Bharat Jodo Yatra : ભારત જોડો યાત્રાને બીકેયુના નરેશ ટિકૈતે વિચાર ક્રાંતિ કહીને બિરદાવી, જયરામે કહ્યું યાત્રા કોંગ્રેસ માટે સંજીવની કૂચ સમાન

Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) 12 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી વચ્ચે વિરામ લેતા પહેલા આગામી સાડા ચાર દિવસ હરિયાણામાં વિતાવશે.અને પંજાબમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ હિમાચલ પ્રદેશમાં એક દિવસ વિતાવી યાત્રા 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં ત્રિરંગો લહેરાવીને સાત દિવસ જમ્મુ અને કાશ્મીરમાં વિતાવશે.

Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) 12 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી વચ્ચે વિરામ લેતા પહેલા આગામી સાડા ચાર દિવસ હરિયાણામાં વિતાવશે.અને પંજાબમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ હિમાચલ પ્રદેશમાં એક દિવસ વિતાવી યાત્રા 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં ત્રિરંગો લહેરાવીને સાત દિવસ જમ્મુ અને કાશ્મીરમાં વિતાવશે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Congress leader Rahul Gandhi during the party's 'Bharat Jodo Yatra', in Shamli, Thursday, Jan. 5, 2023. (PTI Photo)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાર્ટીની 'ભારત જોડો યાત્રા' દરમિયાન, શામલીમાં, ગુરુવાર, 5 જાન્યુઆરી, 2023. (પીટીઆઈ ફોટો)

 Maulshree Seth: ભારત જોડો યાત્રાએ ઉત્તર પ્રદેશમાં 3 દિવસ પુરા કર્યા પછી 5 જાન્યુઆરીએ સાંજે હરિયાણામાં પ્રવેશ કર્યો હતો. ભારે ધુમ્મ્સ છતાં રાહુલ ગાંધીએ શામલી જિલ્લાના આલમ ગામથી સવારે લગભગ 6 વાગે એક વિશાળ ભીડમાં પગપાળા કૂચ ચાલુ રાખી હતી. ત્યારબાદ પ્રેસને સંબોઘતા, AICCના જનરલ સેક્રેટરી જયરામ રમેશે જણાવ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી માટે ભારત જોડો યાત્રા " સંજીવની" બની ગઈ છે અને કોંગ્રેસને ફરી નવું જીવન આપી રહી છે.

Advertisment

આ યાત્રાને રાજ્યના વિરોધ પક્ષો તરફથી શરૂઆતમાં પ્રતિસાદ મળ્યો ન હતો. પરંતુ ધીમે ધીમે યુપીના પ્રાદેશિક પક્ષો પણ જોડાઈ રહ્યા છે. કારણ કે યાત્રા રાજ્યના પશ્ચિમી જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે. રાષ્ટ્રીય લોકદળ (RLD)ના નેતાઓએ શામલીના વિવિધ સ્થળોએ તેમના પક્ષના ધ્વજ દ્વારા યાત્રાનું સ્વાગત કર્યું હતું, ત્યારે ભારતીય કિસાન યુનિયનના વડા નરેશ ટિકૈતે રાહુલ ગાંધીને સપોર્ટ કરતો એક પત્ર લખ્યો હતો અને યાત્રાની સફળતા માટે અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે, યાત્રાના 100 દિવસ પુરા થયા છે, આ યાત્રા " એક વૈચારિક ક્રાંતિ" લાવી રહી છે. આ યાત્રાને તેમને "પ્રેરણાદાયી" પણ કહી હતી.

ટિકૈતે આ પત્રમાં લખ્યું હતું કે, "તમે છેલ્લા 100 દિવસમાં ભારત જોડો યાત્રા દ્વારા ભારતમાં વૈચારિક ક્રાંતિ લાવ્યા છો, જે પ્રેરણાદાયક અને પ્રશંસાને પાત્ર છે". તેમણે લખ્યું કે આ યાત્રા ખેડૂતોના મુદ્દાઓને પણ ઉજાગર કરે છે, જે રીતે મહાત્મા ગાંધીની “દાંડી માર્ચ” એ સ્વતંત્રતા પહેલાના ભારતને પ્રેરણા આપી હતી,તે રીતે સ્વતંત્ર ભારત માટે આ ભારત જોડો યાત્રા એક ઐતિહાસિક બની જશે.

ભારત જોડો યાત્રા કરી રહેલા કોંગ્રેસના નેતાઓએ માહિતી આપી હતી કે, આરએલડી, મહાન દળ અને પીસ પાર્ટીના પ્રતિનિધિઓ તેમજ અભિનેત્રી રિતુ શિવપુરી ગુરુવારે અલગ-અલગ સ્થળોએ તેમની સાથે જોડાયા હતા.

Advertisment

આ પણ વાંચો: Haldwani demolitions: હલ્દવાની કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ભાજપ – કોંગ્રેસે આવકાર્યો

આલમથી ઉંચગાંવ સુધી લગભગ 15 કિમીની યાત્રા કર્યા પછી, રાહુલ ગાંધીએ દલિત, ઓબીસી અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ યુવાનો સાથે વાતચીત કરવાનું બંધ કર્યું અને બે અલગ-અલગ ચર્ચાઓ કરી હતી, એક "સામજિક ન્યાય સંવાદ" જેમાં ઓબીસી અનામતથી લઈને જાતિ આધારિત વસ્તીગણતરી વાત અને બીજી “યુવા સંવાદ” પર ચર્ચા કરી હતી, તેમાં તેમણે શિક્ષણ નીતિ અને શાળાઓ અને કોલેજોમાં ફી વધારા અંગે ચર્ચા કરી હતી. તેમણે પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે કોંગ્રેસની સત્તા વાળા છત્તીસગઢમાં જે થઈ રહ્યું છે તે રીતે સમગ્ર દેશમાં આરક્ષણ લાગુ થવુ જોઈએ.

ઉંચગાંવ ખાતે, જયરામ રમેશે એમ કહીને અપેક્ષા જગાડી કે, વર્ષ 2023 માં, આ પ્રકારની બીજી યાત્રા પશ્ચિમથી પૂર્વ તરફ જશે અને તેમાં ઉત્તર પ્રદેશના બાકીના તમામ જિલ્લાઓ તેમજ બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામનો સમાવેશ થશે.

“ઉસકા નતિજા જરૂર હૈ કી કોંગ્રેસ સંગઠન મેં એક નયી ઉર્જા આયી હૈ. યે કોંગ્રેસ સંગઠન કે લિયે એક સંજીવની હૈ (આ યાત્રાનું પરિણામએ છે કે કોંગ્રેસ સંગઠનમાં નવી ઉર્જા આવી છે. તે સંજીવની જેમ કામ કરી રહી છે),” આ ઉપરાંત તેમને કહ્યું. "તેમણે જાળવી રાખ્યું કે આ યાત્રા મતો માટે ન હતી કે ચૂંટણી જીતવા માટે ન હતી. 26 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી રાજ્ય સ્તરે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો બ્લોક, જિલ્લા અને વિસ્તારોમાં જનતા સુધી પહોંચવા માટે "હાથ સે હાથ જોડો અભિયાન" હાથ ધરશે. અને યાત્રાના સંદેશને આગળ ધપાવશે જે "દેશમાં લોકશાહી દ્વારા સામનો કરવામાં આવી રહેલા ત્રણ મોટા જોખમોને સંબોધિત કરશે.

તેમણે જણાવ્યું કે યાત્રા 12 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી વચ્ચે વિરામ લેતા પહેલા આગામી સાડા ચાર દિવસ હરિયાણામાં વિતાવશે. ત્યારબાદ તે પંજાબમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ હિમાચલ પ્રદેશમાં એક દિવસ જશે. તે પછી 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં ત્રિરંગો લહેરાવીને સાત દિવસ જમ્મુ અને કાશ્મીરમાં વિતાવશે.

આ યાત્રા કોઈ પ્રસંગ નથી પરંતુ એક ચળવળ છે એવો આગ્રહ રાખતા રમેશે જણાવ્યું હતું કે કોંગ્રેસે પહેલીવાર વિચારધારા માટે લડાઈ હાથ ધરી છે, અને ચૂંટણીનું રાજકારણ જાળવવુંએ સંગઠન પર નિર્ભર કરે છે.

આ પણ વાંચો: Today News Live Updates: કોંગ્રેસ પાર્ટીની ‘ભારત જોડો યાત્રા’ હરિયાણાના સનોલી પાણીપત રોડથી ફરી શરૂ થઈ

રમેશે, ભાજપના કેટલાક નેતાઓના નિવેદનોના જવાબમાં, ઉત્તર પ્રદેશમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ પર પણ ધ્યાન દોર્યું હતું અને જણાવ્યું હતું કે ભાગલા પાડતું રાજકારણ અને આરએસએસનું ઝેર સમાજના દરેક વર્ગમાં છવાઈ ગયું છે. અને ખુબજ લાંબા સંઘર્ષની કરવાનો છે અને તેને દૂર કરવા માટે 5, 10 કે 15 વર્ષોનો પણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે દેશમાં બે મુખ્ય વિચારધારા છે, જેમાં એક તરફ ભાજપ-આરએસએસ અને બીજી તરફ કોંગ્રેસ છે.

ઘણા વિપક્ષી નેતાઓએ યાત્રાને સમર્થન આપ્યું છે પરંતુ તેમાં જોડાયા નથી તે વિશે પૂછવામાં આવતા, રમેશે જણાવ્યું હતું કે ગઈકાલે, હાજર રહેલા કેટલાક આરએલડી નેતાઓએ રાહુલ ગાંધીને એક મેમોરેન્ડમ પણ સબમિટ કર્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે જ્યારે સપા અને બસપા જેવા પક્ષો જેમણે તેમનો ટેકો આપ્યો છે અને યાત્રામાં ન જોડાવા માટે તેમની પોતાની કોઈ મુદ્દા હોઈ શકે છે.

રમેશે કહ્યું કે, “આ યાત્રા વિપક્ષને મજબૂત કરવામાં પણ પરિણમી શકે છે, કારણ કે જો કોંગ્રેસ મજબૂત થશે તો તે વિપક્ષને પણ મજબૂત કરશે. અને ભારત જોડો યાત્રાથી કોંગ્રેસની તાકાત વધી રહી છે."

એક્સપ્રેસ એક્સપ્લેન ભારત જોડો યાત્રા દેશ congress