફીલ થાય. હવે, જો તમે વિચારી રહ્યા હોવ કે શું ખાવું અને શું ટાળવું, તો અહીં હોર્મોન બેલેન્સ અને ગટ હેલ્થ ડાયેટિશિયન મનપ્રીત કાલરાએ “આપણા આંતરડાને મજબૂત કરવા અને આપણા હોર્મોન્સને સંતુલિત કરવા માટે નવરાત્રિ ડાયટ પ્લાન સૂચવ્યો છે.
આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ : ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે શું? વજન ઘટાડવામાં તૂટક ઉપવાસ કેટલે અંશે સફળ? જાણો
નિષ્ણાતે નવરાત્રી માટેનો એક દિવસનો આહાર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો,
તમારા દિવસની શરૂઆત હેલ્થી ફેટ (બદામ) થી કરો
ઇન્સ્યુલિનની સેન્સિટિવિ સુધારે છે અને લોહીમાં શર્કરાના સ્તરને કંટ્રોલ કરે છે.
સ્નેક્સ માટે વોલનટ ડેટ્સ સ્મૂધી
ઓમેગા 3 ફેટી એસિડથી સમૃદ્ધ, લેપ્ટિન સેન્સિટિવિટી સુધારે છે અને તમને લાંબા સમય સુધી પેટ ભરપૂર રાખે છે.
કલ્પના ગુપ્તા, ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ, મેક્સ સ્માર્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, સાકેતના જણાવ્યા અનુસાર, “ઉપવાસ દરમિયાન જ્યુસ કરતાં સ્મૂધી વધુ સારો વિકલ્પ છે કારણ કે તે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, ભૂખ અને ક્રેવિંગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તમને લાંબા સમય સુધી પેટ ભરી રાખે છે.”
મીડ-મોર્નિંગ માટે રોક મીઠું અને મરી સાથે છાશ
પ્રોબાયોટિક્સ (સ્વસ્થ બેક્ટેરિયા) ધરાવે છે જે પાચનને પ્રોત્સાહન આપે છે.
બપોરના ભોજન માટે દહીં સાથે બકવીટ ખીચડી
બધા નવ એમિનો એસિડ ધરાવે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે અને બળતરા ઘટાડે છે.
સાંજ માટે શેકેલા મખાના સાથે ગ્રીન ટી
એન્ટીઑકિસડન્ટો અને કેલ્શિયમ ધરાવે છે, જે હાડકાના સ્વાસ્થ્યને સુધારે છે અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે.
આ પણ વાંચો: છવી મિત્તલે સ્પેશિયલ ટેટૂ દ્વારા બ્રેસ્ટ કેન્સર સામેની જીતની કરી ઉજવણી
ડિનર માટે શક્કરિયા ચાટ
વિટામિન B6, વિટામિન A અને C, પોટેશિયમથી ભરપૂર, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને કબજિયાત અટકાવે છે.
અહીં કેટલાક અન્ય ફૂડ્સ જે તમે ઉપવાસ દરમિયાન ખાઈ શકો છો, ન્યુટ્રિશનિસ્ટ મુજબ:
- મખાના ખીર
- બિકવીટ સાથેના પરાઠા
- દહીમાં ફળો ઉમેરવામાં
- બદામ દૂધ
- ફ્લેવર્ડ દૂધ
- ફ્લેવર્ડ દહીં
- સાંતળેલા પનીરના ક્યુબ્સ
ચૈત્રી નવરાત્રિ 2023 : ઉપવાસ કરનારાઓને ડાયટ માં શું શું લેવું જોઈએ? જાણો ન્યુટ્રિશનિસ્ટ શું સૂચન કરે છે?