ચક્રાસન આસાન કરતી તસવીર અનુષ્કા શર્માએ કરી શેર

Anushka Sharma and Chakrasana : અનુષ્કા શર્મા (Anushka Sharma) ચક્રાસન (Chakrasana) કરતી જોવા મળી હતી, આ યોગા તમારા શરીરને મજબૂત બનાવે છે.

Written by shivani chauhan
Updated : January 23, 2023 10:13 IST
ચક્રાસન આસાન કરતી તસવીર અનુષ્કા શર્માએ કરી શેર
અનુષ્કા શર્મા તેના યોગ નિત્યક્રમથી પ્રભાવિત છે (સ્રોત: અનુષ્કા શર્મા/ઇન્સ્ટાગ્રામ)

 Lifestyle Desk : અનુષ્કા શર્માને યોગ કરવા ખૂબ પસંદ છે અને તેના માટે નિયમિતપણે સમય કાઢે છે. જેમ કે છકડા એક્સપ્રેસની અભિનેત્રી ચક્રાસન તરીકે ઓળખાતા વ્હીલ પોઝની પોતાની એક ઝલક શેર કરી હતી.

સફેદ ટી-શર્ટ અને કાળી ટાઈટની પેરમાં અનુષ્કા સ્ટ્રેચ કરતી જોવા મળી રહી છે જે કોરને જોડતા છાતી, જાંઘ અને હાથ માટે અત્યંત અસરકારક હોવાનું કહેવાય છે.

સફેદ ટી-શર્ટ અને કાળી ટાઈટની પેરમાં અનુષ્કા સ્ટ્રેચ કરતી જોવા મળી રહી છે જે કોરને જોડતા છાતી, જાંઘ અને હાથ માટે અત્યંત અસરકારક હોવાનું કહેવાય છે.

અનુષ્કા શર્માની આ પોસ્ટ થોડાજ સમયમાં પ્રશંસાત્મક ટિપ્પણીઓથી છલકાઇ હતી. અભિનેતા નીના ગુપ્તાએ વ્યક્ત કર્યું કે, “વાહ”, જ્યારે ફિટનેસ ટ્રેનર ઈમરાન સરફરાઝે લખ્યું કે, “ચક્ર-વ્યૂ”.

નિષ્ણાતો સૂચવે છે કે ચક્રાસન કરોડરજ્જુને લવચીકતા પ્રદાન કરવામાં મદદ કરે છે, પેટ, નિતંબ, કાંડા અને પગને મજબૂત બનાવે છે. તે આંખની દૃષ્ટિને પણ તેજ બનાવે છે, અને તણાવ ઘટાડે છે.

આ પણ વાંચો: Yoga darshan : ‘વૃક્ષાસન’થી તન-મન વચ્ચે સંતુલન સધાય છે, જાણો આ આસન કરવાની રીતે અને ફાયદાઓ

યોગ નિષ્ણાત,માનસી ગુલાટી, મનસ્વનીએ કહ્યું કે આ પ્રેક્ટિસ ઘણી ફાયદાકારક છે.

Anushka Sharma’s fitness trainer on her sincerity (Source: Diksha Lalwani/Instagram Stories)

કરોડરજ્જુની સુગમતા સુધારે છેતે હેમસ્ટ્રિંગ્સ અને સ્પાઇનલ એક્સટેન્સરને પણ મજબૂત બનાવે છે.તણાવ દૂર કરે છેપીઠના દુખાવા માટે આ યોગ ઉત્તમ છે.તમારા શરીરને મજબૂત બનાવે છેવ્હીલ પોઝ તમને ઉત્સાહિત થવામાં મદદ કરે છેચક્રાસન અંતઃસ્ત્રાવી ગ્રંથીઓને ઉત્તેજીત કરવામાં પણ મદદ કરે છે અને મેટાબોલિઝ્મ જાળવી રાખે છે.

2015 માં પ્રકાશિત નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અભ્યાસ જણાવે છે કે, અન્ય હઠ યોગ પોઝ સાથે વ્હીલ પરફોર્મ કરવાથી માત્ર 12 અઠવાડિયામાં સ્નાયુબદ્ધ શક્તિમાં વધારો થાય છે.

આ પણ વાંચો: સબ વે અને સબર્બ સામ-સામે, દિલ્લી હાઈ કોર્ટએ 26-પાનામાં આપ્યો ચુકાદા

ચક્રાસન કેવી રીતે કરવું?

ચક્રાસન સ્નાયુઓને યોગ્ય શ્વાસ સાથે સંકલન કરે છે, માનસીએ ઉલ્લેખ કર્યો.

તમારી પીઠ પર સૂઈ જાઓ અને તમારા પગને ફ્લોર પર મજબૂત રીતે રાખીને તમારા પગને ફોલ્ડ કરો.

તમારી હથેળીઓને ઉલટાવીને તમારા કાનની બાજુમાં અથવા તમારા ખભાની નીચે મૂકો.

ખાતરી કરો કે તમારી આંગળીઓ આગળની દિશામાં નિર્દેશ કરે છે.

આધાર માટે તમારી હથેળીઓ અને પગને જમીનમાં દબાવીને શ્વાસ લેવાનું શરૂ કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ