કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરેક પક્ષો મેદાનમાં ઉતરી પોતાના પક્ષને સત્તાની ખુરસી પર બેસાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની બે યાદીઓ જાહેર કરી છે. ભાજપે અત્યાર સુધીમાં 212 ઉમેદાવોરના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે જાહેર કરેલી યાદીમાં મોટાભાગે યુવા ચહેરાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પરંતુ વરિષ્ઠ નેતાઓની ટિકિટ કપાઈ છે. આ સંખ્યા પ્રદેશ ભાજપમાં સત્તા પરિવર્તનનો સંકેત આપે છે.
અત્યારના હાજર નવ ધારાસભ્યોને નવા ચહેરાઓ માટે રસ્તો બનાવવા કહેવામાં આવ્યું છે. એક એવો નિર્ણય જેમાંછી ઓછામાં ઓછા લોકો નાખુશ કરી દીધા છે. આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી એસ ઇશ્વરપ્પા અને પૂર્વ મંત્રી એસ અંગારા જેવા નેતાઓનો સમાવેશ થાય છે. વરિષ્ઠ મંત્રીઓ આર અશોક અને વી સોમન્નાને બે બે ચૂંટણી વિસ્તારમાં ઊભા કરવાનો નિર્ણય આ નેતાઓ માટે પોતાની તાકાત સાબિત કરવા અને પાર્ટીના પદાનુક્રમને નીચે ધકેલવાના સંદેશના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ- કર્ણાટક ચૂંટણીઃ ભાજપે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, અત્યારના 7 ધારાસભ્યોની કાપી ટિકિટ
ચૂંટાયેલા નવ ધારાસભ્યોમાં ઉડુપીના રઘુપતિ ભટનો પણ સમાવેશ થાય છે જેઓ બુધવારે નિર્ણય અંગે લાગણીશીલ બની ગયા હતા. ઉડુપીથી સંજીવ માતન્દૂર, કુંડાપુરના હલાદી શ્રીનિવાસ શેટ્ટી કે જેમણે સૂચિની ચર્ચા થાય તે પહેલાં જ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હોસાદુર્ગાથી ગુલીહટ્ટી શેકર, શિરહટ્ટીથી રમન્ના લામાણી, બેલાગવી ઉત્તરથી અનિલ બેનકે અને રામદુર્ગના યાદવદ શિવલિંગપ્પા,કાપુમાંથી લાલાજી મેન્ડન, એક મતવિસ્તારનું તેમણે ત્રણ વખત પ્રતિનિધિત્વ કર્યું છે.
વરિષ્ઠ નેતા અરવિંદ લિમ્બાવલી ત્રણ વખત પ્રતિનિધિત્વ કરી ચૂકેલા બેંગ્લોર અર્બન ડિસ્ટ્રિક્ટમાં મહાદેવપુરા મતવિસ્તાર માટે પણ ટિકિટની જાહેરાત કરવામાં આવી નથી. મૈસુર શહેર જિલ્લામાં કૃષ્ણરાજા કે જે હાલમાં ભૂતપૂર્વ તબીબી શિક્ષણ પ્રધાન એસ એ રામદાસ દ્વારા રજૂ થાય છે અને ચિક્કામગાલુરુ જિલ્લામાં મુદિગેરે જ્યાં પક્ષના કાર્યકરોના એક વર્ગે વર્તમાન ધારાસભ્ય એમ પી કુમારસ્વામીની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો. તેણે આ નેતાઓના રાજકીય ભાવિ અંગે ખતરાની ઘંટડી વગાડી છે.
પ્રથમ યાદીમાં 118 વર્તમાન ધારાસભ્યોમાંથી માત્ર 90 જ ફરી મેદાનમાં ઉતર્યા હતા. ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો હોવા છતાં, ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા વરિષ્ઠ નેતાઓ જેમ કે મદલ વિરુપક્ષપ્પા અને નેહરુ ઓલેકરનું નામ યાદીમાં આવે તેવી શક્યતા નથી.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 13 એપ્રિલ : ‘જલિયાંવાલા બાગ હત્યાકાંડ’ અંગ્રેજોની નિર્દયતાનો કાળો અધ્યાય, ખાલસા પંથનો સ્થાપના દિવસ
અન્ય જેઓ હાર્યા હતા તેમાં ભાજપના સંસદીય બોર્ડના સભ્ય બીએસ યેદિયુરપ્પાનો સમાવેશ થાય છે. જેમણે ચૂંટણી ન લડવાનું પસંદ કર્યું હતું અને શિકારીપુરાની બેઠક તેમના પુત્ર બી વાય વિજયેન્દ્ર માટે ખાલી કરી હતી અને ભૂતપૂર્વ પ્રધાન આનંદ સિંહ જેમની વિજયનગરની બેઠક તેમના પુત્ર સિદ્ધાર્થ સિંહને આપવામાં આવી હતી.