PM Museum Delhi: વડાપ્રધાન મ્યુઝિયમમાં પીએમ મોદીને સમર્પતિ ગેલેરીમાં તેમનુ વિઝન અને કાર્યકાળના અનુભવોનું પ્રદર્શન

PM Museum Delhi: બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ 14 એપ્રિલે ખુદ વડાપ્રધાન મોદી (PM Modi) એ આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મ્યુઝિયમમાં અત્યાર સુધીમાં કુલ 15 વડાપ્રધાનોની ગેલેરી જોવા મળશે

PM Museum Delhi: બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ 14 એપ્રિલે ખુદ વડાપ્રધાન મોદી (PM Modi) એ આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મ્યુઝિયમમાં અત્યાર સુધીમાં કુલ 15 વડાપ્રધાનોની ગેલેરી જોવા મળશે

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
પીએમ મોદી ગેલેરી

પીએમ મ્યુઝિયમમાં પીએમ મોદીની ગેલેરી બનાવવામાં આવશે

Divya A: દિલ્હી ખાતે દેશના વડાપ્રધાનને સમર્પિત મ્યુઝિમમાં 14 ગેલેરી બનાવવામાં આવી છે. ત્યારે હવે તેમાં વધુ એક ગેલેરીનો વધારો થશે. દેશના 15માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મ્યુઝિમમાં ગેલેરી બનાવવામાં આવશે તેવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ અંગે વધુ વિગત મેળવો આ અહેવાલમાં…

Advertisment

મહત્વનું છે કે, બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ 14 એપ્રિલે ખુદ વડાપ્રધાન મોદીએ આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મ્યુઝિયમમાં અત્યાર સુધીમાં કુલ 15 વડાપ્રધાનોની ગેલેરી જોવા મળશે, જેમાં તેમના કાર્યકાળ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ અને તેમની સાથે સંબંધિત વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. બાય ધ વે, વડાપ્રધાન તરીકે મોદીની તસવીર છે.

આ સાથે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનના પ્રસંગની તસવીરમાં પીએમ મોદી પણ જોવા મળે છે. એ જ રીતે, પ્રેક્ષકો વર્ચ્યુઅલ નરેન્દ્ર મોદી સાથે ફોટોગ્રાફ્સ મેળવવા અને તેમના ડિજિટલ હસ્તાક્ષરિત પત્ર મેળવવા માટે પણ સ્પર્ધા કરે છે.

હવે વાત કરીએ વાત કરીએ દેશના 15માં વડાપ્રધાનને સમર્પિત આગામી ગેલેરીની. તો આ ગેલેરીમાં પીએમ મોદીના બાળપણના અંગત અનુભવો પ્રદર્શિત કરાશે. સાથે જ તેમના વડાપ્રધાન તરીકે તેમના કાર્યકાળ અંતર્ગત મુખ્ય નીતિગત નિર્ણયો તેમજ કેટલાક પાલતુ પ્રોજક્ટસ માટે પાયો નાંખ્યો હતો.

Advertisment

આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

ઉદાહરણો ટાંકીને ગેલેરીના સત્તાવારા સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, ઉજ્જવલા યોજના, હજારો ગ્રામીણ મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર ઓફર કરવા, તેમની માતાને ચૂલા (માટીનો ચૂલો) પર ભોજન બનાવતી જોવાનું મોદીનું વિધન તેમના અનુભવમાંથી આવ્યું હતુ, તેમની ગ્રામિણ વિધુતિકરણ યોજના હેઠળ વર્ષ 2018 સુદીમાં લગભગ ગામોમાં વીજળીકરણ કરવામાં આવ્યું થે. તે પણ યોગ્ય વીજળી પૂરવઠો ન હોવાના કારણે કેટલી સમસ્યાઓ પડી રહી છે તે અંગે તેમના બાળપણના અનુભવથી પ્રેરિત છે.

પીએમ મોદી ગેલેરીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી પર વડાપ્રધાનનું ફોક્સ, તેમનો આધુનિક તથા પરિવર્તનશીલ સ્વભાવ તેમજ ગરીબી નાબૂદી સહિત વિકાસ માટેના તેમના તમામ પ્રયાસો પર પણ પ્રકાશ પાડવામાં આવશે. સૂત્રોએ જણાવ્યા મુજબ, તેમના શરૂઆતના વર્ષો ઉપરાંત, કન્ટેન્ટનું મુખ્ય કેન્દ્ર મોદી ભાજપના કાર્યકર અને સંચારકાર તરીકે પણ હશે, જેના માટે એક સ્ક્રિપ્ટ તૈયાર થઇ રહી છે.

વધુમાં સૂત્રોએ પીએમ મોદીએ ગેલેરી અંગે જણાવ્યું હતું કે, ગેલેરીનો એક ભાગ પીએમના માતા હીરાબા સાથેના સંબંધોને પણ સમર્પિત હશે. જેમનું ગયા વર્ષે ડિસેમ્બરમાં નિધન થયું હતું અને તેમના ઉપદેશોએ પીએમ મોદીને કંઇ રીતે માર્ગદર્શન કર્યુ હતું.

publive-image

હું એ વાતથી વાકેફ છું કે, તમે એ જાણવા માટે આતુર છો કે, પીએમ મોદીને સમર્પિત આ ગેલેરી ક્યારે ખુલી મુકાશે? પીએમ મોદીના જીવન પર બનેલી આ ગેલેરી માર્ચ 2023ના અંત સુધીમાં લોકો માટે ખુલી મુકાવામાં આવશે. પીએમ મોદીના કાર્યકાળને સમર્પિત ગેલેરી મ્યુઝિયમના ગ્રાઉન્ડ ફ્લોર પર 'એક્સપિરિયન્સ ઝોન'ની પાછળ સ્થિત હશે. ગ્રાઉન્ડ ફ્લોર પરની અન્ય ગેલેરીઓમાં ગુલઝારીલાલ નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, પીવી નરસિમ્હા રાવ, એચડી દેવગૌડા, આઈકે ગુજરાલ, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહને સમર્પિત ગેલેરીઓનો સમાવેશ થાય છે. આ વાતની પુષ્ટિ નેહરૂ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કરી છે.

દરેક ગેલેરી ભૂતપૂર્વ વડા પ્રધાનોના વ્યક્તિત્વના કેટલાક લક્ષણો દર્શાવે છે. શાસ્ત્રી ગેલેરી તેમને એક સાદા માણસ તરીકે બતાવે છે જેમણે નેતા બન્યા પછી પોતાની જાતને બદલી નાખી. તેઓ સંરક્ષણના વડા તરીકે યુદ્ધનો સામનો કરવામાં સક્ષમ હતા પરંતુ તાશ્કંદમાં શાંતિ નિર્માતાની ભૂમિકા નિભાવી હતી. ઇન્દિરા ગાંધીને એક મજબૂત વ્યક્તિત્વ તરીકે દર્શાવવામાં આવે છે જેમણે કઠિન નિર્ણયો લીધા અને બાંગ્લાદેશના નિર્માણમાં ભૂમિકા ભજવી. કટોકટી દરમિયાન તેમની ભૂમિકા પણ દર્શાવવામાં આવી છે, જોકે કોઈપણ મૂલ્યના નિર્ણય વિના.

આ પણ વાંચો: મિસિંગ ડેપ્યુટી સ્પીકર : પદ અને બંધારણ શું કહે છે?

પીએમના જીવન પરની સામગ્રી - ફોટોગ્રાફ્સ, ન્યૂઝ ક્લિપિંગ્સ, ઑડિયો રેકોર્ડિંગ્સ અને વિડિયો ક્લિપ, દસ્તાવેજો અને અન્ય વસ્તુઓ તેમના વતન ગુજરાતમાંથી એકત્ર કરવામાં આવી રહી છે. જ્યાં તેમણે મુખ્યમંત્રી તરીકે ઘણો સમય વિતાવ્યો છે. તદ્દઉપરાંત પીએમ સાથે સંકળાયેલા લોકો પાસેથી પણ કેટલીક માહિતી તેમજ વસ્તુઓ લેવામાં આવી છે. જો કે તેમના પરિવારનો હજુ સુધી સંપર્ક કરવામાં આવ્યો નથી, પરંતુ ટૂંક સમયમાં સંપર્ક થશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

એક્સપ્રેસ એક્સપ્લેન ટ્રેન્ડિંગ ન્યૂઝ Express Exclusive દેશ PM Narendra Modi