મલ્લિકાર્જુન ખડગેનો આરોપ, ‘તવાંગ મામલે સરકાર બધુ છુપાવી રહી’, બીજેપી સાંસદે કહ્યું – માહિતી માટે સમય કાઢીને રક્ષા મંત્રીને મળો

Parliament Winter Session : સંસદ શિયાળુ સત્રમાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ ભારતીય સૈનિકો (indian soldiers) અને ચીની સૈનિકો (China soldiers) વચ્ચેના તવાંગ અથડામણમામલે ભાજપ (BJP) પર આરોપ લગાવ્યા, તો સામે બીજેપીએ પણ આપ્યો વળતો જવાબ.

Written by Kiran Mehta
Updated : December 14, 2022 15:56 IST
મલ્લિકાર્જુન ખડગેનો આરોપ, ‘તવાંગ મામલે સરકાર બધુ છુપાવી રહી’, બીજેપી સાંસદે કહ્યું – માહિતી માટે સમય કાઢીને રક્ષા મંત્રીને મળો
સંસદ શિયાળુ સત્રમાં તવાંગ અથડામણ મામલે હોબાળો

Parliament Winter Session: બુધવારે પણ વિપક્ષે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણને લઈને સંસદમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આ મુદ્દે બોલવા માંગતા હતા, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર હરિવંશે તેમને મંજૂરી આપી ન હતી. તેમણે કહ્યું કે, અગાઉથી નોટિસ આપવામાં આવી નથી. ખડગેનું કહેવું છે કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગૃહમાં આપેલા નિવેદનમાં ઘણી બાબતો છુપાવવામાં આવી છે. એટલા માટે કોંગ્રેસ ઈચ્છે છે કે, ગૃહમાં આ અંગે ચર્ચા થવી જોઈએ. આના પર વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું.

ભાજપના સાંસદ પરવેશ વર્માનું કહેવું છે કે, સંસદમાં આંતરિક સુરક્ષા સાથે જોડાયેલી રણનીતિ પર ચર્ચા થતી નથી. જો વિપક્ષને તવાંગ મુદ્દે કોઈ માહિતી જોઈતી હોય તો સમય કાઢીને રક્ષા મંત્રીને મળીને માહિતી મેળવો.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની બેઠકમાં 17 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી

આ પહેલા બુધવારે સવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કોલ પર વિપક્ષી પાર્ટીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મુખ્ય વિરોધ પક્ષોના સાંસદોએ હાજરી આપી હતી. જેમાં ભારત-ચીન સરહદ વિવાદ પર તમામ પક્ષોએ મળીને ગૃહમાં સરકારને કેવી રીતે ઘેરવી જોઈએ તે અંગે ચર્ચા થઈ હતી. મલ્લિકાર્જુન ખડગે દ્વારા બોલાવવામાં આવેલી તમામ 17 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. જો કે, ન બોલાવવાને કારણે, ખડગેની બેઠકમાં મુખ્ય વિપક્ષી દળો TMC, BSP અને BJDમાંથી કોઈ નહોતું.

વેબ સ્ટોરી જુઓ : ભારત ચીન સંઘર્ષ, બળવાન કોણ?

તવાંગ ઘર્ષણ પર સંરક્ષણ પ્રધાનના નિવેદનથી વિપક્ષ સંતુષ્ટ નથી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તવાંગમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ પર કેન્દ્ર સરકારને ઘેરવા માટે સામૂહિક વ્યૂહરચના બનાવવા માટે ઘણા વિરોધ પક્ષોને મીટિંગનું આમંત્રણ મોકલ્યું હતું. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોના નેતાઓનું કહેવું છે કે, ભારત-ચીન સરહદ (LAC ફેસઓફ) પર સૈન્ય તણાવને લઈને તેમને ગૃહમાં બોલવાની યોગ્ય તક આપવામાં આવી નથી. વિરોધ પક્ષોની માંગ છે કે ગૃહમાં તવાંગ અથડામણ પર ચર્ચા કરવામાં આવે.

આ પણ વાંચો : ચીન વધારી રહ્યું છે સંરક્ષણ બજેટ…

કોંગ્રેસ પીએમ મોદીને તવાંગ સંઘર્ષ પર બોલવાની માંગ કરી રહી છે

તવાંગ અથડામણ કેસમાં મંગળવારે લોકસભામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નિવેદન વિપક્ષી પાર્ટીઓના નેતાઓને અપૂરતું લાગે છે. કોંગ્રેસ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ મામલે બોલવાની માંગ કરી રહી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, તવાંગમાં કોઈ ભારતીય સૈનિક શહીદ થયો નથી કે ગંભીર રીતે ઘાયલ થયો નથી. તેમણે બહાદુરીથી ચીની સૈનિકોને બહાર કાઢ્યા. રાજનાથ સિંહ બુધવારે સંસદમાં પણ આ મામલે માહિતી આપી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ