વજન ઘટાડવા માટે રાતનું ભોજન છોડાય કે નહીં? આ માહિતી જાણવી જરૂરી

રાતનું ભોજન એ એક આવશ્યક ભોજન છે જે લાંબા દિવસ પછી શરીરને ફરીથી ઉર્જાવાન બનાવવામાં મદદ કરે છે અને તમને સારી ઊંઘ પણ અપાવી શકે છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો અને રાત્રે ખાવાનું નથી ખાતા તો તેનાથી ઘણી આડઅસરો થઈ શકે છે.

રાતનું ભોજન એ એક આવશ્યક ભોજન છે જે લાંબા દિવસ પછી શરીરને ફરીથી ઉર્જાવાન બનાવવામાં મદદ કરે છે અને તમને સારી ઊંઘ પણ અપાવી શકે છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો અને રાત્રે ખાવાનું નથી ખાતા તો તેનાથી ઘણી આડઅસરો થઈ શકે છે.

author-image
Rakesh Parmar
New Update
is it healthy to skip dinner for weight loss

શું રાત્રિભોજન છોડવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. Photograph: (Canva)

Weight Loss Tips: વજન ઘટાડવા માટે ઘણા લોકો રાત્રે ખાવાનું છોડી દે છે. તેઓ માને છે કે કેલરીનું સેવન ઓછું કરવાથી વજન ઝડપથી ઘટશે. જોકે આના કારણે ઘણા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ત્યાં જ ખોરાકમાં કેલરી ઘટાડવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. ભોજન છોડી દેવાથી ખાસ કરીને રાત્રિ ભોજન અણધારી અસરો કરી શકે છે. રાતનું ભોજન એ એક આવશ્યક ભોજન છે જે લાંબા દિવસ પછી શરીરને ફરીથી ઉર્જાવાન બનાવવામાં મદદ કરે છે અને તમને સારી ઊંઘ પણ અપાવી શકે છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો અને રાત્રે ખાવાનું નથી ખાતા તો તેનાથી ઘણી આડઅસરો થઈ શકે છે.

Advertisment

મેટાબોલિઝમ પર પડે છે અસર

રાત્રિ ભોજન છોડવાથી શરીરના મેટાબોલિઝમ (ચયાપચય)માં વિક્ષેપ પડી શકે છે, જેના કારણે ઉર્જાનો અનિયમિત ખર્ચ અને પોષક તત્વોનો ઉપયોગ થાય છે. સાંજે સતત ભોજન છોડી દેવાથી તમારા ચયાપચયમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી કેલરી બર્ન કરવી અને વજન નિયંત્રિત કરવું મુશ્કેલ બને છે. આ વજન ઘટાડવાના પ્રયાસોમાં અવરોધ લાવી શકે છે અને શરીર પર નકારાત્મક અસરો પણ કરી શકે છે.

ઊંઘમાં ખલેલ પડી શકે છે

રાત્ર ન ખાવાથી તમારી ઊંઘ પર અસર પડી શકે છે. ઊંઘનો અભાવ વિવિધ સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમાં નબળી રોગપ્રતિકારક શક્તિ, મૂડ ખરાબ થવું, ઉર્જા સ્તરમાં ઘટાડો અને સુસ્ત ચયાપચયનો સમાવેશ થાય છે. સ્વસ્થ ઊંઘ જાળવવા માટે પોષણ અને ખાસ કરીને રાતનું ખાવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Advertisment

બ્લડ સુગરમાં વધારો

રાત્રે સ્વસ્થ આહાર લેવાથી તમારું બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે અને આની મદદથી તમે તમારા વજનને પણ યોગ્ય રીતે નિયંત્રિત કરી શકો છો. આવામાં જો તમે રાત્રિ ભોજન ન કરો તો આ સંતુલન ખોરવાઈ શકે છે, જેના કારણે બ્લડ સુગરનું સ્તર વધી શકે છે. આનાથી ડાયાબિટીસ અને ચયાપચય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી પર કાર્ય કરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતોની સલાહ લો. ગુજરાતી ઈન્ડિયન એક્સીપ્રેસ દ્વારા આ માહિતીનો દાવો કરવામાં આવી રહ્યો નથી)

health tips જીવનશૈલી